________________
આપ્તવાણી-૨
૧૮૧
૧૮૨
આપ્તવાણી-૨
કરે. આને તે વળી દુઃખ કહેવાતાં હશે ?! દુઃખ તો કોને કહેવાય કે ખાવા ના મળે, કપડાં પહેરવાં ના મળે, સૂવા ના મળે-એ બધાં દુઃખો કહેવાય. આ બધું મળે પછી દુઃખ કોને કહેવાય ? આ તો સંસારમાં દુષમ મનને લઇને દુખો છે, તે સુષમ મન થાય એટલે સુખી થઇ જાય ! મન બગડી જાય એટલે આધિ બોલાવે, ના હોય તો ય આધિ બોલાવે. વખતે દાઢ દુઃખતી હોય તો એને દુઃખ કહેવાય. આ તો દુ:ખ જ નથી, પણ લોકોએ બધો અજંપો કર્યો છે.
જેના ઉપાય જડે એને દુઃખ કહેવાય. ઉપાય હોય તો જ દુ:ખ કહેવાય. જેનો ઉપાય નથી એ દુઃખ જ ન કહેવાય. જે દુઃખે છે તેનો ઉપાય કરીએ જ છીએ ને ! આ પગ હોય તે લડાઇમાં કપાઇ જાય તો તો તે પગ ફરી નહીં આવે માટે તે દુ:ખ ના કહેવાય, કારણ કે ઉપાય નથી. પણ પગે ફોલ્લો પાક્યો હોય તો તે દુઃખ કહેવાય, કારણ કે તે મટાડી શકાય છે, એનો ઉપાય છે.
કોઇ કહે મારે બધે સુખ છે છતાં આ પગે દરાજ થઈ છે એટલું જ જરા દુઃખ છે. અલ્યા, આને દુ:ખ કેમ કહેવાય ? આ તો હાથ એની મેળે વર્યા કરે.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે?
દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઇ જાય. કેટલીક વખત આર્થિક દુ:ખ હોતું જ નથી. પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઇ લેવાનું હોય. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુ:ખ છે ?
ઉપાય હોય એનાં તો ઉપાય કરવા જોઇએ, પણ ઉપાય જ ના હોય તો એ દુ:ખ જ નથી.
આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી લક્ષ્મી લઇ આવું. કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઇ ખોળે ને ? આનાથી સુખ કંઇ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઇન પ્રોડક્ષન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે. પૂર્વે કંઇ કરેલું હોય તેનાથી દેહ મળ્યો, ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરને ય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઇ છે. તેથી આ બાય પ્રોડકશનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય પ્રોડકશનનું કારખાનું ના ખોલાય. મેઇન-પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન ‘જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડકશન તો એની મેળે મફતમાં આવશે જ, બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા દુર્ગાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પૂરું થાય !
પ્રશ્નકર્તા : આપઘાત કરીને મરી જાય તો શું થાય ?
દાદાશ્રી : આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુ:ખ તો આવે, પણ તે માટે કંઇ આપઘાત કરાય ? આપઘાતનાં ફળ બહુ કડવાં છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારે ય ના કરાય. આ જે કંઇ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય.
દુ:તો રામચન્દ્રજીને હતું. તેમના ચૌદ વરસનાં વનવાસમાંના એક દહાડાનું દુ:ખ તે આ ચકલાના (!) આખી જિંદગીનાં દુઃખ બરાબર છે ! પણ અક્કરમી ‘ચું’ ‘વેં’ કરીને આખો દા'ડો દુ:ખ ગા ગા કરે છે.
સુખ-દુ:ખ તો આમંત્રેલાં મહેમાન જેવાં છે, આવે ત્યારે ધક્કો ના મરાય પણ તેમને તો સત્કારવા જોઇએ. સંસાર એ દુ:ખનો દરિયો છે. વ્યવહાર સારી રીતે ચલાવવામાં કોઇની બીક ના હોવી જોઇએ. ધોલો
પ્રશ્નકર્તા : ના !
દાદાશ્રી : તો પછી એને દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુ:ખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ-એટેક આવે, અજંપો રહે ને પોતે દુ:ખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના