SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉદ્દેશક-૮ . ૩૩૭ ] આસન અને ચર્મ છેદનક પણ રાખે છે અર્થાતુ પોતાને જરૂરી, ઉપયોગી, ઉપકરણો તે રાખે છે, તેમાંથી ગોચરી જવા સમયે જે ઉપકરણોની જરૂર ન હોય તેને સુરક્ષિત સ્થાનમાં કોઈને સોંપીને જાય છે અને પાછા આવે ત્યારે આજ્ઞાપૂર્વક પાછા ગ્રહણ કરે છે. શય્યા સસ્તારકની આજ્ઞાવિધિ: ६ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चपि ओग्गहं अणणुण्णवेत्ता बहिया णीहरित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક(પાઢીહારા) લાવેલા શય્યા-સંતારક અથવા શય્યાતરના શયા-સંસ્મારક બીજીવાર આજ્ઞા લીધા વિના બીજે લઈ જવા કલ્પતા નથી. | ७ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता बहिया णिहरित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક(પાઢીહારા)શધ્યા-સંસ્મારક અથવા શય્યાતરના શય્યાસંસ્કારક બીજીવાર આજ્ઞા લઈને જ બીજે લઈ જવા કલ્પ છે. | ८ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा, सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णवेत्ता अहिट्टित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક શય્યા-સંસ્મારક અથવા શય્યાતરના શય્યા-સંસ્મારક (ગૃહસ્થને) પાછા સર્વથા સોંપી દીધા પછી બીજીવાર આજ્ઞા લીધા વિના કામમાં લેવા કલ્પતા નથી. | ९ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णवेत्ता अहिद्वित्तए। ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પ્રાતિહારિક શય્યા-સંતારક અથવા શય્યાતરના શય્યાસંસ્તારક(ગૃહસ્થને) સર્વથા પાછા સોંપી દીધા પછી બીજીવાર આજ્ઞા લઈને કામમાં લેવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પ્રાતિહારિક ઉપકરણોને અન્યત્ર લઈ જવા માટે ફરી આજ્ઞા લેવાની વિધિ દર્શાવી છે. पाडिहारियं सेज्जासंथारगं ગુહસ્થને ત્યાંથી યાચના કરીને લાવેલા પાટ-પાટલા વગેરે પ્રાતિહારિક શધ્યાસંસ્તારક છે. સાયિતિયં સેકંથા:- સાધુ જે મકાનમાં રહ્યા હોય, તે મકાનમાં જ કોઈ પાટ-પાટલા વગેરે પડ્યા હોય, તેનો ઉપયોગ પણ સાધુ શય્યાતરની આજ્ઞાપૂર્વક કરી શકે છે, શય્યાતરના શય્યા-સંસ્તારક છે. આ બંને પ્રકારના શય્યા-સંસ્તારક પાઢીહારા જ હોય છે. તે ઉપકરણો સાધુને પોતાની સાથે બીજા સ્થાનમાં લઈ જવા હોય, તો તેના માલિકની આજ્ઞા લેવી જરૂરી છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy