SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કંધ સૂત્રના આધારે મારા કહેવા પ્રમાણે તમારા સંયમ દેહની દસ અવસ્થા બદલાવી નરરત્નને શ્રમણરત્નની પ્રતિમા બનાવી ગુપ્તિના ગભારામાં તમને પ્રતિષ્ઠિત કરી જાગૃત દેવ કર્યા છે. ત્યારપછી બૃહત્કલ્પમાંથી લાવીને દેહની પૂજા કરીને પૂજનીક બનાવ્યા છે. હવે તમે નિગ્રંથ મહર્ષિ શ્રમણ વર્ગ તરીકે અને ઉપાસક પ્રતિમાથી શ્રમણોપાસક વર્ગ તરીકે પૂજનીય થઈ પંકાઓ છો. આ અવસ્થાનું પાલન, પોષણ વ્યવહાર સૂત્રના આધારે કેમ કરવું તેની સંક્ષિપ્ત માહિતી આપી દીધી છે. આ ચારિત્રનું ઘડતર જ્ઞાન, દર્શન, ચારિત્રને પૂર્ણ કે અપૂર્ણ રાખવું તે તમારી સ્વાધીનતા છે. રોજ રોજ પ્રક્ષાલન કરશો તો સિદ્ધાલયમાં જવા યોગ્ય બનતા રહેશો અને નહીં તો પ્રાયશ્ચિત્ત લીધા વિના શુદ્ધ નહિ થાઓ તો જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના કરી વિરાધક બની રહેશો એમ કહીને વિદાય લીધી. બાવીસ શિલ્પીઓ સાધક વર્ગની સેવા કરવા સદાયે સાથે જ રહ્યા, તેથી તે સાધક વર્ગની શ્રમણ પ્રતિમા શુદ્ધ, બુદ્ધ થઈ સિદ્ધ થવા ઉત્સુક રહેવા લાગી. નિરતિચાર સામાયિક ચારિત્ર પાળતા શુદ્ધિ કરતાં યથાખ્યાત ચારિત્રથી કેવળજ્ઞાન પામી કેવળી તરીકે પંદર કર્મભૂમિના વિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. કોઈ હજુ આચાર્ય-ઉપાધ્યાય સાધુ ભગવંતની રૂપે પંદર કર્મભૂમિનાં ક્ષેત્રમાં વિચરે છે. આ ત્રણ છેદ સૂત્રો પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેતાં લેતાં ચારિત્રને શુદ્ધ કરી રહ્યા છે. એવા અઢીદ્વીપની અંદર નરરત્ન શ્રમણ શ્રમણીની પ્રતિમારૂપે સમિતિ ગુપ્તિના અષ્ટ પ્રવચન માતાની ગોદમાં ત્રિરત્ન ઝુલી રહ્યા છે. તેઓ બે હજાર ક્રોડ, નવ હજાર ક્રોડ સાધુના રૂપમાં બિરાજી રહ્યા છે. આવી સુંદર શિલ્પ શાળામાં અમારી સાધક મંડળી ધર્મરથમાં બેસીને ગઈ હતી. પ્રવચન કુમારના પ્રવચન સાંભળી બાવીસ શિલ્પીની ધર્મ કળા જાણી અને શ્રમણ પ્રતિમા જોઈ અમે ધન્ય ધન્ય બની ગયા અને વિદેહ ક્ષેત્રમાં રહેલા સીમંધર સ્વામી આદિ વીસ વિહરમાન તથા સિદ્ધ થતાં અનેક કેવળી ભગવંતોને અમે ભાવ વંદન કરી નમી પડ્યા અને એક સાથે અમો સહુ ડોલી ઊઠ્યા, બોલી ઊઠ્યા મહાવિદેહ રૂડું નામ છે, સુંદર એવું ધામ છે, જ્યાં સીમંધર સ્વામી છે ચાલો પ્રભુજીને વંદના કરીએ આયાહીણ પયોહીણું કરો વંદામિ નમસ્લામિ બોલો સક્કરેમિ સમ્માણેમિકલ્યાણ. મંગલદેવયંચેઈયંપજૂવાત્સામિ.(૧) 49
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy