SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાથના | ૧૪૭] ઉદ્દેશક-ર પ્રાકક્શન BROPORODROOR * આ ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીને રહેવા યોગ્ય સ્થાન તથા શય્યાતરપિંડની ગ્રાહાતા-અગ્રાહ્યતાનું વિવિધ વિકલ્પોથી વિસ્તૃત વર્ણન છે અને અંતે સાધુ-સાધ્વીને કલ્પનીય વસ્ત્ર અને રજોહરણનું કથન છે. * જે મકાનમાં ધાન્ય વેરાયેલું હોય તેમાં સાધુ-સાધ્વીએ રહેવું કલ્પતું નથી. ધાન્યના વ્યવસ્થિત ઢગલા હોય તો ત્યાં માસકલ્પ રહી શકે છે અને ધાન્ય ડબ્બામાં ભરેલું હોય, તે ડબ્બા સીલબંધ હોય કે કોથળામાં ભરેલું હોય અને જ્યાં ગમનાગમનમાં જીવ વિરાધનાની સંભાવના ન હોય, ત્યાં ચાતુર્માસ રહી શકે છે. * જે મકાનમાં દારૂના ઘડા અથવા અચિત્ત ઠંડા અથવા ઉષ્ણ પાણીના ઘડા ભરેલા હોય, અગ્નિ દીપક આખી રાત બળતા હોય, તો ત્યાં સાધુ-સાધ્વીએ રહેવું ન જોઈએ, અન્ય મકાનના અભાવમાં એક અથવા બે રાત્રિ રહી શકાય છે. * જે મકાનમાં ખાધ પદાર્થના વાસણો વેર-વિખેર પડ્યા હોય ત્યાં રહેવું ન જોઈએ, તે ખાદ્ય પદાર્થો વ્યવસ્થિત રાખેલા હોય તો માસકલ્પ અને તે પદાર્થો સીલબંધ હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. * ધર્મશાળા અને અસુરક્ષિત સ્થાનોમાં સાધ્વીઓએ રહેવું ન જોઈએ. અન્ય સ્થાનના અભાવે સાધુ ત્યાં રહી શકે છે. * જે શયા-સ્થાનના અનેક સ્વામી હોય તો, એકની આજ્ઞા લઈને તેને શય્યાતર તરીકે સ્થાપિત કરીને અન્યના ઘરેથી આહારાદિ ગ્રહણ કરી શકાય છે. * શય્યાતરનો આહાર શય્યાતરની માલિકીનો હોય કે અન્યને આપી દેવાથી શય્યાતરની માલિકીનો ન હોય તો પણ શય્યાતરના ઘરમાં લેવો કલ્પતો નથી. શય્યાતરનો આહાર શય્યાતરના ઘરની બહાર શય્યાતરની માલિકીનો હોય તો લેવો કલ્પતો નથી અને શય્યાતરના ઘરની બહાર અન્યને આપી દેવાથી અન્યની માલિકીનો થઈ જાય તો તે આહાર અન્ય ગૃહસ્થ પાસેથી લેવા કહ્યું છે. * સાધુ-સાધ્વી શય્યાતરનો આહાર અન્યને અપાવે અને તેના આહાર સાથે મિશ્રિત કરાવે અર્થાત્ અન્યના ઘેર મૂકાવે તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. * શય્યાતરને ત્યાં બીજાનો આવેલો-આહતિકા આહાર આદિ શય્યાતર સ્વીકારે તે પહેલા લઈ શકાય છે અને શય્યાતરે બીજાને ત્યાં મોકલેલો-નિહતિકા આહાર બીજા સ્વીકારી લે, શય્યાતરની માલિકી છૂટી જાય ત્યાર પછી લઈ શકાય છે. * અનેક વ્યક્તિની સંયુક્ત માલિકીવાળા આહારાદિમાંથી શય્યાતરની માલિકીનો અંશ(ભાગ) સંપૂર્ણ જુદો થઈ ગયા પછી વધેલા આહારમાંથી ગ્રહણ કરવા કહ્યું છે પરંતુ શય્યાતરનો અંશ-ભાગ પણ સંપૂર્ણપણે જુદો થયો ન હોય તો તેમાંથી ગ્રહણ કરવો કલ્પતો નથી. * શય્યાદાતાના પૂજ્ય પુરુષોને સર્વથા અર્પણ કરેલા આહારમાંથી ગ્રહણ કરવા કહ્યું છે પરંતુ તે આહાર “પ્રાતિહારિક દેવાયેલો હોય તો તેમાંથી લેવું કલ્પતું નથી તથા તે આહાર શય્યાદાતાના અથવા તેના પારિવારિક સદસ્યોના હાથથી પણ લેવો કલ્પતો નથી. * સાધુ-સાધ્વીઓ પાંચ પ્રકારના વસ્ત્ર અને પાંચ પ્રકારના રજોહરણમાંથી કોઈપણ જાતના વસ્ત્ર, રજોહરણ ગ્રહણ કરી શકે છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy