________________
આપ્તવાણી-૬
૨૩૫
૨૩૬
આપ્તવાણી-૬
ધમધમાવો ઘેર જઈને ! બીજાં બધાં મછરાંને કહીએ કે ‘ગેટ આઉટ ! નોટ એલાઉડ !'
તમને પુર્વેથી યોગ બાઝી ગયો છે, તે ઉપર સુધી જોઈ આવ્યા છો, અમુક હદ સુધી તો બધું જોઈ નાખ્યું છે તમે અને તમારા લક્ષમાં છે ને કે શું શું જોયું છે તે ?
પ્રશ્નકર્તા : હા, છે.
આખું બ્રહ્માંડ હાલે એવી શક્તિ મહીં ભરેલી છે. મેં જાતે જોઈ, ત્યારે તો મેં ઉઘાડ્યું ! પણ તમે શેની લાલચોમાં પડી ગયા છો ? શેને માટે ? આખું બ્રહ્માંડ સામું આવે તોય એની લાલચ કેમ હોય ? માટે બરોબર યોગ જમાવો, રાત ને દહાડો ! હવે ઊંઘ કેવી આવે ? હવે યોગ પૂરેપૂરો કરી લો. દસ લાખ વર્ષે આ સહજાસહજ યોગ પ્રાપ્ત થયો છે, બૈરાં-છોકરાં, કપડાં-લત્તો સાથે. ફરી ફરી આવો યોગ પ્રાપ્ત થાય એવો નથી. આ તો પરમાત્મયોગ છે ! આ કંઈ જેવો તેવો યોગ નથી !
બહુ જ જાગૃતિની જરૂર છે, સંપૂર્ણ જાગૃતિ ! જાગૃતિ પરની જાગૃતિ કે જે છેલ્લા પ્રકારની જાગૃતિ છે, તે આપણે અહીં છે ! જગત જ્યાં જાગે છે ત્યાં આપણે ઊંઘતા રહેવું જોઈએ. આપણે જ્યાં જાગ્યા છે ત્યાં જગત ઊંઘતું જ છે. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જાગૃતિ ! કોઈ કમી ના રહે એવી જાગૃતિ !! બસ, જાગૃતિની જ જરૂર છે. જેટલી જાગૃતિ વધી એટલો કેવળજ્ઞાનની નજીક આવ્યો. જાગૃતિમાં પોતાના બધા દોષ દેખાય, પણ પોતે નિષ્પક્ષપાતી થયો હોય તો ! પોતે શુદ્ધાત્મા થયો એટલે નિષ્પક્ષપાતી થયો. ‘હું ચંદુભાઈ છું' ત્યાં પક્ષપાત છે. પોતે વકીલ, પોતે જજ અને પોતે આરોપી. પછી જજમેન્ટ કેવું આવે ?
પ્રશ્નકર્તા તો એવું નક્કી કરેલું કે મારે આ બધી ચિંતા કરવાની શી જરૂર ? માથે દાદા છે, પછી શું ?
દાદાશ્રી : આ તો બધા કષાયો પેસી જાય ! એ જાણે કે અહીં આ પોલું છે ! તમને પુરુષ બનાવ્યા હવે. પુરુષ ના બનાવ્યા હોય ત્યાં સુધી દાદા છે. હવે તો પુરુષાર્થ તમારા હાથમાં મૂકેલો છે. દાદા વખતે, અડચણની વખતે હાજર થાય. પણ રોજ રોજ કંઈ હાજર ના થાય.
આ પરમાત્મયોગ તમને આપ્યો છે. હવે ફરી ચૂકશો નહીં. કોઈ અવતારમાં નથી મળતું આ. આ અવતારમાં જ બન્યું છે આ ! આ અગિયારમું આશ્ચર્ય છે આ કાળનું ! માટે યોગ બાઝી ગયો છે. આ તો
દાદાશ્રી : અને આ ભરહાડ તો હતી જ ને ? ક્યાં ન હતી ? આ એંઠવાડો તો છે જ ને ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી એને દબાણ કેમ વળગી પડતાં હશે ?
દાદાશ્રી : આ જે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, તે તમારા બધાં કર્મોનો નિકાલ કર્યા પછી પ્રાપ્ત થાય તો કશું મહીં પેસે નહીં. આ તો કર્મ તમારાં ખપાવ્યા સિવાયનાં ઊભાં રહ્યાં છે અને આ પ્રાપ્ત થઈ ગયું છે. હું શું કહું છું કે આવું પ્રાપ્ત થયા પછી આ કર્મોનો નિકાલ કરી નાખો ઝટપટ. આ બધું દેવું વાળી દો. નહીં તો આત્મા, શુદ્ધાત્મા પ્રાપ્ત થયા સિવાય દેવું વળે એવું નહોતું કોઈ રસ્તે ! એટલે આ તો નાદારી ઉપરથી સાદારમાં થવાનું છે, આ દેવું પાર વગરનું છે. ને હવે જે રખડ્યા ને તે ૮૧,OOO વર્ષ સુધી રખડવાના છે. માટે અત્યારે ઊંચકી લઈએ છીએ, તે જેને યોગ પ્રાપ્ત થઈ જાય તે કામ કાઢી લો, નહીં તો સ્લીપકાળ છે, લપસણો કાળ છે. પાર વગરનાં તમારાં દેવાં હતાં, તેની મહીં તમને જાગૃત કરી દીધા. તમને જાગૃતિ વર્તે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : વર્તે છે.
દાદાશ્રી : એ જાગૃતિ સંપૂર્ણ ટોચ ઉપર બેસીને જોઈએ. મહીં કશું ય હાલ્યું હોય તે ખબર પડી જાય કે મહીં અંદર શું હાલ્યું ? અને તે આપણા હિતનું કે આપણા વિરોધી છે, તે તરત સમજી જવું જોઈએ.
આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે. કારણ કે એ શેમાં જાગે છે? પૈસામાં, વિષયમાં જાગે છે. જગત આખું તાળો મેળવીને થાક્યું છે, કશું વળતું નથી. માટે તમને હું શું કહું છું કે, બધું ‘વ્યવસ્થિત છે. એટલે કે