________________
‘જોય મારું
૨૬૩
૨૬૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : સરખું જ છે ને ! એને લેવાદેવા જ ! આ તો આપણી ભૂલ હતી, તેનો માર ખાતા હતા એટલું જ. ભૂલ ભાંગી ગઈ એટલે મારા ખાતા અટકી ગયા.
‘હોય મારી'વાળો અંતે જીતે ! ચા-પાણી કરવા, નાસ્તા કરવા, બધા લોકોને બોલાવવા, મકાનને રંગાવવું, બધું જ કરવું અને આ મકાન બળવા માંડ્યું એટલે ખૂણામાં બેસીને પાંચ હજાર વખત બોલી જવાનું, “હોય મારું, હોય મારું' કે છૂટું થઈ ગયું !
પ્રશ્નકર્તા : ‘ન્હોય મારા, હોય મારા’, પણ પેલો ધણી ‘મારી, મારી’ કર્યા કરે છે, ત્યાં શું થાય ?
દાદાશ્રી : તોયે ‘નહોય મારું કહે તેને છૂટું છે.
પ્રશ્નકર્તા : પણ આ વાઇફ છે તે કહે કે “ન્હોય મારા, હોય મારા', હું કહું કે “મારી, મારી’, તે હવે શું થાય ?
દાદાશ્રી : તોય ‘હોય મારાંવાળું જીતે, “મારી’વાળો જીતે નહીં. ‘ન્હોય મારી'વાળો જીતે. ભેગા બેસીએ એટલે મમતા ઊભી થાય અને છેટા થઈએ એટલે મમતા ઊડી જાય. એ થોડા વખત બહાર ફરેને એટલે મમતા છૂટી જાય પછી. એટલે એમ કરતાં કરતાં પેલો બધો અધ્યાસ ઊડી જાય.
મમતા પણ ડ્રામેટિક ! પ્રશ્નકર્તા: આપણા ઉપર કોઈ મમતા રાખે, તેની આપણા ઉપર શું અસર થાય ?
આપણે વ્યવહારિક મમતા તો રાખવી પડેને ? એ મમતા રાખે એટલે આપણે પણ રાખવી પડે ?
દાદાશ્રી : એ તો રાખીએ નહીંને, એની મેળે હોય જ. એને કાઢવાની છે, મમતા કાઢવાની છે. મમતા તો હોય જ. કૂતરાનેય મમતા હોયને ! પણ તેય નાના કુરકુરિયા હોય ત્યાં સુધી હું કે, પછી મોટું થયું એટલે નહીં.
પ્રશ્નકર્તા : એ બધું નાટકીય રાખવાનું, ડ્રામેટિક રાખવાનું ?
દાદાશ્રી : ડ્રામેટિક બધું. સાઈઠ હજાર માણસ જોડે, બધાં જોડે મમતા હોયને, પણ તે કેવું ? મારાપણું હોય, મમતા હોય પણ નાટકીય !
આ તો જગત ડ્રામા જ છે. વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ ! આ ડ્રામા થયેલો છે. ડ્રામા ભજવે છે તેમાં મમતા કરે છે. “આ મારું ને આ તારું !” તે મારું બોલવામાં વાંધો નથી, પણ ડ્રામેટિક રીતે બોલો. શાદી કરો તોય ડ્રામેટિક. પણ આ તો દરઅસલ શાદી કરે છે. એટલે પછી રાંડવું પડે ! એ કાંણ-મોકાણ કરવી પડે પછી ! એટલે દરઅસલ કશું નહીં કરવાનું. બધું ડ્રીમાં જ છે.
આ હું આખો દહાડો ડ્રામા જ કર્યા કરું છુંને ! ડ્રામા એટલે શું? હું જોનારો રહું છું, હું આમાં જુદો રહું છું. પેલા ડ્રામામાં શું હોય છે ? ભર્તુહરીનો પાઠ ભજવે છે, પણ આપણે તે ઘડીએ પૂછીએ કે, ‘તું કોણ છે, એ યાદ હતું?” ત્યારે કહે, ‘હું લક્ષ્મીચંદ છું એ ભૂલું જ નહીં અને આપણે ખીચડી ખાવાની છે તેય ભૂલું નહીં !” ખીચડી ખાવાનું લક્ષમાં હોય કે ના હોય ? એવું ડ્રામેટિક રહેવાનું છે !
મમત્વ રહિતની માલિકી ! નાટકમાં મારી રાણી કહે અને પછી નાટક પૂરું થાય અને આપણે કહીએ, ‘હંડો ઘેર” તો આવે ? ના આવે, નહીં ? એવું આ થયું છે બધું. આની નાટકની માલિકી એટલે કેવી ? મમત્વ વગરની માલિકી. લોકોને રૂબરૂ દેખાડીએ-કહીએ ખરા કે “આ મારી પિંગળા ને એમ તેમ’, પણ મમત્વ રહિતની, આંકડો નહીં. પછી નાટક પૂરું થાય એટલે કહીએ, ‘હેંડો
દાદાશ્રી : આપણા ઉપર શું અસર થાય ? આપણે મહીં ઇન્વોલ્વ થઈએ તો થાય. આપણે ધ્યાનમાં ના લઈએ તો કશું અસર ના થાય. એટલે તમારું કોઈ નામ લેનાર નથી, જો તમે સીધા હો તો. તમે ઇન્વોલ્વ ના થાવને ! એ તો મહાવીર ઉપર કેટલા કેટલા લોકોએ ભાવ કરેલા પણ ચાલે નહીંને !
પ્રશ્નકર્તા : આપણાં બૈરી-છોકરાં હોય, હવે એમના ઉપર તો