________________
આપ્તવાણી-૨
૨૪૧
આજનાં આ જ છોકરાં ડાહ્યા ને સમજુ થઇ એક દા’ડો વાળ કપાવી નાખશે, પછી મેન્ટલપણુ ગયું અને આ જે વાળ કપાવીને ડાહ્યાડમરા થઇ ને ફરે છે અને અનાચારને સદાચાર માને છે ! કેવા ? અનાચારને સદાચાર, ભાષા જ ફેરવી નાખેલી આ લોકોએ ! મેન્ટલ ! અને આખો દા’ડો ઝઘડા, ઝઘડા ને ઝઘડા વગરનું એકુય ઘર નથી. કંઇ ને કંઇ ડખો થયો જ હોય, ત્રણ માણસોમાં તેત્રીસ મતભેદ પડયા હોય સાંજે ! ૧૧, ૧૧ ભાગે આવે ને !
મતભેદ, મતભેદ તે તતભેદ !
દાદાશ્રી : મતભેદ થાય ત્યારે ગમે છે ? તો કશું થાય છે તને ? પ્રશ્નકર્તા : હા. વરીઝ થાય.
દાદાશ્રી : મતભેદમાં આટલું બધું થાય છે, ત્યારે મનભેદ થાય ત્યારે હું નું શું થાય ? મતભેદ થાય ત્યારે ઝઘડો થાય ને મનભેદ થાય એટલે ડાઇવોર્સ લઇ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! એવું આ ભેદ, ભેદ ને ભેદવાળું જગત છે.
કંટાળાવાળું જીવન તને ગમે ખરું ?
પ્રશ્નકર્તા : જીવન આપ્યું એટલે જીવવું તો પડે જ ને ? પછી ભલે ગમે તેવું જીવન હોય.
દાદાશ્રી : જીવન આપનારો કોણ છે ? આવો કોણ હશે મૂરખ માણસ કે આવું આ બધા લોકોને બળતરામાં જીવન જીવાડતો હશે ? એવો કોણ હશે ? કોઇ હશે એવો ? કારણ કે માલિક-બાલિક ગાંડો-બાંડો થઇ ગયો છે કે એ ય મેન્ટલ થઇ ગયો છે ? ૫૦ ટકા મેન્ટલ હોય તો
વળી ચલાવી લેવાય, પણ આ તો બધાં જ મેન્ટલ તે શું માલિક મેન્ટલ
બની ગયો છે ? કોણ આનો ચલાવનારો હશે ?
પ્રશ્નકર્તા : ભગવાન.
દાદાશ્રી : તેનું તું નામ દે છે કોઇ વખત ?
૨૪૨
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : કોઇક વખત દઉં છું.
દાદાશ્રી : શું નામથી બોલાવે છે ?
પ્રશ્નકર્તા : ભગવાનના તો નામ હજાર છે, કોઇ પણ એક નામથી બોલાવું છું.
દાદાશ્રી : તને ક્યું નામ ગમે છે ?
પ્રશ્નકર્તા : શ્રીકૃષ્ણ.
દાદાશ્રી : એમને કહેને કે તમે દુનિયા બનાવી તો આવી શું કરવા બનાવી ? તમારે કંઇ રાણીઓ-બાણીઓ નાસી ગઇ ? કે પછી બધી છે? એમને કહેને કે શું કરવા અમને પજવો છો ? આપણે એમને વઢવું પડે, તે એમને આપણે વઢીએ નહીં ને પરસાદ ધરાવ ધરાવ કરીએ, એટલે એ જાણે કે આ બધા જ સુખી છે ! કે પછી એમને બહેરે કાને સંભળાતું નથી કે આપણે શું કહેવા માગીએ છીએ? તે આપણે તેમને વઢવું પડે કે રાણીઓ-બાણીઓ નાસી ગઇ છે ? તમારા બાબા-બેબી રખડી મર્યા છે
કે શું ? એમ કહીએ ત્યારે એ કહેશે કે, ‘ના રાણીઓ છે.’ તો આપણે કહીએ કે, ‘ત્યારે આ કેમ બળી હેંડયું છે ? આખું જગત બળે છે, ને તમે એકલા નમારમૂડા હો એમ ભટકયા કરો છો ? રાણીઓ લઇને આવો અહીં આગળ,’ એમ એમને કહેવું પડે. એમ ના કહીએ તો શી રીતે એમને બહેરા કાનમાં સંભળાય ?
આમ ભગવાનને વઢવું પડે. જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાનને કેમ ના વઢાય ? અને તો જ ભગવાન તમારું સાંભળે. પણ કોઇ વઢતું જ નથી ને ભગવાનને ? બધા પરસાદ ધરાવ ધરાવ કરે છે!
܀܀܀܀܀