________________
આપ્તવાણી-૨
૩૮૧
૩૮૨
આપ્તવાણી-૨
થવા દે, તે.
તમને જ્ઞાન આપ્યું છે તેથી દહાડે દહાડે આવરણ જેમ જેમ તૂટતાં જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય, દોષો દેખાતા જાય અને જેટલા દોષો દેખાયા એટલા નાસી જાય. આ તો આખું દોષોથી ભરેલું પૂતળું છે, ને બધા દોષો પૂરા થાય પછી મોક્ષ થાય ! “જ્ઞાન” મળ્યા પછી ચંદુભાઈ અને તમે ‘પોતે’ જુદા પડી જાવ, પછી પ્રજ્ઞાથી ચંદુભાઈના દોષો દેખાતા જાય. જેટલા દોષો દેખાયા એટલા એ જાય. ‘જ્ઞાન” ના હોય તો નર્યા દોષો ગ્રહણ જ થતા હતા, ના ઘાલવા હોય તો ય પેસી જતા હતા, હવે જ્ઞાન પછી દોષ છૂટતાં જાય ને જેટલા દોષોએ વિદાયગીરી લીધી એટલા વીતરાગ થવાય ! અંતે પરમાત્માસ્વરૂપ થવું જોઇએ, પણ આત્મસ્વરૂપ થયા વગર સાચી સમજશક્તિ ના આવે. વીતરાગો આત્મસ્વરૂપ થયેલા અને તેથી સમજી કરીને દોષોનો નિકાલ કર્યો ને મોક્ષે ગયા !
કેવળજ્ઞાનના અંશના ભાગને પ્રજ્ઞા કહીએ છીએ. એક એક આત્મામાં આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ છે ! એટલે આ ખોખામાંથી નીરાવરણપણે નીકળે તો આખા બ્રહ્માંડને પ્રકાશવાની એકે એક આત્મામાં શક્તિ છે ! આ વેદાંતીઓ તેથી જ કહે છે કે, આત્મા સર્વવ્યાપી છે ! પણ સર્વવ્યાપી, તે કઇ રીતે ? આત્માનો પ્રકાશ સંપૂર્ણ સર્વવ્યાપી છે અને એ સંપૂર્ણ પ્રકાશ થયા પછી આત્મા અહીં શા માટે ખીચડી ખાવા બેસી રહે ? પછી તો એ સિદ્ધક્ષેત્રે જતાં રહે છે !
બંધ શેનાથી પડે છે ? અજ્ઞાનથી, અને મોક્ષ શાનાથી થાય ? પ્રજ્ઞાથી. આત્મા પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય તે રીયલ અને રીલેટિવ બન્નેનું સંભાળે. અજ્ઞા શું કહે છે ? કે “મેં કર્યું, મેં ભોગવ્યું; ત્યારે પ્રજ્ઞા શું કહે છે ? કે ‘હું કર્તા નથી ! પેલાએ ગાળ ભાંડી તો ય એ કર્તા નથી.” પ્રજ્ઞા ઉત્પન્ન થયા પછી રાગદ્વેષ નીંદી નખાય, આત્માને કશું કરવું પડતું નથી. આ ‘અજ્ઞા” એ શબ્દ અમારે મહીંથી ટૂરેલો છે, અમે નવો ઉમેર્યો છે. આ તો પ્રજ્ઞાને સમજાવવા અજ્ઞા શબ્દ મૂકવો પડ્યો, નહીં તો પ્રજ્ઞાને સમજનારો જ ‘અજ્ઞા’ને જાણે. ક્રમિક માર્ગમાં જયાં અહંકાર શુદ્ધ કરતા કરતા જવાનું ત્યાં બધું મનથી કરવું પડે છે; અને આ “અક્રમ’ માર્ગમાં પ્રજ્ઞાદશાથી બધું થાય છે, આત્માના પ્રજ્ઞા ભાગથી બધું થાય છે. અન્ના ભાગથી પ્રવેશ થયો અને છુટકારો પ્રજ્ઞા ભાગથી થાય છે. આ તો ક્યા ભાગથી પ્રવેશ પામ્યા એ સમજાય તો છૂટવાનો માર્ગ જડતો જાય. જે શક્તિ તને સંસારમાં અથાડ અથાડ કરે છે એને ઓળખ, તો પ્રજ્ઞાશક્તિ ઓળખાય. અન્ન સંજ્ઞા તે ૮૪ લાખ યોનિમાં ભટકવાની વસ્તુ છે. કાર્યરૂપે સ્થિત અજ્ઞ દશાથી સંસાર ઊભો થાય અને કાર્યરૂપે સ્થિતપ્રજ્ઞાથી સંસાર વિલય થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિનો આધાર તૂટે ને પ્રજ્ઞાધારી થાય. જ્ઞાન ટોપ ઉપર આવે ત્યારે પ્રજ્ઞાધારી કહેવાય, જે ડાયરેક્ટ અમારાથી મળે !
બે શક્તિમાંથી બીજી અજ્ઞાશક્તિ પોતે અહંકાર કરીને ઉતારી લીધી છે, ‘હું કરનારો છું', કહીને. હવે આ અજ્ઞાશક્તિ દરેકની સ્વતંત્ર હોય, દરેક જીવને તે લાગુ થાય છે અને અજ્ઞાશક્તિ બધી ભેગી થાય ત્યારે ‘વ્યવસ્થિત શક્તિ’ ઉત્પન્ન થાય. દરેકને અજ્ઞાશક્તિ હોય, દરેકને કપાળે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ રહેવાનું, તેથી સાથે બધું કામ થયા કરવાનું. એટલે આમાં તમારે ‘પોતે’ કશું કરવું પડે એમ નથી, વ્યવહાર એની મેળે ચાલ્યા કરશે. આ માણસની આંખમાં કેમ કરીને લાઇટ રહે છે ને કેમ કરીને એ જતું રહે છે એ કોણ જાણે ? આ ડૉક્ટરો તો નિમિત્ત છે, એ શું બચાવે ? જો ડૉક્ટર બચાવનારો હોય તો એની મા મરી ગઇ, બાપ મરી ગયો, એ બધાંને બચાવ ને ! આ જગત ‘વ્યવસ્થિત’ શક્તિને
પોતે પોતાની આખા બ્રહ્માંડમાં પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે તેને કેવળજ્ઞાન કહે છે. અમે જ્ઞાન આપ્યા પછી રાત્રે જે અનુભવમાં આવે છે, તે સ્વસંવેદન શક્તિ છે. દેહ છે તેથી તેના આધારે સ્વસંવેદન કહીએ છીએ, નહીં તો વેદના જ ના હોય ને !
પરાયું છે તે કયારે ય પોતાનું ના માનવા દે અને પોતાનું છે તે કયારે ય પરાયું ના માનવા દે તે પ્રજ્ઞા ! સત્સંગથી પ્રજ્ઞાશક્તિ ખીલે. કિંચિત્ પરભારી ચીજ પોતાની ના મનાય તો તે પરમાત્મા જ છે. ‘પોતાનું’ અને ‘પરાયું’ છૂટું રાખવાની શ્રદ્ધા છે પણ વર્તનમાં નથી તે પ્રજ્ઞા છે; એવી શ્રદ્ધા એ જ પ્રજ્ઞા છે અને એવું વર્તન એ જ આત્મા છે, એ જ ચારિત્ર્ય છે. વર્તન એટલે આત્મા અને અનાત્માને એકાકાર ના