________________
આપ્તવાણી-૪
૨૪૯ થાય છે એ જ કામ કરે છે. જો ‘ઇગોઇઝમ’ ‘ફ્રેક્ટર’ થઇ ગયો તો ખલાસ થઇ ગયું. આ અહંકાર કર્મ બાંધે છે ને કુદરત છોડે છે. “ટાઇમિંગ’ મળે. બીજાં ‘એવિડન્સીસ’ મળે ત્યારે કુદરત એ કર્મ છોડાવડાવે છે. એ કર્મ જયારે છૂટે છે ત્યારે ‘ઇગોઇઝમ” એને ભોગવે છે, ને પાછો એ નવું કર્મ બાંધે છે.
૨૫૦
આપ્તવાણી-૪ છો. દિવસે તો જાણે કે હું કર્મ બાંધું છું, પણ રાત્રેય બાંધો છો. કારણ કે ઊંઘમાં પણ ‘હું ચંદુલાલ છું’ એ ભૂલાતું નથી.
જ્ઞાત, ત્યાં કર્મબંધન જ નહીં !
પ્રશ્નકર્તા : કર્મ ના બંધાય તેનો રસ્તો શું ?
એ અહંકાર કોણ કાઢે ?
પ્રશ્નકર્તા: એટલે આપ એમ કહેવા માંગો છો કે આત્મા પુદ્ગલ થકી કર્મ બાંધે છે ને પુદ્ગલ થકી કર્મ છોડે છે ?
દાદાશ્રી : ના. એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છુટ્ટો જ છે, સ્વતંત્ર છે. આત્માના ઉપાધિભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે, ને તે જ કર્મ ભોગવે છે. ‘તમે છો શુદ્ધાત્મા', પણ બોલો છો કે “હું ચંદુલાલ છું.” જયાં પોતે નથી
ત્યાં આરોપ કરવો કે ‘હું છું' તે અહંકાર કહેવાય છે. પારકાના સ્થાનને પોતાનું સ્થાન માને છે એ ‘ઇગોઇઝમ’ છે. આ અહંકાર છૂટે એટલે પોતાના સ્થાનમાં અવાય.
પ્રશ્નકર્તા : અહંકાર પોતાના પ્રયત્નથી છૂટે કે કુદરતી રીતે છૂટે ?
દાદાશ્રી : સંપૂર્ણ ના છૂટે. સ્વપ્રયત્નથી અમુક હદ સુધી છૂટે. જેમ કપડાંમાંથી મેલ કાઢવા માટે સાબુથી ધૂઓ ત્યારે એનો મેલ મૂકતો જાય. સાબુનો મેલ કાઢવા માટે ટિનોપોલ નાખો તો ટિનોપોલ એનો મેલ મુકતો જાય. પણ છેલ્લો મેલ જાતે ના છૂટે. છેલ્લો મેલ કાઢવા “જ્ઞાની પુરુષ' જોઇએ. ત્યાં સુધી કુદરતી રીતે અથડાઇ અથડાઇને અહંકાર તૂટતો જાય.
દાદાશ્રી : સ્વભાવ ભાવમાં આવવું તે. ‘જ્ઞાની પુરુષ' પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે પછી કર્મ ના બંધાય. પછી નવાં કર્મો ‘ચાર્જ) ના થાય, જૂનાં ‘ડિસ્ચાર્જ થયા કરે.
પ્રશ્નકર્તા ઃ શરીરનો ખાવા-પીવાનો જે ધર્મ છે તેમાં જે કર્મો બંધાઈ રહ્યાં છે તે શી રીતે છૂટે ?
દાદાશ્રી : સ્વરૂપજ્ઞાન પછી કર્મ બંધાય જ નહીં. પછી ખાઓપીઓ, ફરો, ચશ્મા ઘાલો તોય ના બંધાય.
પ્રશ્નકર્તા : ખાવા-પીવામાં જીવોની હત્યા થાય છે ને ?
દાદાશ્રી : જયાં સુધી પોતે હિંસક છે ત્યાં સુધી દરેક ક્રિયામાં હિંસા રહેલી છે. “હું ચંદુલાલ છું” એ આરોપિત ભાવ છે, એ જ હિંસક ભાવ છે. અને જયાં પોતે આત્મા થયો, એટલે અહિંસક થયો ત્યાર પછી એને હિંસાનો દોષ લાગતો નથી. આ તો સ્વરૂપનું ભાન જ નથી તેથી નરી હિંસા જ છે. માત્ર દૃષ્ટિ ફેર કરવાની છે.
પ્રાયશ્ચિત, કર્મ હળવાં બંધાય !
અજ્ઞાત, ત્યાં અવિરત કર્મ બંધત !
પ્રશ્નકર્તા : અમે તો અત્યારે ક્ષણે ક્ષણે કર્મ બાંધતા જઇએ છીએ
પ્રશ્નકર્તા : આપણે હૃદયથી અહિંસક હોઇએ છતાં શરીરના ધર્મો, ફરજ બજાવતા જઇએ તો કર્મો ના બંધાય એમ આપનું કહેવું છે ?
દાદાશ્રી : ના, એ તો બંધાય. જયાં સુધી તમારામાં આરોપિત ભાવ છે કે ‘હું ચંદુલાલ છું અને તમારા મનમાં ભાવ છે કે “મારે હિંસા કરવી નથી.' છતાં થઇ જાય છે તો તેનું ફળ મળે ખરું, પણ કેવું મળે ? તમને નાનો પથ્થર વાગીને કર્મ પૂરું થાય. ને બીજાને એવો ભાવ છે કે ‘હિંસા
ને ?
દાદાશ્રી : ક્ષણે ક્ષણે એકલું જ નહીં, રાત્રે ઊંઘમાં હઉ કર્મ બાંધો