SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉદ્દેશક-૧ ૧૪૫ ] ४७ णो कप्पइ णिग्गंथीए एगाणियाए राओ वा वियाले वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमित्तए वा पविसित्तए वा । कप्पइ से अप्पबिइयाए वा अप्पतइयाए वा अप्पचउत्थीए वा राओ वा वियाले वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमित्तए वा पविसित्तए वा । ભાવાર્થ :- સાધ્વીને રાત્રે અથવા વિકાલમાં ઉપાશ્રયની બહાર Úડિલ ભૂમિ અથવા સ્વાધ્યાય ભૂમિમાં એકલા આવવું-જવું કલ્પતું નથી, પોતે બીજા, પોતે ત્રીજા કે પોતે ચોથા અર્થાતુ અન્ય એક, બે અથવા ત્રણ સાધ્વીઓને સાથે લઈને એટલે બે, ત્રણ કે ચાર સાધ્વીઓએ સાથે મળીને રાત્રે અથવા વિકાસમાં ઉપાશ્રયની બહાર સ્પંડિલ ભૂમિ અથવા સ્વાધ્યાય ભૂમિમાં જવું-આવવું કલ્પ છે. વિવેચન : - પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને રાત્રે સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં એકલા જવાનો નિષેધ કર્યો છે. ઉપાશ્રયની અંદર અને ઉપાશ્રયની બહાર સો હાથના ક્ષેત્રની ગણના ઉપાશ્રયની સીમામાં થાય છે, તેનાથી દૂરના ક્ષેત્રમાં જવા માટે સૂત્રમાં દયા શબ્દનો પ્રયોગ કર્યો છે. એકલા જવામાં અનેક વિપત્તિઓ અને આશંકાઓની સંભાવના રહે છે, જેમ કે– અત્યંત મોહના ઉદયથી અથવા સ્ત્રીના ઉપસર્ગથી પરાજિત થઈને એકલો સાધુ બ્રહ્મચર્યનું ખંડન કરી શકે છે. સર્પ આદિ ઝેરી જીવો ડંખ મારે, મૂછના કારણે ઠોક્કર લાગવાથી પડી જાય, ચોર ગ્રામરક્ષક આદિ પકડે, આદિ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં એકલા હોય તો મુશ્કેલી ઊભી થાય, તેથી ઉપાશ્રયની સીમાની બહાર રાત્રિમાં એકલા સાધુએ ઈંડિલભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જવું ન જોઈએ. ઉપાશ્રયની સીમામાં જવાથી ઉક્ત દોષોની સંભાવના પ્રાયઃ રહેતી નથી. સામાન્ય રીતે સાધુને ઈર્યાસમિતિના પાલનપૂર્વક જ ગમન કરવાનું હોવાથી રાત્રે ઉપાશ્રયની બહાર જવાનો નિષેધ છે પરંતુ ક્યારેક સાધુઓની સંખ્યા વધારે હોય અને મકાન નાનું હોય અથવા ઉપાશ્રયમાં સ્વાધ્યાય થઈ શકે તેમ ન હોય તો રાત્રે સ્વાધ્યાય માટે અન્યત્ર જઈ શકાય છે, તે જ રીતે સ્થડિલભૂમિમાં પણ રાત્રે જઈ શકાય છે. અનિવાર્ય પરિસ્થિતિમાં રાત્રે બહાર જવું પડે, તો એકલા જવું યોગ્ય નથી. ભાષ્યકારે આ સૂત્રના અપવાદનું કથન કર્યું છે. ક્યારેક બે કે ત્રણ સાધુ હોય, એકાદ સાધુ બીમાર હોય, એક સાધુને સેવા માટે ઉપાશ્રયમાં રહેવું જરૂરી હોય, બે સાધુ સાથે બહાર જઈ શકે તેમ ન હોય ત્યારે અનિવાર્ય સંયોગમાં સાધુને ઉપાશ્રયની બહાર જવું પડે, તો બીજા સાધુને સૂચન કરીને સ્વયં સાવધાની પૂર્વક એકલા જઈ શકે છે પરંતુ સાધ્વીને કોઈ પણ પરિસ્થિતિમાં એકલા જવું કલ્પતું નથી. વિશિષ્ટ પરિસ્થિતિમાં કોઈ બહેનને સાથે લઈને જઈ શકે છે. આર્યક્ષેત્રમાં વિચરણ:४८ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पुरत्थिमेणं जाव अंगमगहाओ एत्तए, दक्खिणेणं जाव कोसम्बीओ एत्तए, पच्चत्थिमेणं जाव थूणाविसयाओ एत्तए, उत्तरेणं जाव कुणालाविसयाओ एत्तए । एयावयाव कप्पइ, एयावयाव
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy