SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથના [ ૩૭ ] પાંચમી દશા | પ્રાકથન છROCRORDRORDROR * પ્રસ્તુત દશાનું નામ ચિત્ત સમાધિ છે. ચિત્તની પ્રસન્નતા, ચિત્તના પરમ આનંદને ચિત્ત સમાધિ કહે છે. ચિત્ત ધર્મ ધ્યાનમાં કે મોક્ષ માર્ગમાં તન્મય, સ્થિર બની જાય, તેને પણ ચિત્ત સમાધિ કહે છે. + દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમાધિના ચાર પ્રકાર છે– ઇંદ્રિયના શબ્દાદિ વિષયો તથા ભૌતિક પદાર્થો વગેરે દ્રવ્યોમાં ચિત્ત તન્મય બની જાય તે દ્રવ્ય સમાધિ છે; મનોહર ક્ષેત્ર વગેરેમાં ચિત્ત લીન બની જાય, તે ક્ષેત્ર સમાધિ છે; કોઈ કાળ વિશેષમાં ચિત્ત સમાહિત થઈ જાય, તે કાળ સમાધિ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં ચિત્ત એકાગ્ર બની જાય તે ભાવ સમાધિ છે. અકુશલ ચિત્તને રોકવાથી અને કુશલ ચિત્તની ઉદીરણાથી સહજ રીતે ભાવ સમાધિ ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગની આરાધના કરતાં સાધકના ચિત્તની નિર્મળતાથી અને સ્થિરતાથી તેને જે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે, તે ભાવસમાધિ છે. * પ્રસ્તુત દશામાં ભાવ સમાધિ પ્રાપ્ત કરવાની વિધિ, તેના સ્વરૂપાદિ તથા સમાધિથી પ્રાપ્ત અપૂર્વ લાભનું વર્ણન છે. પ્રથમ દશામાં અસમાધિના ૨૦ કારણોનું કથન છે અને આ દશામાં ભાવસમાધિ પ્રાપ્ત કરવાના ૧૦ ઉપાયો દર્શાવ્યા છે.
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy