SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૧ [ ૧૩૭] પ્રતિબદ્ધ સ્થાનો - ३० णो कप्पइ णिग्गंथाणं पडिबद्ध सेज्जाए वत्थए । ભાવાર્થ- સાધુઓને પ્રતિબદ્ધ સ્થાનમાં રહેવું કલ્પતું નથી. ३१ कप्पइ णिग्गंथीणं पडिबद्ध सेज्जाए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને પ્રતિબદ્ધ સ્થાનમાં રહેવું કલ્પ છે. વિવેચન : ભાષ્યકારે પ્રતિબદ્ધ ઉપાશ્રય એટલે સાધુને રહેવાના સ્થાનનું સ્વરૂપ દ્રવ્ય અને ભાવથી સમજાવ્યું છેવિક :- પ્રતિબદ્ધ શયા-સ્થાન. તેના બે પ્રકાર છે. (૧) દ્રવ્યપ્રતિબદ્ધ સ્થાન (૨) ભાવપ્રતિબદ્ધ સ્થાન. (૧) જે સ્થાન અને ગૃહસ્થના ઘર વચ્ચે એક ભીંત હોય તે દ્રવ્યપ્રતિબદ્ધ સ્થાન છે. દ્રવ્ય પ્રતિબદ્ધ સ્થાનમાં સ્વાધ્યાય આદિના ધ્વનિથી ગૃહસ્થને અને ગૃહસ્થના કાર્યોના અવાજથી સાધુને સ્વાધ્યાયાદિમાં સ્કૂલના થાય છે આ રીતે પરસ્પર એક-બીજાના કાર્યોમાં વ્યાઘાત થાય છે. (૨) ભાવપ્રતિબદ્ધ ઉપાશ્રયના ચાર પ્રકાર છે– ૧. જ્યાં સ્ત્રીઓ અને સાધુઓને વડીનીત અને લઘુનીત માટે જવાનું સ્થાન એક હોય. ૨. જ્યાં સ્ત્રીઓ અને સાધુઓને બેસવાનું સ્થાન એક હોય. ૩. જ્યાંથી સહજ રીતે સ્ત્રીઓનું રૂપ દેખાતું હોય. ૪. જ્યાં બેસવાથી સ્ત્રીના વચનો સંભળાતા હોય વગેરે સ્થાન ભાવ પ્રતિબદ્ધ સ્થાન છે. ભાવપ્રતિબદ્ધ સ્થાન સંયમ અને બ્રહ્મચર્યના ભાવોમાં બાધક બને છે, તેથી સાધુ-સાધ્વીએ દ્રવ્ય કે ભાવપ્રતિબદ્ધ સ્થાનમાં રહેવું યોગ્ય નથી. સાધ્વી માટે સુત્રોક્ત આ વિધાન અપવાદ સ્વરૂપ છે કારણ કે સાધ્વીજીએ ગૃહસ્થની નિશ્રાયુક્ત સ્થાનમાં જ રહેવાનું હોય છે. ક્યારેક નિશ્રાયુક્ત અપ્રતિબદ્ધ સ્થાન ન મળે ત્યારે સાધ્વીજીએ પ્રતિબદ્ધ સ્થાનમાં અત્યંત વિવેકથી રહેવું જોઈએ. પ્રતિબદ્ધમાર્ગવાળા સ્થાનો - |३२ णो कप्पइ णिग्गंथाणं गाहाव-कुलस्स मज्झमझेणं गंतुं वत्थए । ભાવાર્થ- સાધુઓને પ્રતિબદ્ધ માર્ગવાળા-ગૃહસ્થના ઘરની મધ્યમાં થઈને જવા આવવાનો રસ્તો હોય તેવા સ્થાનમાં રહેવું કલ્પતું નથી. |३३ कप्पइ णिग्गंथीणं गाहावइ-कुलस्स मज्जमज्झेणं गंतुं वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને ગૃહસ્થના ઘરની મધ્યમાં થઈને આવવા-જવાનો રસ્તો હોય તેવા સ્થાનમાં રહેવું કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનમાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. ક્યારેક સાધુ-સાધ્વીને રહેવાનું સ્થાન અપ્રતિબદ્ધ હોય પરંતુ તેના ગમનાગમનનો માર્ગ ગૃહસ્થના માર્ગથી સંબંધિત હોય, ગૃહસ્થના ઘરમાંથી જવા-આવવાનો રસ્તો હોય, તો તે સ્થાન પ્રતિબદ્ધ માર્ગવાળું સ્થાન
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy