________________
સુંદર સુવ્યવસ્થિત કરવા બદલ અંતરથી ખૂબ ખૂબ આભાર માનું છું.
આ આગમોના અનુવાદનું કાર્ય કરવામાં સહાયક બનનાર સહવર્તી મમ ગુભગિનીઓ પૂ. સુમનબાઈમ, પૂર્ણાબાઈમ, પૂર્વીબાઈ મ. નો પણ આ તકે આભાર માનું છું.
- ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રમુખ, ઉત્સાહી સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે દરેક આ અપૂર્વ વિરાટ સત્કાર્યને સફળ બનાવવા સક્રિય રહ્યા છે. આગમ પ્રત્યેના અહોભાવે શ્રી મુકુન્દભાઈ પારેખ, શ્રી મણીભાઈ શાહ, કુ. ભાનુબેન પારેખ વગેરેએ મુફ સંશોધન કરી, નેહલભાઈએ આગમ મુદ્રિત કરી, જે સહકાર આપ્યો છે તે બદલ સૌનો પણ આભાર માનું છું. અહો તારક જિનેશ્વર પરમાત્મા!
આપના આગમ ભાવોમાં નિશદિન આત્માની ઉજાગર દશાએ અપ્રમતભાવે અવગાહન કરતાં મારા અનંતાનંત કર્મોનો ક્ષય કરી આત્મ જાગૃતિએ આત્મ ભાવમાં લીન બની આપના અનંત ગુણોમાંવિલીન થઈ પરમાત્મ દશાને પામવા સમ્યક પુરુષાર્થ બનું એ જ અંતર આર.
આ આગમોના અનુવાદકાર્યમાં મારી અલ્પમતિની ક્ષમતાએ ક્ષયોપશમ અનુસાર લખતા જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય અને આગમ ભાવોની કંઈ આશાતાના થઈ હોય તો અનંતા સિદ્ધ ભગવંતો, ગુરુભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્...
પૂ. મુક્ત લીલમ ગુરુણીના સુશિષ્યા
સાધ્વી ડોલર
63