SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दंसणं कंखति, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दंसणं पीहेइ, जस्स णं देवाणुपिप्या ! सेणिए राया दंसणं पत्थेइ, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया दंसणं अभिलसइ, जस्स णं देवाणुप्पिया ! सेणिए राया णामगोत्तस्सवि सवणयाए हट्ठतुट्ठ जाव विसप्पमाणहियए भवइ । सेणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव सवण्णू सव्वदरिसी पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे इहमागए इह संपत्ते, इह समोसढे, इहेव रायगिहे जगरे बहिया गुणसिलए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ | ५८ तं गच्छाम णं देवाप्पिया ! सेणियस्स रण्णो एयमट्टं णिवेदेमो- 'पियं भे भवतु' त्ति कट्टु अण्णमण्णस्स वयणं पडिसुर्णेति, पडिसुणेत्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता रागगिह-णगरं मज्झमज्झेणं जेणेव सेणियस्स रण्णो गि जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं करयलं परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धावेति, वद्धावित्ता एवं वयासीजस्स णं सामी ! दंसणं कखइ जाव से णं समणे भगवं महावीरे गुणसिलए चेइए जाव विहरइ । एयण्णं देवाणुप्पियाणं पियं णिवेदेमो । पियं भे भवतु । I ભાવાર્થ :- તે કાલે અને તે સમયે ધર્મની આદિ કરનારા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં યાવત્ તપ-સંયમથી આત્માને ભાવિક કરતાં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા તે સમયે રાજગૃહ નગરના ત્રિકોણ-ત્રણ રસ્તા મળતા હોય, ચોક-ચાર રસ્તા મળતા હોય, ચાર મુખવાળા સ્થાનોમાં, રાજમાર્ગોમાં, ભગવાન પધાર્યાની ચર્ચા(કોલાહલ) થવા લાગી. પરિષદ દર્શન કરવા ગઈ યાવત લોકો હાથ જોડી વિનયપૂર્વક પ્રભુની પર્વપાસના કરવા લાગ્યા. તે સમયે શ્રેણિક રાજાના પ્રમુખ અધિકારીઓ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આદક્ષિણા-પ્રદક્ષિણા પૂર્વક ત્રણવાર વંદન નમસ્કાર કરીને ભગવાનના નામ-ગોત્ર પૂછીને સ્મૃતિમાં ધારણ કર્યા અને એકત્રિત થઈને એકાંત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પરમાં આ પ્રમાણે વાતચીત કરી. હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા જેમના દર્શનની ઇચ્છા રાખે છે, જેમના દર્શનની સ્પૃહા કરે છે, જેમના દર્શનની પ્રાર્થના કરે છે, જેમના દર્શનની અભિલાષા સેવે છે, જેમનું નામ-ગોત્ર સાંભળતા જ ખૂબ પ્રસન્ન થાય છે, તે ધર્મના આદિકર, તીર્થંકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમથી સુખપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરતા અહીં પધાર્યા છે, અહીં આવ્યા છે, અહીં બિરાજમાન થયા છે, અહીં રાજગૃહનગરની બહાર ગુણશીલઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ-ઉતરવાની આજ્ઞા ગ્રહણ કરી, સંયમ તપથી આત્માને ભાવિત કરતાં બિરાજમાન છે. હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણિકરાજા પાસે જઈએ અને તેમને નિવેદન કરીએ કે આપના આ પ્રિય સમાચાર છે. પરસ્પરની ચર્ચા વિચારણાના અંતે એકમત થઈને તેઓ રાજગૃહનગરમાં આવ્યા, નગરની
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy