________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
ધ્યાતનાં પરિણામ !
ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય. તેમાં અહંકારની જરૂર નહીં ને ?
દાદાશ્રી : એમાં અહંકાર હોય કે ના હોય. નિર્અહંકારી ધ્યાતા હોય ને તો શુક્લધ્યાન ઉત્પન્ન થાય અને નહીં તો ધર્મધ્યાન થાય કે આર્ત કે રૌદ્રધ્યાન થાય.
પ્રશ્નકર્તા : એટલે ધ્યાતાપદ અહંકારી હોય કે નિર્અહંકારી હોય, પણ એનાં પરિણામ સ્વરૂપ જે ધ્યાન ઉત્પન્ન થાય તેમાં અહંકાર નથી ?
દાદાશ્રી : હા, અને શુક્લધ્યાન પરિણામ આવશે ત્યારે મોક્ષ થશે. પ્રશ્નકર્તા : ધ્યેય નક્કી થાય છે, તેમાં અહંકારનો ભાગ ખરો?
દાદાશ્રી : ધ્યેય અહંકાર જ નક્કી કરે છે. અને મોક્ષનો ધ્યેય અને ધ્યાતા નિર્અહંકારી, એટલે શુક્લધ્યાન કહેવાય.
પ્રશ્નકર્તા : ધર્મધ્યાનનાં ધ્યેયમાં અહંકારની સૂક્ષ્મ હાજરી ખરી ? દાદાશ્રી : ખરી. અહંકારની હાજરી વગર ધર્મધ્યાન થાય નહીં ને ? પ્રશ્નકર્તા : આર્ત, રૌદ્ર ને ધર્મધ્યાન એ પુદ્ગલ પરિણતિ કહેવાય
ધ્યાનનું ફળ આવે છે. રૌદ્રધ્યાનનું ફળ શું ? તો કે મહીં રાક્ષસી વૃતિઓ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : વૃતિ પ્રમાણે કર્મ થવાનાં ને ?
દાદાશ્રી : એ ખરું છે. પણ પહેલાં વૃતિઓ ક્યાંથી થાય છે ? ધ્યાનમાંથી. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન એ બધાં જાનવરમાં કે નર્કગતિમાં જાય એવાં ધ્યાન છે. પછી ત્યાં આગળ એને એ કર્મો ભોગવવાં પડે.
પ્રશ્નકર્તા: ‘શટ એટ સાઇટ’ પ્રતિક્રમણ કરે છે તે પણ એક જાતનું ધ્યાનનું પરિવર્તન જ છે ને ?
દાદાશ્રી : હા. એ ધ્યાનનું જ પરિવર્તન છે.
પ્રશ્નકર્તા: ‘શૂટ’ કર્યું એટલે એણે પુદગલને નષ્ટ કર્યું, જે ‘વ્યવસ્થિત’માં હતું તેમાં ડખલ કરી. તો બીજો જન્મ થાય તે કેવો આવે ?
દાદાશ્રી : એય એના જેવો ને જેવો જ આવે. જે લિંક છે એવી ને એવી જ આવે.
પ્રશ્નકર્તા : જે ‘શૂટ’ કરીને ફેરવી નાખે છે, તેનું એટલું જ આયુષ્ય
દાદાશ્રી : હા. એ પુદ્ગલ પરિણતિ કહેવાય અને શુક્લધ્યાન એ સ્વાભાવિક પરિણતિ છે.
પ્રશ્નકર્તા : એટલે શુક્લધ્યાન એ આત્માનું પરિણામ કહેવાય કે ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : શુક્લધ્યાન હોય તો એમાંથી જે કર્મો થશે તે સારાં થશે અને ધર્મધ્યાનમાં હોય તો એનાથી થોડાં ઊતરતાં થશે એ વાત ખરી ?
દાદાશ્રી : શુક્લધ્યાન હોય ને તો કર્મો ક્રમિક માર્ગમાં થાય નહીં; આ તો અક્રમ માર્ગ છે એટલે થાય છે. તેય પણ પોતાને કર્તાપણે નથી થતાં, નિકાલી ભાવે થાય છે. આ તો કર્મ ખપાવ્યા સિવાય ‘જ્ઞાન પ્રાપ્ત થયેલું છે ને ?
દાદાશ્રી : એ આયુષ્ય એનું અહીંયાં તૂટી જવાનું હતું, એટલે તે ઘડીએ તૂટવાનાં બધાં ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગાં થાય ને આયુષ્ય ઊડી જાય, ભમરડો ઝટપટ ફરી જાય !
આત્મધ્યાને જ સમાધિ !
પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય. બીજા ધ્યાન જે કરવા જાય છે એ તો કયે ગામ લઇ જશે તેનું ઠેકાણું નથી. એ તો એકાગ્રતા છે. ભગવાને શું કહ્યું કે, ખીચડીનું ધ્યાન રાખજે, ધણીનું ધ્યાન રાખજે,