SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉદ્દેશક-૧ [ ૧૩૯ ] કષાયરહિત થવામાં પોતાના સંયમની આરાધના છે અને ઉપશાંત ન થવામાં પોતાના સંયમની વિરાધના છે. ઉપશાંત ભાવ કેળવવો, તે જ શ્રમણપણાનો સાર છે. તેમાં સ્વ-પર બંનેને લાભ છે. વિહાર વિવેકઃ| ३५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा वासावासासु चारए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને વર્ષાઋતુમાં વિહાર કરવો કલ્પતો નથી. |३६ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં વિહાર કરવો કહ્યું છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને માટે વર્ષાઋતુમાં એક સ્થાને સ્થિર રહેવાનું અને ગ્રીષ્મ કે હેમંત ઋતુમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરવાનું કથન છે. સાધુ-સાધ્વીના પ્રત્યેક આચાર-વિચારનું લક્ષ સ્વ-પર દયા અર્થાતુ અહિંસાધર્મની આરાધના છે. વર્ષાઋતુમાં ઘાસ, અંકુર, ક્ષુદ્ર જીવજંતુઓની ઉત્પત્તિ વિશેષ થાય છે, તે સમયે ગમનાગમન કરવાથી તે જીવોની વિરાધના થાય છે. નદી-નાળા પાણીથી ભરાઈ જાય, તો તેને પાર કરવામાં તકલીફ થાય છે, વિહારમાં અચાનક વરસાદ આવે, તો ઉપધિ ભીની થઈ જાય અને અપ્લાયિક જીવોની વિરાધના થાય છે. આ રીતે વર્ષાઋતુમાં વિહાર કરવાથી વિવિધ પ્રકારે વિરાધનાની સંભાવના હોવાથી સાધુ-સાધ્વીને વિહાર કરવાનો નિષેધ છે. એક સ્થાનમાં રહેવાથી સ્નેહ જન્ય અનેક દોષોની સંભાવના હોવાથી ચાતુર્માસ પછી આઠ મહિના સુધી સાધુ-સાધ્વીને વિચરણ કરવાનું કથન છે. વિચરણ કરવામાં સંયમની ઉન્નતિ, ધર્મપ્રભાવના, બ્રહ્મચર્ય સમાધિ અને સ્વાથ્ય લાભ થાય છે તથા જિનાજ્ઞાનું પાલન થાય છે. આ રીતે સાધુ-સાધ્વીએ આઠ માસમાં વિહાર કરવામાં કે ચાતુર્માસમાં એક સ્થાને રહેવામાં સંયમ ધર્મની આરાધના જ છે. વૈરાજ્ય કે વિરુદ્ધરાજ્યમાં ગમનાગમન:३७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा वेरज्ज-विरुद्धरजंसि सज्जंगमणं, सज्ज आगमणं सज्ज गमणागमणं करेत्तए । जो खलु णिग्गंथो वा णिग्गंथी वा वेरज्ज-विरुद्धरज्जंसि सज्जं गमणं सज्जं आगमणं सज्ज गमणागमणं करेइ, करेंतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ- સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં વારંવાર જવું, વારંવાર આવવું, વારંવાર જવું-આવવું કલ્પતું નથી. જે સાધુ અથવા સાધ્વી વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં વારંવાર જાય છે, વારંવાર આવે છે. વારંવાર આવાગમન કરે છે, તેમ કરનારને અનુમોદના કરે છે. તે તીર્થકર અને રાજા બંનેની આજ્ઞાનું અતિક્રમણ કરે છે અને અનુઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy