SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] પ્રાકૃત ગુણો વિતાશ થઈ જશે ! આપણા પર જેની છાયા પડે, તેનો રોગ અવશ્ય પેસી જાય. આ હાફુસની કેરી ઉપરથી ગમે તેટલી રૂપાળી હોય, તેને આપણે શું કરવાનું ? ગમે તેટલા ગુણ હોય તોય શું કરવાનું ? કોઈ કહે કે સાહેબ, આનામાં આટલા બધા ગુણો છે, ગુણધામ છે ને ? ત્યારે વીતરાગોએ શું કહ્યું ? આ ફર્સ્ટ કલાસ ગુણધામ તો છે. પણ તે કોના આધીન છે ? એના પોતાને આધીન એ ગુણો નથી. પિત્ત, વાયુ ને કફને આધીન છે. આ ત્રણેય ગુણો જો વધી જાય તો તેને સસ્નેપાત્ત થશે ને તને ગાળો દેશે ! અક્ષરેય કોઈને ગાળ કે અપશબ્દ ના કહે એવો માણસ સત્ત્તપાત થાય ત્યારે શું કરે ? એટલે ભગવાને કહ્યું કે, એક જ ગુંઠાણામાં આ બધા જ પૌદ્ગલિક ગુણો ફ્રેકચર થઈ જાય એવા એ વિનાશી છે. તું કમાણી કરી કરીને કેટલા દહાડા કરીશ ? અને ત્રિદોષ થતાં જ બધા સામટા ખલાસ થઈ જશે ! દુ:ખ માણસથી સહન ના થાય એટલે મગજમાં ક્રેક પડે. એને સન્નપાત ના કહેવાય, પણ ક્રેક કહેવાય. આપણને એમ થાય કે આવું કેવું બોલે છે ? ત્યારે આપણે કહીએ કે આ એન્જિનને ક્રેક પડેલી છે, તેને દાદા પાસે વેલ્ડિંગ કરાવી લેજે. નવા એન્જિનનેય ક્રેક પડી જાય ! આપ્તવાણી-૬ દુ:ખ સહન ના થાય ને સાચો પુરુષ હોય તો ક્રેક થાય, નહીં તો નફફટ થાય. નફફટ કરતાં ક્રેક સારા, ક્રેકને તો અમે વેલ્ડિંગ કરી આપીએ એટલે એન્જિન ચાલુ થઈ જાય છે. બધાં નવાં જ એન્જિનો, લેંકેશાયરમાંથી આણેલાં, પણ હેડ ક્રેક થયેલાં તે ચાલે શી રીતે ? આ માણસોનેય હેડમાં ક્રેક પડી જાય. તે તૃતીયમ્ જ બોલે. આપણે પૂછીએ શું ને એ બોલે શું ?! ૯૪ એટલે આ ગુણોની કશી કિંમત જ નથી. બાસમતીનો સુંદર ભાત હોય પણ તેનું બીજા દહાડે શું થાય ? ગંધાઈ ઊઠે ! તે આ પૌલિક ગુણો ગંધાઈ ઊઠશે. શેઠ બહુ દયાળુ દેખાય પણ કો'ક દહાડો નોકર પર ચીડાય, ત્યારે નિર્દયતા નીકળે. તે આપણાથી જોવાય નહીં. માટે આ સમજવા જેવી વાત છે ! જ્ઞાતીની વિરાધના એટલે જ.... પ્રશ્નકર્તા : જ્ઞાનીની વિરાધના પૂર્વભવમાં કરી હોય તો એનું પરિણામ શું આવે ? આ બધાં લક્ષણો મારામાં છે તો એને ક્ષમા આપી શકાય કે એ ભોગવવું જ પડે ? દાદાશ્રી : જ્ઞાની તો એમની પોતે બધી દવા કરી જ દે. જ્ઞાની તો કરુણાળુ હોય. એટલે એ પોતાના હાથની સત્તાની હોય એટલી દવા તો પાઈ જ દે બધાને. પણ એમના સત્તાની બહારની વસ્તુ તો ભોગવ્યે જ છૂટકો છે. કારણ કે વિસર્જન કુદરતના હાથમાં છે. પ્રશ્નકર્તા : વિરાધનાનો પસ્તાવો થયા કરે છે. દાદાશ્રી : એનો પસ્તાવો થાય, દુઃખ વેઠે, ભોગવવું પડે, અસમાધિ થયા કરે, એનો પાર જ ના આવે. એ છોડે જ નહીં ને ? પ્રશ્નકર્તા : એનો પાર જ નહીં આવે એમ, દાદા ? દાદાશ્રી : પાર નહીં આવે એનો અર્થ એ કે એ કંઈ બે-ચાર દહાડામાં ખાલી થઈ જાય એવી વસ્તુ ના હોય. કોઈ માણસની આ રૂમ જેવડી ટાંકી હોય ને કોઈની આખા ‘બિલ્ડિંગ' જેવડી ટાંકી હોય. એમાં શું ફેર નહીં હોય ?
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy