SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ રીયલ ધર્મ રીલેટિવ ધર્મ ૧૧ ૧૨ આપ્તવાણી-૨ ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને ‘પોતે’ છૂટો રહીને જુએ અને જાણે. જગત આખું રીલેટિવ ધર્મ પાળે છે. દેહના ધર્મ, વાણીના ધર્મ, મનના ધર્મ જ પાળે છે. દેહના ધર્મોને જ ‘પોતાનો ધર્મ છે” એમ માને છે. એ રીલેટિવ ધર્મ છે અને “આત્મા એ જ ધર્મ” માને છે, તે આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એ જ રીયલ ધર્મ છે, એ જ સ્વધર્મ છે, એ જ મોક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે, બીજા બધા પરધર્મ છે. તમારી મહીં ‘દાદા ભગવાન” બેઠા છે, એ જ ચેતન પ્રભુ છે. એ જ પરમાત્મા છે. એ જ અમારી મહીં પ્રગટ થયા છે ને તમારા પ્રગટ થવાના બાકી છે. આ તો ધર્મ નથી, અહીં તો કામ કાઢી લેવાનું છે. ક્યાં સુધી ધર્મશાળાઓમાં બેસી રહેવાનું? પોતાનું કામ કાઢી લેવાનું છે, એટલે શું કે “જ્ઞાની પુરુષ' પાસે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. ‘જ્ઞાની પુરુષ’ નો દીવો પ્રગટેલો છે તે “એને’ તમારો દીવો અડાડી દો, તો તમારો દીવો પણ પ્રગટી જાય. આ તો કો'ક કાળે “જ્ઞાની પુરુષ' પ્રગટ થાય, દસ લાખ વરસે અક્રમ ‘જ્ઞાનાવતાર” થાય ત્યારે કલાકમાં જ પોતાનો આત્મા પ્રગટ થઇ શકે તેમ બને. માટે જ “અમે' કહીએ છીએ કે તમારું કામ કાઢી લો. આ દેહ તો ‘પરપોટો” છે તે ક્યારે ફૂટે તે કહેવાય નહીં. મહીં બેઠા છે તે ‘દાદા ભગવાન” છે. ગજબના પ્રગટ થયા છે, પરમાત્માં પ્રગટ થયા છે, પણ જ્યાં સુધી આ પરપોટો હશે, આ દેહ હશે ત્યાં સુધી જ લોકોનું કલ્યાણ થઇ શકશે. કારણ કે અહીં પ્રગટેલા ‘દાદા ભગવાન' અમને વશ છે. ત્રણ લોકના નાથ અમને વશ થયા છે ! એમની પાસે વાચા નથી, હાથ-પગ નથી; તેથી અમને વશ થયા છે અને અમને કલ્યાણનું નિમિત્ત બનાવ્યા છે ! માટે અમે તો કહી છૂટીએ કે આ પરપોટો છે, ત્યાં સુધી કામ કાઢી લો. અહીં અમારી પાસે તો આત્મા એ જ ધર્મ છે. અહીંયાં તો અવિરોધ એવો રીયલ માર્ગ છે. જગતમાં રીલેટિવ માર્ગ ચાલે છે. જયાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, પોતે ચંદુલાલ છે, એમ માનીને શુભાશુભના માર્ગે ચાલવું; પછી ભલે આખી જિંદગી બધાંને ઓબ્લાઈઝ કરે, પણ એ રીલેટિવ ધર્મ પામ્યો કહેવાય અને માત્ર એક જ ક્ષણ જો રીયલ ધર્મ પાળ્યો તો તો મોક્ષ છે ! ભગવાને કળાં કે એક વખત આત્મા થઇને આત્મા બોલો તો કામ થશે, નહીં તો હું આત્મા છું અને દેહાદિ જંજાળ મારાં નથી,' એમ લાખ અવતાર બોલે તોય કશું વળે નહીં ! ભગવાન શું કહે છે ? હું ચંદુલાલ છું, તારી શ્રદ્ધામાં પણ એ જ છે, એ શ્રદ્ધા તૂટી નથી, એ જ્ઞાન તૂટ્યું નથી, એ ચારિત્ર્યય તૂટ્યું નથી. ને પછી બોલે કે, “હું શુદ્ધાત્મા છું.’ તો તો ક્યારેય મોક્ષ ના થાય. આ તો ‘હું ચંદુલાલ છું !' એ આરોપિત ભાવમાં રહીને “શુદ્ધાત્મા છું' એમ શી રીતે બોલાય ? જ્ઞાન દર્શનના આરોપિત ભાવો તૂટે ત્યારે સમ્યક્ ભાવમાં આવે, તો મોક્ષ થાય. રીલેટિવ ધર્મો શું કહે છે? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય. આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઇ ના ભરાય. કોઇને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય. પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોત તો તો આ કરોડાધિપતિઓ પાપ જન્મ થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉડાવી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે. ભગવાન શું કહે છે કે, તને જો ફળ ચાખવાનું પોષાતું હોય તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુ:ખ પોષાતું હોય તો પાપનું બી વાવજે; પણ બંને રીલેટિવ ધર્મ જ છે, રીયલ નહીં. રીયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઇએ. રીલેટિવ ધર્મોથી ભૌતિક સુખો મળે અને મોક્ષ ભણી પ્રયાણ થાય; જ્યારે રીયલ ધર્મથી મોક્ષ મળે. અહીં અમારી’ પાસે રીયલ ધર્મ છે. તેનાથી સીધો જ મોક્ષ મળી
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy