________________
વૃષ્ણિદશા વર્ગ–૫ : અધ્ય.-૧
પાંચમો વર્ગ : વૃષ્ણિદશા
અધ્ય.-૧ થી ૧૨ : નિષધાદિ
૧૪૭
અધ્યયન પ્રારંભ :
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं चउत्थस्स वग्गस्स पुप्फचूलियाणं अयमट्ठे पण्णत्ते, पंचमस्स णं भंते ! वग्गस्स वहिदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ :- શ્રી જંબૂસ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું– હે ભગવન્ ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રના ચોથા વર્ગ પુષ્પચૂલિકાનું આ રીતે નિરૂપણ કર્યું છે, તો હે ભગવન્ ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પાંચમા વર્ગ વૃષ્ણિદશામાં કયા ભાવોનું નિરૂપણ કર્યું છે ?
२ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं पंचमस्स वगस्स वहिदसाणं दुवालस अज्झयणा पण्णत्ता, તેં ગા
णिसढे मायणि वह वहे, पगया जुत्ती दसरहे दढरहे य ।
महाधणू सत्तधणू, दसधणू णामे सयधणू य ॥
ભાવાર્થ :- હે આયુષ્યમાન્ ! જંબૂ ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પાંચમા વૃષ્ણિદશા વર્ગના બાર અધ્યયન કહ્યાં છે, તેનાં નામ આ પ્રમાણે છે– (૧) નિષધ, (૨) માયની(માદની), (૩) વહ, (૪) વહે, (૫) પગયા(પ્રકૃતા), (૬) યુક્તિ, (૭) દશરથ, (૮) દઢરથ, (૯) મહાધન્વા, (૧૦) સપ્તધન્વા, (૧૧) દશધન્વા અને (૧૨) શતધન્વા.
३ जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं पंचमस्स वग्गस्स वण्हिदसाणं दुवालस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ :- હે ભગવન્ ! જો મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના વૃષ્ણિદશા નામના પાંચમા વર્ગના બાર અધ્યયન કહ્યાં છે, તો હે ભગવન્ ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ અધ્યયનમાં કયા ભાવોનું નિરૂપણ કર્યું છે ?