SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૨ ૧૭ આપ્તવાણી-૨ એક ધર્મમાં ય કેટકેટલા પક્ષો પડયા. આ જૈનોમાં ય ચોર્યાસી ગચ્છ પડયા છે અને વેદાંતીઓમાં ય કંઇ કેટલાય પંથ પડ્યા છે. જૈન ધર્મ તો કોનું નામ કે પોતે પક્ષમાં ના પડે અને સામેવાળો પક્ષ પાડતો હોય તો સામાને ત્યાં જાય અને એને સમજાવે. પોતે વિગતવાર બધી સમજ પાડી મતભેદને ટાળે. સામાનું તદ્દન હળહળતું જૂઠું હોય ને પોતે તદ્દન સાચો હોય, તો ય તે સામાની પાસે જાતે જાય. ઘણાને એમ થાય કે આવું તે વળી હોતું હશે ? તમે સાચા છો છતાં કેમ જાઓ છો ? તો ય જૈન ધર્મવાળો કહેશે, ‘હું જૈન છું, માટે મારે સામેથી જવું જોઇએ.” જૈન તો નિરાગ્રહી હોય. જૈન તો કોનું નામ કે કોઇનું પણ ના સાંભળે એવું ના હોય. બધાનું સાંભળે અને આવરણ ના લાવે. તારું ખોટું અને મારું સાચું છે એવું કપટ ના વાપરે. જો આત્મા કબૂલ કરે એવી વાત હોય તો તો. સાંભળવી જોઇએ ને ? ય ભગવાનનાં દર્શન તો કરે ને ! જયારે દિગંબરી તો જ્ઞાનજીવો માટે છે. પણ અત્યારે તો વાત જ બદલાઇ ગઇ છે ! એક દિગંબરી મહારાજ મને મળ્યા હતા. તેમણે મને કહ્યું કે, “મોક્ષ તો અમારો જ થાય ને !” મે પૂછયું, ‘એમ શાથી કહો છો ?” ત્યારે તેમણે કહ્યું, “કેમ ? ભગવાને કહ્યું નથી કે ‘નગ્ગાએ મોકખ મગ્ગા’? '' મેં કહ્યું, “તમારી વાત તો સાચી છે. ભગવાને કહ્યું છે તે ખરું કહ્યું છે કે “નગ્ગાએ મોકખ મમ્મા', પણ તમે સમજયા છો ઊંધું. ભગવાને આત્મા નાગો કરવાનો કહ્યો છે, નહીં કે દેહ.” મહાવીર ભગવાન કેવા હતા કે કોઈ વિધર્મી વાત સંભળાવવા આવે તો ય સાંભળે. આ તો ભગવાન મહાવીરના જ ધર્મમાં કેટલાય પક્ષ પડી ગયા ! આજે તો સાધુ મહારાજો ય પક્ષમાં પડી ગયા છે ! જૈનોના સાધુ અને ભગવાનના, વીતરાગના સાધુઓમાં ફેર શો? જૈનોના સાધુ પક્ષાપક્ષીવાળા હોય, ઝઘડાવાળા હોય; આ સંસારીઓમાં જેમ ભાઇઓભાઇઓ ઝઘડા કરે તેમ ઝઘડા કરે; ને બીજા ‘વીતરાગ'ના સાધુ તો નિષ્પક્ષપાતી હોય, ડખો જ ના હોય. એકે ય પક્ષમાં પડ્યા નથી એવા ‘વીતરાગ'ના સાધુને આપણાં નમસ્કાર. પછી ભલે તે દિગંબર હો કે શ્વેતાંબર હો. આ તો કેવું કે સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી ના સાંભળે ને શ્વેતાંબરી પાસે દિગંબરી ના જાય. આમ, પક્ષાપક્ષીથી મોક્ષ થતો હશે ? સાચું તો મુસલમાનના ઘરનું હોય તો ય સ્વીકારવું જોઇએ. પણ આજે સાચું રહ્યું છે જ કયાં ? ભગવાનને નગ્ન રાખવા કે કપડાં પહેરાવવાં એ માટે શ્વેતાબેરી અને દિગંબરીના ઝઘડા ચાલ્યા. આ નગ્ન રાખવાનું કહ્યું તે શા માટે ? ભગવાનને આંગી એ તો બાલધર્મ છે. તેથી ભગવાનની આંગીના નામે આ તો અણસમજણ ઊભી થઇ છે. આત્માની ઉપર ત્રણ કપડાં છે: મનનાં, વાણીનાં ને કાયાનાં, તે કપડાં કાઢવાનાં છે. તે કાઢે અને આત્માને નાગો કરે તે સાચો દિગંબર. મન, વચન, કાયાપી કપડાં કાઢવાનાં છે, એ જ મોટામાં મોટો પરિગ્રહ છે, તે એને કાઢવાનો છે. આ પક્ષાપક્ષીનું કોના જેવું છે તે કહું? પોતે પોતાને રુપાળો ના લાગતો હોય, એમ બને? નહીં, તો તો અરીસા જોડે બને જ નહીં ને! પણ આ તો બને છે તેનું કારણ પોતે પક્ષપાતી છે! રૂપ તો કોનું નામ કે યાદ આવ્યા કરે. પણ આ તો પક્ષપાતી છે. નિષ્પક્ષપાતીવાળા હોય તો બાજુવાળાને ય સુગંધ આવે. અને પક્ષવાળા તો જયાં જાય ત્યાં ગંધાઇ ઊઠે, ઘરમાં નર્યા ગંધાય! - કેટલાક લોકો અમને કહે કે, ‘તમે જૈન છો?” કેટલાક કહે છે કે, ‘તમે વૈષ્ણવ છો ?’ ‘અલ્યા, અમે તો શાના જૈન ને શાના વૈષ્ણવ ? અમે તો વીતરાગ. એમાં બધા ધર્મ સમાઇ જાય!” આ તો અમને જૈન કહીને કે વૈષ્ણવ કહીને સામો પોતાને માટે અંતરાય પાડે છે. અમને પક્ષપાતી ધારે છે. પણ એક ફેર અમને આ રામચન્દ્રજીનાં દર્શન કરતાં તો જો ને ! એક ફેરો રામચન્દ્રજીનાં દર્શન કરતા અમને જુએ તો એની બધી માન્યતા તૂટી જાય. પણ એવી પુર્વે જાગવી જોઇએ ને!
SR No.008829
Book TitleAptavani 07
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size98 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy