________________
સ મર્પણ
અનંત કાળથી ઝંખતો “હું આતમનો ઉજાસ; ‘હું'ની શોધ ન ફળી, તેથી રહ્યો ઉદાસ !
મૂળ દ્રષ્ટિ ખુલી, ઝળહળતું દીઠું “સ્વ” સ્વરૂપ; ‘દ્રવ્યકર્મનાં ચશ્મા ભેદ્યા, ઊડ્યું ‘ભાવકર્મ'નું મૂળ !
‘નોકર્મ'માં પ્રકૃતિ પિછાણી, પામ્યો પ્રકૃતિ પાર; પુરુષાર્થમાં પ્રજ્ઞા પામી, દૂર થયો અંધકાર !
ત્રિમંત્ર
‘એક પુદ્ગલ” જોયું નિજનું, દીઠી દશા ‘વીર' ! ‘જ્ઞાયક’ સ્વભાવ રમણતા, ‘સહજ’ આત્મા ને શરીર !
‘પ્રકૃતિ’ નિહાળી રહ્યો ને થયો અંતે પરમાત્મા ! જ્ઞાતાનો “જ્ઞાતા’ સદા, તે કેવળ જ્ઞાનસ્વરૂપાત્મા !
અહો અહો દાદ દીધું, ગજબ અક્રમ વિજ્ઞાન ! ન કોઈ શાસ્ત્ર કે જ્ઞાનીએ, અગોપ્યું આવું વિજ્ઞાન !
યુગો યુગો સુધી મહેંકશે, દાદો અધ્યાત્મ ક્ષેત્રે ! ન ભૂતો ન ભવિષ્યતિ, ન પડશે કોઈ નેત્રે !
શું કહું તેં જે દીધું મને, શબ્દો લજાઈ મરે ! મુજ અહો અહો ભાવ વાંચ, હે અંતર્યામી અરે !
તું જે કાજે ઝઝૂમ્યો, અંતિમ શ્વાસ લગી જીવન ! તે કાજે આપ્તવાણી તેર, જગ ચરણે સમર્પણ !