________________
આપ્તવાણી-૪
છે.
પ્રશ્નકર્તા : ધંધામાં નફો થાય તો ?
દાદાશ્રી : એવી કોઇ વૃતિ જ નહીં. નફાનો વિચાર જ નથી આવ્યો, બધું સહજપણે થાય. કોઇ પણ જાતની ઇચ્છા જ નહીં, આ નિરીચ્છક દશા થઇ છે !
પ્રશ્નકર્તા : આપની આવી દશા કયારથી થઇ છે ?
દાદાશ્રી : આમ તો જીવન આખું ધર્મધ્યાનમાં જ ગયું છે, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન આપને પ્રગટ થયું તે આની પાછળ આપે કેટલી સાધના કરેલી ?
દાદાશ્રી : ‘આ’ તો અનંત અવતારની સાધનાનું ફળ છે, છતાં પણ આ અવતારમાંય સાધના ખરી. ઉપરાંત, માતાના સંસ્કાર ઘણા જ ઉત્તમ મળેલા.
પ્રશ્નકર્તા : આપે વ્રત, નિયમ, ઉપવાસ કરેલા ?
દાદાશ્રી : અમારે સમ ખાવા પૂરતોય ઉપવાસ નથી થયો. હા, આખી જિંદગી કાયમ ઉણોદરી તપ કરેલું. ચોવિયાર, ઉકાળેલું પાણી, કંદમૂળ બંધ વગેરે ખૂબ જ ‘સ્ટ્રિક્ટલી’ કરેલાં.
૧૯૫૮તું એ અદ્ભુત દર્શત !
પ્રશ્નકર્તા : આપને ૧૯૫૮માં સુરતમાં જે દર્શન થયું તે કેવું થયેલું ? દાદાશ્રી : આ દેહમાંથી જાણે છૂટા થઇ ગયા હોઇએ એવું લાગ્યું.
પ્રશ્નકર્તા : એ છૂટાપણું કેવું લાગેલું ?
દાદાશ્રી : ‘એબ્સોલ્યુટ’ છૂટું જ, એ દશા જુદી જ હતી ! તેનું વર્ણન થાય તેમ નથી !!
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા : એ ‘મોમેન્ટ’ હતી તેના પહેલાં આપને કંઇક લાગેલું કે કંઈક થવાનું છે ?
८०
દાદાશ્રી : શાંતિ ઘણી રહ્યા કરતી. પણ એ અહંકાર સાથેની શાંતિ કહેવાય, તે કામની નહીં. એ તો અજ્ઞાનીનેય રહે.
પ્રશ્નકર્તા : તે સમયે સ્ટેશન ઉપર આપનો આનંદ અનેરો હતો ?
દાદાશ્રી : જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદ બધા ગુણ સાથે છૂટો પડી ગયેલો. દેહમાં નહીં, વચનમાં નહીં, મનમાં નહીં એવો છૂટો પડી ગયેલો, એને જ્ઞાન લાધ્યું કહેવાય. જ્ઞાન એ જ આત્મા છે.
પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રગટ થયું પછી જ્ઞાન-પ્રકાશ એટલો જ રહે કે વધ્યા કરે ?
દાદાશ્રી : અમારે તો આ ‘અનુભવજ્ઞાન’ છે એમાં બે પ્રકારનો પ્રકાશ ના હોય, નિરતંર એક જ પ્રકારનો પ્રકાશ રહે, અમને આત્માનો સ્પષ્ટ અનુભવ હોય. જયાં સુધી આત્માનો સ્પષ્ટ અનુભવ ના હોય ત્યાં સુધી જ્ઞાન વધ્યા કરે, પણ સ્પષ્ટ અનુભવ થઇ જાય એટલે એ જ્ઞાન પૂરું થઇ જાય.
પ્રશ્નકર્તા : આધ્યાત્મિક ‘સ્ટડી’ કરનારો પૂર્ણતાએ પહોંચ્યો એની કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : એની વાણી વીતરાગ હોય, વાત વીતરાગ હોય, વર્તન વીતરાગ હોય. એની દરેક બાબતમાં વીતરાગતા હોય. ગાળ ભાંડે તોય વીતરાગતા અને ફૂલાં ચઢાવે તોય વીતરાગતા હોય. એમની વાણી સ્યાદ્વાદ હોય એટલે કે કોઇ ધર્મનું, કોઇ જીવનું પ્રમાણ ના દુભાય.
જ્ઞાતતી રીત ના હોય !
પ્રશ્નકર્તા : આપ મુક્તિમાં વિચરો છો પણ એ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઇ ?
દાદાશ્રી : તમારી પેઠ મને ઘણા લોકો પૂછે છે, ત્યારે મારે કહેવું