SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ દશા-૪ ૨૯ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વાદ સમયે પોતાના શ્રુત અને બુદ્ધિ સામર્થ્યનો પ્રયોગ કરી સ્વમતનું સ્થાપન કરે છે, આ લોકોત્તરવાદ સામર્થ્ય ગણિની સંપત્તિ રૂપ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા— (૧) આત્મ વિદિત્વા વાદ પ્રયોક્તા :– ગણિ પોતાના પ્રમાણ, નયાદિ જ્ઞાનની નિપુણતા રૂપ સામર્થ્યને, વિદિત્યા– જાણીને, પ્રતિવાદીની માન્યતા, યોગ્યતા, તેના સામર્થ્ય(બળ)ને જાણીને વાદમાં પ્રયુક્ત થાય છે અર્થાત્ વાદમાં જોડાય છે. (૨) પરિષદ વિદિત્વા વાદ પ્રયોક્તા :– ગણિ પરિષદ-સભાને જાણીને અર્થાત્ આ સભા જાણકાર લોકોની છે, અજાણકાર લોકોની છે કે દુર્વિદગ્ધ-અણઘડ લોકોની છે ? આ સભા બૌદ્ધાદિ કયા મતવાદીઓની છે ? તે જાણીને તથા ઉપસ્થિત પરિષદની યોગ્યતા, રુચિ, ભાવના, આત્મ સન્માન અને પોતાની ક્ષમતાનું ધ્યાન રાખીને વાદ(પ્રવચન)નો વિષય નિશ્ચિત કરે છે. (૩) ક્ષેત્ર વિદિત્વા વાદ પ્રયોક્તા :– વાદ(ચર્ચા)નું ક્ષેત્ર આર્ય છે કે અનાર્ય છે ? તે ક્ષેત્રમાં રહેતા લોકો સુલભ બોધિ છે કે દુલર્ભ બોધિ ? વગેરે જાણીને તથા તે ક્ષેત્રનું વાતાવરણ, તે ક્ષેત્રવાસી લોકોનો વિચાર કરી વાદ કરે છે. (૪) વસ્તુ વિદિત્વા વાદ પ્રયોક્તા :– (૧) વાદના વિષય વસ્તુને જાણીને અર્થાત્ દ્રવ્યાનુયોગનો વિષય કઠિન છે કે નહીં ? તેનો વિચાર કરીને વાદ કરે (૨) વસ્તુ હેય, ઉપાદેય, ઉપેક્ષણીય ત્રણ પ્રકારની હોય છે, ક્રોધાદિ હેય(છોડવા યોગ્ય) છે, ક્ષમાદિ ઉપાદેય(ધારણ કરવા યોગ્ય) છે અને પરદોષ ઉપેક્ષણીય છે, તે જાણીને વાદનો પ્રયોગ કરે (૩) સાથે રહેતા બાલ, ગ્લાન(બીમાર), વૃદ્ધ, નવદીક્ષિત, તપસ્વી સાધુઓની ચિત્ત સમાધિનું ધ્યાન રાખીને શિષ્યોના હિતાહિતનો વિચાર કરીને અને વાદના પરિણામના લાભાલાભની તુલના કરીને વાદ કરે. જેમ વૈદ્ય રોગનું નિદાન કરી, પથ્ય ઔષધ આપે ત્યારે તે સફળ થાય છે તેમ ગણિ વાદના પ્રારંભમાં ઉપરોક્ત ચારે પ્રકારે પરીક્ષણ કર્યા પછી વાદમાં પ્રવૃત્ત થાય છે અને તે જ સંપૂર્ણ સફળતાને પ્રાપ્ત કરે છે. (૮) સંગ્રહ પરિજ્ઞા સંપદા ઃ ११ से किं तं संगहपरिण्णा संपया ? संगहपरिण्णा संपया चउव्विहा पण्णत्ता, तं जहा- बहुजणपाउग्गयाए वासावासेसु खेत्तं पडिलेहित्ता भवइ, बहुजणपाउग्गयाए पाडिहारिय-पीढ-फलग-सेज्जा - संथारयं ओगिण्हित्ता भवइ, कालेणं कालं समाणइत्ता अहागुरुं संपूएत्ता भवइ । से तं संगहपरिण्णासंपया । મવર, ભાવાર્થ:- પ્રશ્ન- સંગ્રહપરિક્ષા સંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- સંગ્રહપરિક્ષા સંપદાના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) વર્ષાકાળમાં અનેક મુનિઓને રહેવા યોગ્ય ક્ષેત્રનું પ્રતિલેખન કરવું (૨) અનેક મુનિઓ માટે પાઢીહારા પીઢ-બાજોઠ, ફલક-પાટ, પાટિયા, શય્યા-શરીર પ્રમાણ પથારી, સંસ્તારક-ઘાસ આદિનું અઢી હાથનું આસન ગ્રહણ કરવું. (૩) યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું અને કરાવવું. (૪)ગુરુજનોના યથાયોગ્ય સત્કાર, સન્માન કરવા. આ સંગ્રહ પરિજ્ઞા સંપદા છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહ સંપદાનું વર્ણન છે. અહીં સંગ્રહ શબ્દ સંગ્રહ અને ઉપગ્રહ, આ બંને ભાવનો
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy