________________
આપ્તવાણી-૪
૧૯૫
૧૯૬
આપ્તવાણી-૪
આપણું મોક્ષનું કામ થાય. એ ના મળે તો કયાં સુધી ચલાવાય ? માન ભૂખ્યા હોય તો ચલાવી લેવાય. પણ લક્ષ્મીની ભીખવાળા, કીર્તિની, વિષયની ભીખવાળા ના ચલાવી લેવાય.
ને જવાબ આવે નહીં. શક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહિ. ‘એવરી ડે ફ્રાયડે' ને ‘ફ્રાયડે' જ હોય ! લોક આડગલીમાં પેસી ગયું છે! ભૂલથી તો સંસારેય સારો ના થાય તો મોક્ષ તો શી રીતે થાય ? ખરી રીતે તો તું પોતે મોક્ષસ્વરૂપ જ છો. તું જ પરમાત્મા છે, માત્ર ભૂલ વગરનું જ્ઞાન ને ભૂલ વગરની સમજણનું જ ભાન થવું જોઇએ. તમે શુદ્ધાત્મા તો છો જ, પણ તેનું ભાન થવું જોઇએ.
ભૂલ વગરનો થા !
આત્મામાં આત્મબુદ્ધિ એનું નામ મોક્ષ અને દેહમાં આત્મબુદ્ધિ એ સંસાર.
આ દૃષ્ટિ દૃશ્યમાં પડયા કરે છે, પણ કોઇ દહાડો દ્રષ્ટામાં પડતી
માત્ર મોક્ષનું જ તિયાણું !
નથી.
પ્રશ્નકર્તા : પણ ચર્મચક્ષુથી જેટલું દેખાય એટલું જ દેખાય ને ?
દાદાશ્રી : ચર્મચક્ષુથી દૃષ્ટિ દ્રષ્ટામાં પડે જ નહિ. એ તો દિવ્યચક્ષુ ઉત્પન્ન થાય ત્યારે દૃષ્ટિ દ્રષ્ટામાં પડે.
આત્મા જાણવા તો ખાલી વાતને સમજવાની છે. કરવાનું કંઇ જ નથી. એક જણ ભગવાનને પૂછે કે, “મારો મોક્ષ કયારે થશે ?” ત્યારે ભગવાને કહ્યું કે, તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. બોલો, હવે ભગવાને આમાં ખોટું શું કહ્યું?
પ્રશ્નકર્તા : બરાબર કહ્યું છે.
દાદાશ્રી : પછી પાછું એણે ભગવાનને પૂછયું કે, “જપ-તપ કરવામાં તેનું શું?” ત્યારે ભગવાને કહ્યું કે, “એ તો તારે જે દહાડે અજીર્ણ થયું હોય તે દહાડે ઉપવાસ કરજે. જપ-તપની અમારે શરત નથી. તારું જ્ઞાન અને સમજણ કોઇ પણ રસ્તે ભૂલ વગરનું કર એટલું જ અમારે જોઇએ.’ અત્યારે તમારે કેટલી બધી ભૂલો છે ? ‘હું ચંદુલાલ છું, આ બાઇનો ધણી છું, આ બાબાનો બાપો છું.” કેટલી બધી ભૂલો...ભૂલોની પરંપરા જ છે ! મૂળમાં જ ભૂલ છે ત્યાં શું થાય? એક રકમ વિનાશી છે ને એક રકમ અવિનાશી છે. હવે આ બેને ગુણવા જાય ત્યાર હોરી તો પેલી વિનાશી રકમ ઊડી જાય. એટલે ગુણાકાર કોઇ દિવસ થાય નહીં
પ્રશ્નકર્તા : એ સમજણ તમે આપો. એ ભાન કરવાની ઇચ્છા જાગૃત થઇ છે, એ માટે અહીં આવ્યા છીએ.
દાદાશ્રી : એ જ્ઞાન મેળવવા ભવોભવ ઇચ્છા હોય છે, પણ એ માટે સાચું નિયાણું કર્યું નથી. જો સાચું નિયાણું કર્યું હોય ને તો બધી પુણ્ય આમાં જ વપરાઇ જાય ને એ વસ્તુ મળે જ, નિયાણાનો સ્વભાવ શું છે કે તમારી જેટલી પુણ્ય હોય તે નિયાણા ખાતે જ વપરાય. તો તમારી કેટલીક પુણ્ય ઘરમાં વપરાઇ, દેહમાં વપરાઇ, મોટર-બંગલા, બૈરીછોકરાનાં સુખમાં વપરાઇ ગઇ છે. અમે માત્ર મોક્ષનું જ નિયાણું લઈને આવેલા તેથી બધું પાંસરું ચાલે છે. અમારે કંઇ અડચણ ના આવે. નિયાણાનો અર્થ શું કે એક જ ધ્યેય હોય કે આમ જ જોઇએ, બીજું કાંઇ નહીં ! નિયાણું તો મોક્ષે જવા માટે જ કરવા જેવું છે. ધ્યેય તો શુદ્ધાત્માનો ને નિયાણું એકલું મોક્ષનું. બસ, બીજું કંઈ ન હોવું ઘટે. હવે તો ભેટ માંડવાની છે, દઢ નિશ્ચય રાખવાનો કે મોક્ષે જ જવું છે. એ એક જ નિયાણું કરવાનું એટલે લાંબા અવતાર ના થાય. એક બે અવતારમાં છૂટી જવાય. આ સંસાર તો જંજાળ છે બધી !
મોક્ષ, સ્થાન કે સ્થિતિ ?
પ્રશ્નકર્તા : પણ મારે એ જાણવું હતું કે મોક્ષ એ જવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ છે કે મોક્ષ એ સ્થિતિ છે ?
દાદાશ્રી : મોક્ષ તો સ્વભાવ જ છે પોતાનો. તમારો સ્વભાવ જ