SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ** કાળ છે અને ભગવાન મહાવીર સ્વામીને, ગણધરોને તથા શાસ્ત્રકારોને બ્રહ્મચર્ય માટે ઘણા કડક નિયમો બતાવવા પડયા અને ચોથા મહાવ્રતની વિશેષરૂપે સ્થાપના કરી બ્રહ્મચર્યના બાહ્ય અને આત્યંતર, સૂક્ષ્મ અને સ્થૂલ, બધા આચરણો ઉપર પૂરું જોર આપવામાં આવ્યું અને જૈન પરંપરામાં અંતિમ તીર્થંકરના સમયના સાધકોને વક્ર અને જડ માનવામાં આવ્યા છે. જેથી તેઓને કડીબદ્ધ ઘણી અપેક્ષાઓએ ફેરવી ફેરવીને ગુપ્ત તથા વિવૃત્ત સૂચનાઓ આપવામાં જરાપણ કચાશ રાખવામાં આવી નથી છતાં પણ શાસ્ત્રકારો મહાદ્યુતના ધણી હોવાથી આવા વિષયોને બધા શાસ્ત્રોમાં જ્યાં ત્યાં ઉપદેશીને તેમની મહત્તા ઓછી ન થાય તેનું પૂરું ધ્યાન રાખીને આ વિષય માટે કેમ જાણે ચાર શાસ્ત્રો નક્કી કર્યા હોય; તેમ ફક્ત “નિશીથ સૂત્ર’ અને ‘ત્રણ છેદસૂત્ર’ને જ આવરી લીધા છે અને આ શાસ્ત્રો ગોપ્ય છે. એકાંત શિષ્યોને ઉપદેશ કરવા લાયક છે, તેવી પરંપરા ચાલી આવે છે. આજના પ્રકાશન યુગમાં અને પાઠક લોકોની સંખ્યા બહુ જ વધેલી છે તથા વિદ્યાલયો અને મહાવિધાલયોમાં બધા વિષયો ઉપર ઊંડું સંશોધન ચાલે છે. ઉપરાંત જનસમાજમાં પણ સાહિત્યની ઉપલબ્ધિને કારણે વાંચનની સંચ વ્યાપક બની છે ખાસ કરીને ધાર્મિક વર્ગ પોતાના શાસ્ત્રોને મૂળ આગમોને જાણવા માટે ઉત્કંઠિત છે. એવા સમયે । અમુક શાસ્ત્ર ગોપ્ય છે તેમ કહેવાથી પરિણામ વિપરીત આવે અને તેને જાણવા માટેની આકાંક્ષા તીવ્ર બને, તેથી આજના યુગમાં મૂળ આગમોનું પ્રકાશન રોકી શકાય તેમ નથી. આના અનુસંધાનમાં આ છેદ શાસ્ત્રોનું પ્રકાશન થઈ રહ્યું છે અને તે માટે કેટલુંક સ્વતંત્ર ચિંતન અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ, છતાં પણ આ શાસ્ત્રોની વિવૃત્ત આજ્ઞાઓ માટે મૌન રાખીને આજનો સભ્ય સમાજ પચાવી શકે તેવી બે ચાર વાતો લખશું. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. પ્રાચીન જૈન પરંપરાઓ નિયમાવલીની સાથે સાથે નિયમોનું ખંડન થતાં તેને પ્રાયશ્ચિત્ત આપવાની એક જબરજસ્ત પ્રક્રિયા ચાલતી હતી. અહીં શાસ્ત્રકારે ‘છેદ’ શબ્દનો ખાસ અર્થ બતાવ્યો નથી, પરંતુ ‘છેદ’ એક પ્રકારનું પ્રક્ષાલન છે. લાગેલા ડાધ કે મેલને ધોવાની એક માનસિક પ્રક્રિયા છે. મનથી ઉદ્ભવેલા દોષો મનને મનાવી લેવાથી મટતા નથી તેમજ તેનો પ્રભાવ પણ પડતો નથી પરંતુ દંડાત્મક-સજા માટે મનુષ્ય પોતે પગલું ભરે અથવા ગુરુ આજ્ઞાને માની દંડનો સ્વીકાર કરે તો મન પર અમુક અંશે તેની સ્થાયી અસર થાય છે. છેદ શાસ્ત્ર' આવા પ્રકારની દંડાત્મક વિધિથી ક્રિયાત્મક ખોટા આચરણોને સ્વચ્છ કરવા માટે પ્રભુની આજ્ઞારૂપે સાધુ-સંતોને આદેશ આપે છે. ‘પાપનું છેદન’ સચોટ વિપરીત ક્રિયાથી જ થઈ શકે છે. યોગશાસ્ત્રમાં પણ લખ્યું છે. વિત વાધને પ્રતિપક્ષમાવનું AB 24 100
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy