SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ભાવાર્થ:જે વ્યક્તિ અનેક પ્રાણીઓને એક ઘરમાં કે ભવનમાં બાંધીને કે પૂરીને અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાથી ગુંગળાવીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીજું મહામોહ બંધસ્થાન છે. सीसम्म जो पहणइ, उत्तमंगम्मि चेयसा । विभज्ज मत्थयं फाले, महामोहं पकुव्वइ ॥४॥ ८८ ભાવાર્થ :જે વ્યક્તિ કલુષિત ચિત્તથી(મારવાના કુવિચારથી) પ્રાણીના માથા પર શસ્ત્રથી પ્રહાર કરી, માથાને ફોડે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોથુ મહામોહ બંધ સ્થાન છે. सीसा वेढेण जे केइ, आवेढेइ अभिक्खणं । तिव्वासुभसमायारे, महामोहं पकुव्व ॥ ५ ॥ ભાવાર્થ:જે વ્યક્તિ તીવ્ર અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના માથા પર ભીનું ચામડું વીંટીને, અનેક આંટા દઈ ચામડું વીંટીને મારે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પાંચમું મહામોહ બંધ સ્થાન છે. पुणो- पुणो पणिहीए, हणित्ता उवहसे जणं । फलेण अदुव दंडेणं, महामोहं पकुव्वइ ॥६॥ ભાવાર્થ :જે મલિન મનથી કોઈ વ્યક્તિને મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. કોઈ વ્યક્તિ ગાંડા-ભોળા આદિ મનુષ્યોને ઇરાદાપૂર્વક બીલા આદિ કઠોર ફળથી, દંડ આદિથી મારીને ઉપહાસ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ છઠ્ઠું મહામોહ બંધસ્થાન છે. અસત્ય-કપટજન્ય મહામોહ બંધના ચાર સ્થાનોઃ गूढाया णिहिज्जा, मायं मायाए छायई । असच्चवाई णिण्हाई, महामोहं पकुव्वइ ॥७॥ ३ ભાવાર્થ :જે વ્યક્તિ છૂપી રીતે અનાચારનું સેવન કરીને, માયા-કપટ કરીને તેને છૂપાવે, અસત્ય બોલે અને સૂત્રોના યથાર્થ અર્થોને છૂપાવે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સાતમું મહામોહબંધ સ્થાન છે. धंसेइ जो अभूएणं, अकम्मं अत्तकम्पुणा । अदुवा तुमकासित्ति, महामोहं पकुव्वइ ॥८॥ ભાવાર્થ:- જે વ્યક્તિ નિર્દોષ વ્યક્તિ પર ખોટા આક્ષેપો મૂકી કલંકિત કરે, પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે છે અથવા તેં જ આ કાર્ય કર્યું છે, આ રીતે દોષોનું આરોપણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ આઠમું મહામોહ બંધસ્થાન છે. जाणमाणो परिसाए, सच्चामोसाणि भासइ । અન્લીન-ફાડ્યે સેિ, મહામોઢું પશુબરૂ ॥૬॥ ભાવાર્થ:ઉત્તેજિત કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ નવમું મહામોહ બંધસ્થાન છે. अणायगस्स णयवं, दारे तस्सेव धंसिया । विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ॥१०॥ જે વ્યક્તિ ભરી સભામાં જાણી જોઈને મિશ્રભાષા બોલે, અસત્ય ભાષણ દ્વારા કલહને
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy