SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૦૭ ૧૦૮ આપ્તવાણી-૪ દાદાશ્રી : એ અનુકંપા પણ કુદરતી છે, પણ પાછો અહંકાર કરે કે, “મેં કેવી અનુકંપા કરી !' અહંકાર ના કરે તો કોઈ વાંધો નથી. પણ અહંકાર કર્યા વગર રહે નહીંને ? પ્રશ્નકર્તા: આ જગતની સેવામાં પરમાત્માની સેવાનો ભાવ લઇ ને સેવા કરે એ ફરજમાં આવેને ? દાદાશ્રી : હા. એનું ફળ પુણ્ય મળે, મોક્ષ ના મળે. પ્રશ્નકર્તા એનો શ્રેય સાક્ષાત્કારી પરમાત્માને સોંપી દે તોય મોક્ષ ના મળે ? દાદાશ્રી : એમ ફળ સોંપી દેવાય નહીંને કોઇથી. પ્રશ્નકર્તા : માનસિક સમર્પણ કરીએ તો ? દાદાશ્રી : એ સમર્પણ કરે તો કોઇ ફળ લે નહીં ને કોઈ આપેય નહીં. એ તો ખાલી કહેવા માટેનું સમપર્ણ છે. એનું ફળ પોતાને જ મળે છે. કુદરતને ઘેર એવો ન્યાય છે કે ‘ભોગવે તેની ભૂલ.' પ્રશ્નકર્તા : ‘હું કરું છું” એ ભાવ છૂટી જાય તો ? દાદાશ્રી : કર્તા ભાવ છૂટી જાય ને સ્વરૂપ જ્ઞાન થઇ જાય તો કર્મ બંધાતું નથી. દાદાશ્રી : હા. આ કુદરતનું કામ છે. કોઇ આમાં કશું નથી કરતા બિચારા ! આ ‘વ્યવસ્થિત' કરાવડાવે છે. આ લડાઇઓ, ‘વૉર' બધું કુદરતી છે. તમને જો સંસાર ના ગમતો હોય તો અકર્તા થઇને ‘જ્ઞાની પુરુષ'ના કહ્યા પ્રમાણે રહો તો ઉકેલ આવી જાય. આમાં કોઇની સત્તા નથી, સંડાસ જવાની સત્તા ‘વર્લ્ડ’માં કોઇની નથી. જયારે કુદરતમાં સંયોગો હશે તો જ બધું થશે. પ્રશ્નકર્તા : આ જગત તો ‘લક્ઝરીયસ’ બનતું જાય છે, જડ થતું જાય છે. દાદાશ્રી : ક્યાં સુધી ‘લક્ઝરીયસ’ નહોતા ? જ્યાં સુધી કશું જોયું નહોતું ત્યાં સુધી જ. એટલે આ જોયા વગરનાં નિર્મોહી હતા. આ ગામડામાં જોયું જ નહોતું ને ? પ્રશ્નકર્તા : ન મળે બ્રહ્મચારી હતા, એવું ? દાદાશ્રી : અત્યારે જે મોહ દેખાય છે તે જોવાનો મોહ છે અને આ મોહમાંથી જ્ઞાન ઉત્પન્ન થયું છે. ઠોકરો ખાઇ ખાઇ ને દમ નીકળી ગયો છે ને તે મોહમાંથી વૈરાગ જન્મ્યો છે. શું તવી જ સમાજરચતા ?! પ્રશ્નકર્તા : જગતમાં કેટલાક લોકો લોકોને મારે છે, કાપે છે ને નવી સમાજરચના ઊભી કરે છે તે પછી શું થશે ? દાદાશ્રી : આ દરિયો છે, એ દરિયામાં હુમલાઓ થાય છે એ તમે જોયેલા કે ? મોટાં મોટાં માછલાં, સો-સો મણનાં, દસ-દસ મણનાં મહીં મહીં લડે છે એ બધું જોયેલું તમે ? પ્રશ્નકર્તા : બસ, એવી જ લડાઇઓ ચાલુ જ રહેવાની એમ ?
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy