SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ દશા–૧૦ ૧૦૯ अपडिक्कंते जाव आगमेस्साए दुल्लहबोहिए यावि भवइ । एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्मं पडिसुणित्तए । ભાવાર્થ:સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું પણ ભવિષ્યમાં આ પ્રકારના સ્ત્રી સબંધી ભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. હે આયુષ્માન સાધુઓ ! તે નિગ્રંથ નિદાન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામે તો યાવત્ આગામી ભવમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્માન શ્રમણો ! આ નિદાનનું આ પ્રકારનું પાપકારી પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિત ધર્મને સાંભળી શકતો નથી. (૪) નિગ્રંથીઓનું પુરુષ થવાનું નિદાન અને તેનું ફળ ઃ १८ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणं अंत करेंति । जस्स णं धम्मस्स णिग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी जाव पुरा दिगिंछाए जाव सा य परक्कममाणी पासेज्जा से जे इमे उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया जाव जं पासित्ता णिग्गंथी णिदाणं करेंति- दुक्खं खलु इत्थित्तणए दुस्संचाराइं गामंतराई जाव सण्णिवेसंतराई । से जहाणामए अंबपेसियाइ वा अंबाडगपेसियाइ वा मातुलिंगपेसियाइ वा उच्छुखंडियाइ वा संबलिफालियाइ वा बहुजणस्स आसायणिज्जा पत्थणिज्जा पीहणिज्जा अभिलसणिज्जा । एवामेव इत्थिया वि बहुजणस्स आसायणिज्जा जाव अभिलसणिज्जा तं दुक्खं खलु इत्थित्तणए, पुमत्तणए णं साहु । ભાવાર્થ:- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. ૧ અને ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યુ છે, આ નિગ્રંથ ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમી જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરીષહોથી પીડિત, સંયમી જીવનમાં ઉદિત કામ-મોહ સહિત પરાક્રમ કરતી સાધ્વી પુરુષને જોઈને વિચારે છે કે– આ પુરુષ વિશુદ્ઘ માતૃ-પિતૃપક્ષવાળો, ઉગ્રવંશી અથવા ભોગવંશી યાવત્ તેની સેવામાં રહેલા અનેક સેવકો તેને પૂછે છે, હે દેવાનુપ્રિય ! આપને શું જોઈએ છે ? આપના માટે અમે શું લાવીએ ? ઇત્યાદિ. તે પુરુષના સુખ વૈભવને જોઈને તે નિગ્રંથી નિદાન કરે છે કે સ્ત્રીનું જીવન અત્યંત દુઃખમય અને કષ્ટમય છે. સ્ત્રીઓને એક ગામથી બીજા ગામમાં, એક સંનિવેશથી બીજા નિવેશમાં ગમનાગમન કરવું અત્યંત કઠિન છે. જે રીતે કેરીની ચીર, બિજોરાના ટુકડા, કોઠાના ટુકડા, શેરડીના ટુકડા અને શાલ્મલીની શીંગ, ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, પ્રાર્થનીય, ઇચ્છનીય અભિલષણીય છે, તે રીતે સ્ત્રીનું શરીર પણ ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, અભિલષણીય છે, તેથી સ્ત્રીનું જીવન દુઃખમય છે અને પુરુષનું જીવન સુખમય છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy