________________
સ્વરમણતા : પરરમણતા
૪૬૧
૪૬૨
આપ્તવાણી-૨
અક્કલ નથી’ એમ બધાને કહે. આ અક્કલનો કોથળો આવ્યો ! ભગવાને પુસ્તકમાં ચોખ્ખું ના કળાં છે કે કોઇની ઉપર ચિઢાઇશ નહીં, કોઈને દુઃખ દઇશ નહીં; પણ એનું એ જ કરે, પુસ્તકમાં શું આવું ચિઢાવાનું કહ્યું હોય? પણ જો એક પુસ્તક ખોવાઇ જાયને, જે પુસ્તક ચિઢાવાનું ના કહેનારું હોય તે જ પુસ્તક ખોવાઇ જાયને, તોય ચિઢાયા કરે ! આ બધાં રમકડાં રમાડે છે, પછી એ બૂમ પાડે એમાં શી ભલીવાર આવે ? શાસ્ત્રો કરોડ અવતાર વાંચ વાંચ કરેને તોય એ તો ઊલટો શાઓનાં બંધનમાં પડ્યો. પેલી સંસારની રમણતામાં પડ્યો તો એમાં બંધનમાં પડ્યો. ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી પાછો ઓલામાં ! પુસ્તકોય રમકડાં છે. આત્મા જાણવા માટે પુસ્તકો છે માટે એ હેતુ ખોટો નથી; પણ આત્માની રમણતા એ જ ખરી રમણતા છે, બીજી બધી પરરમણતા છે.
એક સાધુ આવેલા તે કહે કે, ‘મારે બિલકુલ, એક્ય પરિગ્રહ નથી, તો મારો મોક્ષ થશે ને ?” અમે કt, “ના, તમારો મોક્ષ નથી. જ્યાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. આ તો બધાં રમકડાંની રમણતામાં છે, શાસ્ત્રો વાંચે કે ક્રિયાકાંડ વગેરે કરે તે બધી રમણતા છે. પરિગ્રહ કંઇ નડતા નથી. પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે ! એવું નોંધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે.' તને જો સ્વરમણતા પ્રાપ્ત થઇ હોય તો પણને ૧૩૦૦ રાણીઓ ! અમને વાંધો નથી, તારી શક્તિ જોઈએ. સ્વરમણતા તને જો પ્રા થઇ તો તને શો વાંધો છે ? સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કોઇ પણ જાતનો વાંધો સ્પર્શ નહીં.
રમણતા : અવસ્થાતી તે અવિનાશીની આટલી ઝીણવટની વાતો લોકોને સમજાય નહીં, “આ સ્વરમણતા” અને ‘આ પરરમણતા' એવું કશું ભાન જ નહીં. બે જાતના માણસ : એક અવસ્થાઓમાં પડ્યા છે, એ પછી સાધુ હોય કે સંન્યાસી હોય, આચાર્ય હોય કે સૂરી હોય, બધાં અવસ્થાઓમાં પડેલા છે અને બીજા સ્વરૂપમાં પડેલા છે તે ‘દાદા'એ જેમને ‘સ્વરૂપનું જ્ઞાન’ આપ્યું ત્યાર પછી તે પોતાના સ્વરૂપમાં પડેલા છે.
અવસ્થાઓ વિનાશી છે, વિનાશી છે એટલે એકદમ કંઇ પા કલાકમાં વિનાશ થઇ જાય એવી નથી. કોઇ ત્રણ ક્લાક નભે, કોઇ ચાર કલાક નભે. જુવાની દસ વર્ષ કે પંદર વર્ષ નભે, પૈડપણ વીસ વર્ષ નભે. તે એમાં બાળપણ, યુવાની અને પૈડપણ એ ત્રણ અવસ્થા મોટી અને બાળપણમાંય કેટલી આવસ્થા ઊભી થાય. નાનો બે વર્ષનો હતો ત્યારે નાગો ફરતો હતો, કપડાં નહોતાં પહેરતો, તો તે ચાલતું હતું. પાંચ વર્ષનો થયો તે કપડાં બધાં પહેરાવે ત્યારે આવડાં રમકડાં માર્ગ અને અગિયાર વર્ષનો થાય ત્યારે પાંચ વર્ષના જ બાબાનાં રમકડાં આપીએ તો ના લે, “મારે તો બોલ ને બેટ જ જોઇએ” એમ કહેશે. ‘અલ્યા, કેમ રમકડાં બદલ્યાં ?” ત્યારે કહેશે, ‘મારી અવસ્થા બદલાઇ, હું મોટો ના થયો ?” અવસ્થા બદલાઇ તે મોટો થયો એ ! એમ કરતાં કરતાં એ ઠેઠ સુધી રમકડાં રમાડે. જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે. અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે, આકુળવ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ, નિરાકુળ રહે ! “જ્ઞાની પુરુષ' તમને અવસ્થાની રમણતામાંથી ઉઠાવી લઇ આત્મરમણતામાં બેસાડી દે, પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતરની આત્મરમતા કાયમ માટે ઉત્પન્ન થઇ જાય છે. ‘જ્ઞાની પુરુષ' શું ના કરી શકે ?
આત્માની રમણતા થઇ પછી કશું કામ બાકી રહેતું નથી, નહીં તો ત્યાં સુધી રમકડાં જ રમાડવા પડે ને ? કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં ? જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે ? કાં તો અંદર મૂકે; પણ અંદરનું ‘સ્વરૂપનું ભાન’ નથી એટલે ત્યાં સુધી પોતે બાકા રમકડાં રમાડે, નહીં તો ચિત્ત ભટક્યા કરે; તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે !
રમકડાં કોને કહેવાય ? જે ખોવાય તો દ્વષ થાય ને મળે તો રાગ થાય ! સામે એક ફેરો ‘જ્ઞાની પુરુષ’નો ભેટો થઇ ગયો ને સાંધો મળ્યો, આત્મા પ્રાપ્ત થઈ ગયો, ‘સ્વરૂપની રમણતામાં’ આવ્યો ત્યાર પછી રાગદ્વષ મટયો ને થઇ ગયો વીતરાગ ! નહીં તો ત્યાં સુધી પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં જ રમણતા ! એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઇ ગયો વીતરાગ !
- જય સચ્ચિદાનંદ