SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૫ ૧૨ ૧ ૧૨૨ આપ્તવાણી-પ દાદાશ્રી : હા, એ બરાબર છે. પણ લોકોની પાસે પુર્વે ક્યાં સાબૂત છે ? કશું જ ઠેકાણું નથી, કારણ કે તમારી શી ઇચ્છા છે ? ત્યારે કહે કે પુણ્ય કરું તો પાપનો ઉદય ના આવે. ત્યારે ભગવાન શું કહે છે ? તે સો રૂપિયાનું પુણ્ય બાંધ્યું તે તારે ખાતે સો રૂપિયા જમા થયા. ત્યાર પછી બે રૂપિયા જેટલું પાપ કર્યું એટલે કે કોઈ માણસને ‘હટ હટ, આઘો ખસ’ એવું કહ્યું, તેમાં સહેજ તિરસ્કાર આવી ગયો. હવે આનું જમેઉધાર ના થાય. ભગવાન કંઈ કાચી માયા નથી. જો પુણ્ય-પાપનું જમે-ઉધાર થતું હોત તો તો આ વણિક કોમને ત્યાં સહેજે દુઃખ ના હોત ! પણ આ તો સુખેય ભોગવો ને દુઃખેય ભોગવો. કેવા પાકા ભગવાન ! બાદ તો કરે જ નહીં ! કષાય ત્યાં સંસાર સ્વરૂપજ્ઞાન પછી કંઈ જ કરવાનું રહેતું નથી. તેથી અમે કહ્યું છે કે કશું કરશો નહીં. કરે છે બીજી શક્તિ ને આ અમથા માથે લઈને લોકો ફરે છે, તેને લીધે ઊલટા અવતાર વધે છે. જ્યાં કષાય છે ત્યાં નય પરિગ્રહનાં પોટલાં જ કહેવાય. પછી એ ગૃહસ્થી હોય કે ત્યાગી હોય કે હિમાલયમાં પડી રહ્યો હોય ! કષાયનો અભાવ ત્યાં પરિગ્રહનો અભાવ. પછી ભલે ને એ રાજમહેલમાં રહેતો હોય ! અમારી પાસે ક્યાં પરિગ્રહ છે ? લોકોને લાગે કે દાદા પરિગ્રહી છે. પરિગ્રહ એટલે માથે બોજો, અમને કોઈ દહાડોય બોજો લાગે નહિ. શરીરનો બોજો અમને ના હોય ! છતાંય આ દાદા ખાય છે, પીએ છે, લગ્નમાં જાય છે, સ્મશાનમાં જાય છે !!! વીતરાગો એટલું જ જુએ છે કે કષાયનો અભાવ છે કે નહીં ? પછી એ ત્યાગીની ગાદી નથી જોતા કે ગૃહસ્થીની ગાદી નથી જોતા ! કયાયનો અભાવ છે કે કેમ એટલું જ જુએ છે. અગર તો કયાય મંદ વર્તે છે કે કેમ ? સાધુઓમાં કેટલાક, બે-પાંચ ટકા ભદ્રિકતાના સ્વભાવવાળા મંદકષાયી હોય છે. પ્રશ્નકર્તા : એ સમજણમાં મંદ કહેવાય ? દાદાશ્રી : સમજણમાં નહીં, એમ ને એમ સ્વાભાવિક ભદ્રિક. તોય એમને ભગવાને કષાયરહિત ના કહ્યા. ‘હું છું’, ‘હું છું’ બોલે તો એ કષાય. - કૃપાળુદેવનાં પુસ્તકો વાંચવાથી મંદકષાયી થઈ શકે એમ છે. પણ તે લોકોને સમજાયું નથી. મંદકષાયી કોને કહેવાય ? કપાય ઉત્પન્ન થાય તે પોતાને ખબર પડે પણ બીજા કોઈને ખબર પડવા ના દે. કષાયને વાળી લેવાય એવી દશા. કષાયો એ સંસારનું સ્વરૂપ છે અને અકષાયી મોક્ષ સ્વરૂપ છે. મૂળ કષાયો છે. જો કષાય ગયા તો કામ થયું, નહીં તો સાધુય નથી ને સંન્યાસીય નથી. એના કરતાં મંદકષાયવાળા ગૃહસ્થી સારા ! વૃદ્ધોની વ્યથા આ ભાઈ સ્વભાવથી મંદકષાયી કહેવાય. પણ ‘જ્ઞાન’ વગર ચિત્ત શામાં રહે ? આખો દહાડો ધંધામાં, છોકરાંમાં, કોઈ આવ્યું હોય તેમાં, ખાવા-પીવામાં ચિત્ત પેસી જાય. ચિત્ત બધું આમ ને આમાં વિખરાઈ જાય. આનાથી પુણ્ય મળે પણ હવે ક્યાં સુધી કૂંડાં લણવાનાં ? બાજરી વાવો, લણો ને ખાઓ. વાવો, લણો ને ખાઓ. એવા ધંધા ક્યાં સુધી કરવાના ? પાછા વગર પૂછયે સલાહ હઉ આપે ! છોકરો બાપુજીને પૂછે નહીં તોય, ‘ઊભો રહે, ઊભો રહે, તું ભૂલ ખાઈશ’ કરીને સલાહ આપી આવે. ભગવાન કહે છે કે છોકરાં બહુ મુશ્કેલીમાં મૂકાય ત્યારે જવાબ આપજો. હા, એ પૂછ પૂછ કરે, ત્યારે આપણે વ્યવહારમાં જવાબ આપવો જ પડે. પૂછ્યા વગર પોતાના ઉપયોગવાળો કોણ ડહાપણ કરે ? તમે રૂપિયા ગણતા હો ને છોકરો તમને ધંધાની વાત પૂછવા આવે તો તમને એમ થાય કે આ વાત ઓછી કરે તો સારું. તેમ આત્મા માટે નિરંતર હોવું જોઈએ. છતાં વ્યવહાર છે તો પડ્યા વગર ચાલે નહીં. પણ મહીં જાણી જોઈને હાથ ના ઘાલવો. પ્રશ્નકર્તા : છોકરામાં અનુભવ ઓછો હોય અને કંઈક ભૂલ કરે
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy