SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૩ . ૧૭૩ ] વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં ગૃહસ્થોને ત્યાં ગોચરી ગયેલા સાધુને ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે.. - સાધુ જે પ્રયોજનથી ગૃહસ્થના ઘેર ગયા હોય, તે પ્રયોજન પૂર્ણ થતાં સાધુએ ગૃહસ્થના ઘેરથી તુરંત નીકળી જવું જોઈએ. ગૃહસ્થના ઘેર ગૃહસ્થને ઉપદેશ આપવો, ધર્મચર્ચા કરવી યોગ્ય નથી. ગૃહસ્થને ત્યાં અધિક સમય રોકાવાથી લોકોને મુશંકા થાય, ગૃહસ્થની પોતાની પ્રવૃત્તિઓ સ્થગિત થઈ જતાં સાધુ પ્રતિ અણગમો થાય, ગૃહસ્થની કાર્યવાહી નિહાળીને સાધુના ચિત્તમાં અનેક સંકલ્પ-વિકલ્પ થાય છે, સાધુનું ચિત્ત ક્ષભિત થાય વગેરે અનેક દોષોની સંભાવના હોવાથી સાધુએ ગૃહસ્થના ઘેર ઊભા રહીને કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કરવો ઉચિત નથી. ક્યારેક કોઈ ગૃહસ્થ જિજ્ઞાસા પ્રગટ કરે તો પણ ઊભા-ઊભા જ અત્યંત અલ્પ શબ્દોમાં તેનો ઉત્તર આપીને બહાર નીકળી જવું જોઈએ. આ પ્રકારના વ્યવહારથી જ સાધુના સંયમની સુરક્ષા તથા શાસન પ્રભાવના થાય છે. શય્યાસંસ્મારક પાછા આપવાનો વિવેકઃ२४ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारियं सेज्जा-संथारयं आयाए अपडिहटु संपव्वइत्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીએ ગૃહસ્થ પાસેથી ગ્રહણ કરેલા પ્રાતિહારિક શય્યા-સંસ્તારક તેના માલિકને સોંપ્યા વિના અન્ય ગામમાં જવું કલ્પતું નથી. | २५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियसंतियं सेज्जा-संथारयं आयाए अविकरणं कटु संपव्वइत्तए । कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियसंतियं सेज्जासंथारयं आयाए विकरणं कटु संपव्वइत्तए ।। ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ શય્યાતર પાસેથી ગ્રહણ કરેલા શય્યા-સંતારકને વ્યવસ્થિત, યથાસ્થાને મૂક્યા વિના બીજે ગામ જવું કલ્પતું નથી. સાધુ-સાધ્વીઓએ શય્યાતર પાસેથી ગ્રહણ કરેલા શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત યથાસ્થાને મૂકી બીજે ગામ જવું કલ્પ છે. २६ इह खलु णिग्गंथाण वा णिग्गंथीण वा पाडिहारिए वा सागारियसंतिए वा सेज्जासंथारए विप्पणसेज्जा । से य अणुगवेसियव्वे सिया । से य अणुगवेसमाणे लभेज्जा, तस्सेव पडिदायव्वे सिया । से य अणुगवेसमाणे णो लभेज्जा, एवं से कप्पइ दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । ભાવાર્થ- સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થ પાસેથી લાવેલા પ્રાતિહારિક અથવા શય્યાતરના શય્યા
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy