________________
આપ્તવાણી-૪
૧૨૧
૧૨૨
આપ્તવાણી-૪
હાય, હાય શું કર્યા કરો છો ? આ તો આખો દહાડો કામ, કામ, હાય, હાય, કર્યા કરે; જાણે લાકડામાં કોઇ દહાડો જવાનું ના હોય એમ માનીને કર્યા કરે ! હા, પાંચસો, હજાર વર્ષ સુધી લાકડાંમાં ના જવાનું હોય તો તો આપણે જાણીએ કે ‘હાય, હાય, છો કરે. હજુ બિચારાને હજાર વર્ષો કાઢવાનાં છે!! આ તો ઠામઠેકાણું નથી કે જ્યારે લાકડામાં જવાનું છે, કયારે ‘ફેઇલ થઇ જાય તે કહેવાય નહીં ! આમ સ્કૂલમાં બધામાં પાસ થયેલા, પણ આમાં ફેઇલ થઇ જાય !
સાયા ધર્મની સમજ !
કઈ રીતે કરવાં ?” ત્યારે હું તેમને સમજ પાડું છું કે, ‘દર્શન કરતી વખતે તમારે જોડાને એમ કહેવું કે ‘દાદા ભગવાનની આજ્ઞાથી તને કહું છું કે તું વહેલી તકે જજે અને ના જવું હોય તો રહેજે એમ કરીને દર્શન કરવાં. દર્શન કરીને આવીએ ને જોઇએ કે જોવા ગયા તો જાણવું કે જોડો નાતરે ગયો, ને રહે તો પહેરી લેવા. બેઉ બગાડવું નહીં. પચાસ-સો રૂપિયા હારુ શું ભગવાન જોડે બગાડ કરવો ?
પ્રશ્નકર્તા : પણ આ તો દરરોજનું છે ને ? દાદાશ્રી : દરરોજ ના જાય. આ તો એને ભડક છે. પ્રશ્નકર્તા : જાય એવું છે ?
દાદાશ્રી : બહુ વિચાર કરે ને, તેના જ જાય છે. મારા જેવા વિચાર નથી કરતા તેના જોડા એમ ને એમ પડી રહેલા હોય છે ! જાય જ નહીં, કાયદો છે, ધર્મ રક્ષણ કરે.
પ્રશ્નકર્તા : શ્રદ્ધા રાખે તો ધર્મ રક્ષણ કરે ?
દાદાશ્રી : શ્રદ્ધા શી રીતે રહે ? જયાં દાનત જ ખોટી ત્યાં આગળ શ્રદ્ધા શી રીતે રહે ? દાનત ચોખ્ખી જોઇએ ક્ષત્રિયોની જેમ. ભગવાન ક્ષત્રિય હતા ને ? ચોખ્ખી દાનતવાળા તો જોડાને કહે કે, ‘તારે જવું હોય તો જજે, હું તો ભગવાનનાં દર્શન કરવા જઉં છું’ અને તમારે તો આ જોઇએ ને તેય જોઇએ !
જન્મ પહેલાં તે મૂઆ પછી.....
રોજ રોજ ધર્મ કરે, પણ આખો દહાડો હાયવોય, હાયવોય કર્યા કરે ! ભગવાને કહ્યું કે ધર્મ તેનું નામ કે ધર્મ થઇને પરિણામ પામે. આટલું જ જો ભક્તો બધા સમજતા હોય તો તરત વિચારમાં પડી જાય કે બળ્યું, ધર્મ થઈને પરિણામ તો પામતો નથી. સો મણ સાબુ ઘાલીએ, પણ લૂગડું એવું ને એવું રહે. ત્યારે બળ્યું એ સાબુ ખોટો કે ઘાલનારો ખોટો કે લૂગડું ખોટું ? એટલું ને એટલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થયા કરે તો ના સમજીએ કે કંઇક ભૂલ રહી જાય છે ?
આર્તધ્યાન ને રૌદ્રધ્યાનની સમજ પડે છે ને તમને ?
પ્રશ્નકર્તા : ના, નથી સમજાતું, જરા સમજાવો.
જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પછી ચાલશે અટકે ના કોઈ દી” વ્યવહાર રે,
સાપેક્ષ સંસાર રે......." - નવનીત શું કરવાનું બાકી રહ્યું છે તમારે હવે ? જન્મ પહેલાંય ચાલતો હતો ને મૂઆ પછીય ચાલશે. આ તો વગર કામના રોકાઇ ગયા છો કે મારે ચલાવવાનો છે ! એવું છેને, કે આ ચાલ્યા કરે છે ને ચાલ્યા કરશે. તમ તમારે ખાઓ પીઓ ને સૂઇ જાવ. આરામથી જરા જૂહુ ફરી આવો. આમ
દાદાશ્રી : રાત્રે અગિયાર વાગે પાંચ જણ તમારે ઘેર મહેમાન થઇ ને આવે ત્યારે મહીં કંઇ અસર થાય છે ?
પ્રશ્નકર્તા: એ તો આવનાર ઉપર આધાર રાખે છે. ગમતા મહેમાન હોય તો કશું ના થાય ને અણગમતા મહેમાન આવે તો મનમાં થાય કે આ અત્યારે કયાંથી આવ્યા ?
દાદાશ્રી : તે ગમતા મહેમાનને જોઇને આનંદ થાય તેય આર્તધ્યાન છે ને નાગમતા મહેમાન ને જોઇને મહીં ‘આ કંઇથી આવ્યા” એવું થાય તેય આર્તધ્યાન કહેવાય. મહેમાન આવે એટલે મહીં કંટાળો આવે, પણ