________________
આપ્તવાણી-૨
૪૪૫
૪૪૬
આપ્તવાણી-૨
જો પાંસરા બેસો તો ! ‘હું આચાર્ય, ‘સુરિ’ એમ રાખીને ના બેસે તો! જુદાઇ ના લાગે એ મહાવીરનો માર્ગ. આ તો પાંચ જણા ભેગા ના રહે, મહીં ને મહીં વઢયા કરે. બહાર લઢો છો તે તો અમે જાણતા હતા, પણ આ તો મહીંના મહીં પણ લઢે છે !
ચર્ચાવિચારણા કરે. ઘરડા સાધુ હોય તેને ખુરશી આપે અને જવાન સાધુ ભલે નીચે બેસે, એટલું તો કરવું જોઇએ ને ! બધાએ ચર્ચાવિચારણા જોડે બેસીને કરવાની હોય. વીતરાગ ધર્મ કોને કહેવામાં આવે છે ? કોઇ મહામુનિ હોય ને ત્યાં નાનો, નવો શિષ્ય પૂછવા જાય ને મહામુનિ તેનો જવાબ ના આપે તો એ મુનિ ન હોય, મહામુનિ ન હોય ને કશામાં ય ન હોય ! ભલે સામો ગમે તેટલું ખોટું બોલતો હોય, પણ તેનું એક વખત તો સાંભળે અને પછી ચર્ચાવિચારણા કરે, ચર્ચાવિચારણાથી એ કંઇક પામશે. એટલે ભગવાને કહ્યું કે, આગ્રહ કદાગ્રહ ના કરશો, ચર્ચાવિચારણા કરજો કે આપણી ભૂલ શી થાય છે ? આ દુષમકાળના તમે સાધુઓ છો માટે તમે એકલા બેસશો નહીં, જોડે સંઘપતિ ને સંઘને રાખજો, કારણ કે ભગવાને સંઘ એ પચ્ચીસમો તીર્થકર છે એમ કહ્યું છે. ખરા-ખોટાનો ન્યાય એ કમિટિ કરી આપે. જયાં ભૂલ વગરનું હોય ત્યાં સંઘપતિ કહી આપે કે આ સત્ય છે, કારણ કે અહીં આત્મા છે ને એટલે આ સાચું છે એની એને તરત ખબર પડી જાય, પણ સત્ય નીકળવું જોઇએ અને અસત્ય નીકળે તો ય સમજાઇ જાય કે આ અસત્ય છે. બધા ભેગા બેસવામાં વાંધો શો છે ? સ્થાનકવાસી, દેરાવાસી, તપાગચ્છ, તેરાપંથી, દિગંબરી ક્યારે ય પણ ચર્ચાવિચારણા માટે, સત્ય જાણવા માટે ભેગા થયા ? બધા ભેગા થાય, નહીં તો એ મહાવીરના વિરોધી છે, એવું જ ડીસિઝન આવી ગયું !
વીતરાગ માર્ગમાં સહેજે પણ આગ્રહ ના હોય. આ તો દુરાગ્રહ ને હઠાગ્રહે ચઢયા છે ! જે સાધુઓ સત્ય, અસત્યની ચર્ચાવિચારણા સાથે બેસીને ના કરી શકે એ મહાવીરના સાધુ ન હોય. મહાવીરનો શિષ્ય તો એક ગમે તેવો હોય, ૪૫ આગમ ભણીને બેઠો હોય અને બીજો બે જ આગમ વાંચીને બેઠો હોય તો ય બને ય જોડે બેસીને ચર્ચાવિચારણા કરે અને કોઈ ગમે તેટલી ભૂલ કરે, પણ તે કષાય ના કરે. ઝઘડા ના કરે અને જોડે બેસીને ચર્ચાવિચારણા કરીને સત્યનું દોહન કરે તે કામનું !
અમને કહે કે, “પટેલ, તમે અહીં અમને સાચી વાત સમજાવવા માટે પધારશો ?’ તો અમે જઇએ અને કહીએ કે, ‘મહાવીર શું કહેવા માગતા હતા !' ‘અમે તેના તે જ મહાવીરના શબ્દો તમને કહીશું, પણ
તિષ્કફ ત્યાં મોક્ષ ! અમે અમદાવાદ ગયેલા, ત્યારે એક સ્થાનકવાસી આચાર્ય મહારાજ ભેગા થયેલા. પર્યુષણના દિવસો હતા. હજારો લોકોને આચાર્ય મહારાજને વંદવા આવતા હતા એમને અમારું ઓળખાણ કરાવ્યું કે, આ ‘જ્ઞાની પુરુષ” છે. તો તરત જ એમણે અમારાં દર્શન કર્યા અને પાટ ઉપરથી નીચે ઊતરીને બેસી ગયા ! અમે કહ્યું, ‘આ તો તમારું કામ કાઢી નાખશે.' આવો સુંદર વિનય તો કામ કાઢી નાખે, ત્યારે તેમણે કહ્યું, ‘મને અંદરથી થયું તેથી નીચે બેસી ગયો.” પછી તેમને અમે પૂછયું કે, ‘શાસ્ત્રો વાંચો છો ?’ તેમણે, ‘શાસ્ત્રો તો બહુ વાંચ્યાં.” અમે કહ્યું, ‘શાસ્ત્રો તો આપે બહુ વાંચ્યાં, પણ એ શાસ્ત્રો ભગવાનની આજ્ઞાપૂર્વક વાંચ્યા કે પછી એમને એમ વાંચ્યાં ?! ભગવાન શું કહે છે કે, “જે શાસ્ત્ર વાંચે છે એનાથી કેફ વધે તો ના વાંચીશ ને કેફ છૂટતો હોય તો વાંચજે.” જો કેફ વધતો હોય તો નાખી દેજે એ પુસ્તક. શું પુસ્તકનો ગુણ કફ વધારવાનો છે ? ના. એ તો પોતાની મહીંના બીજનો ગુણ છે ! આ બાવળિયાને શૂળો ચીતરવી પડે ? ના, એ તો બીજગુણથી ડાળે ડાળે શૂળો આવે. પછી આચાર્ય મહારાજને કહ્યું કે, ‘એ કેફ ઉતારશો કેવી રીતે ?” ત્યારે તેમણે પૂછયું, આ ક્રિયાઓ તો કરીએ છીએ ને !” ત્યારે મેં કહ્યું, ‘જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્રિયા છે, ભગવાનની કહેલી ક્રિયા નથી. ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે, એનાથી કેફ ચડે નહીં !” આ બધું કરવાથી કોઈ દી' શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં ! લીંબોળી વાવી છે તે ફળ આપશે.
વીતરાગનો માર્ગ સહેલો છે, સરળ છે ને સહજ છે, પણ લોકોએ કષ્ટસાધ્ય કરી નાખ્યો છે. આ ચાલુ માર્ગમાં જે વીતરાગ ધર્મ છે ત્યાં કાંઇ તથ્ય હોત તો જગત આફ્રેિન થઇ જાત; પણ લોકો જુએ છે કે, ત્યાગના