SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૦ ] શ્રી બૃહ૮૯૫ સૂત્ર ઉદેશક-૪ 222222PPPPPPP અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્ત સ્થાનઃ| १ तओ अणुग्घाइया पण्णत्ता, तं जहा- हत्थकम्मं करेमाणे, मेहुणं पडिसेवमाणे, राईभोयण भुजमाणे । ભાવાર્થ - ત્રણ વ્યક્તિ અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, જેમ કે– (૧) હસ્તકર્મ કરનાર (૨) મૈથુન સેવન કરનાર (૩) રાત્રિભોજન કરનાર. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં અનુદ્યાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ પ્રવૃત્તિનું કથન છે. જે દોષની શુદ્ધિ સામાન્ય તપથી થઈ શકે તેને ઉદઘાતિક પ્રાયશ્ચિત્ત કહે છે અને જે દોષની શુદ્ધિ વિશેષ તપથી જ થઈ શકે તેને અનુદાતિક પ્રાયશ્ચિત્ત કહે છે. હસ્તકર્મ કરનાર, મૈથુન સેવન કરનાર અને રાત્રિભોજન કરનાર સાધુ મહાપાપનું સેવન કરે છે, કારણ કે ઉપરોક્ત ત્રણ પ્રવૃત્તિઓમાંથી પ્રથમ બે પ્રવૃત્તિ કરનાર અબ્રહ્મ વિરમણ નામનાં ચોથા મહાવ્રતનો ભંગ કરે છે અને રાત્રિભોજન કરનાર રાત્રિ ભોજન વિરમણ નામનાં છટ્ટા વ્રતનો ભંગ કરે છે, તેથી તે ત્રણેય અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. ભગવતી સુત્ર શ. ર૫, ઉ. ૬ ઠાણાંગ સૂત્રના દસમા સ્થાનમાં તથા ઉવવાઈ સૂત્રમાં પ્રાયશ્ચિત્તના દશભેદ કહ્યા છે. તેમાં છઠ્ઠું તપ પ્રાયશ્ચિત્ત છે. તપ પ્રાયશ્ચિત – પ્રમાદ વિશેષથી, અનાચારનું સેવન કરવાથી ગુરુ દ્વારા આપેલા તપના આચરણને તપ પ્રાયશ્ચિત્ત કહે છે. તેના બે ભેદ છે – ઉદઘાતિમ–લઘુ તપ પ્રાયશ્ચિત્ત અને અનુદ્દઘાતિમ–ગુરુ તપ પ્રાયશ્ચિત્ત. આ બંનેના પણ માસિક અને ચાતુર્માસિકના ભેદથી બે-બે ભેદ છે. આ રીતે ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તના બે ભેદ થાય છે– (૧) લઘુમાસિક તપ અને (૨) લઘુચાતુર્માસિક તપ. તે જ રીતે અનુઘાતિક પ્રાયશ્ચિત્તના પણ બે ભેદ થાય છે– (૧) ગુરુમાસિક તપ અને (૨) ગુરુ ચાતુર્માસિક તપ. આચાર્ય આદિ શિષ્યની વ્રતભંગની પરિસ્થિતિ યથાર્થ રીતે જાણીને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે. ભાષ્યકારે વ્રતભંગની ત્રણ પરિસ્થિતિનું કથન કર્યું છે. યથા– (૧) રાજ્ય સત્તાના દબાણથી કે ભૂત-પ્રેતને વશ થઈને પરવશપણે થયેલો વ્રતભંગ (૨) પોતાની જ આતુરતાથી કરેલો વ્રતભંગ (૩) મોહનીય કર્મના પ્રબળતમ ઉદયને આધીન થઈને થયેલો વ્રતભંગ. આ ત્રણે પરિસ્થિતિમાં વ્રતભંગ થવાથી ક્રમશઃ પ્રાયશ્ચિત્તની માત્રા વધતી જાય છે. ઉઘાતિક અને અનુઘાતિક પ્રાયશ્ચિત્તમાં અપાતા તપ રૂપ કે દીક્ષા છેદ રૂપ પ્રાયશ્ચિત્તનું પ્રમાણ નિશીથ સૂત્રના આધારે જાણવું.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy