SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ | દશા-૬ ૧ | નિરતિચાર પાલન કરે છે. ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, પરંતુ તેમાં સામાયિક અને દેશાવગાસિકવ્રતનું યથાવિધ સમ્યક પાલન કરી શકતા નથી. તે અનુકંપા વગેરે ગુણોથી યુક્ત હોય છે. આ પડિમાની આરાધનાનો સમય બે મહિનાનો છે. આ પ્રતિમામાં ઉપાસક ૧૨ વ્રતોની સમ્યક આરાધના માટે યોગ્યતા મેળવી લે છે, તો પણ સામાયિક અને દેસાવગાસિક (નવમા-દસમા શિક્ષાવ્રત) વ્રતોનું યથાકાલમાં સમ્યક અનુપાલન કરી શકતા નથી. (૩) સામાયિક પ્રતિમા :- સમ્યગુદર્શન અને વ્રતોની આરાધના કરનારા સાધક સામાયિક પ્રતિમા સ્વીકારીને હંમેશાં નિયમથી ત્રણ સામાયિક કરે છે. આ પડિમામાં સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યકરૂપે પાલન કરે છે, પરંતુ આઠમ, ચૌદશ તથા પૂનમ વગેરે વિશિષ્ટ દિવસોમાં પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે આરાધના કરી શકતા નથી. તન્મયતા અને જાગૃતિ સાથે સામાયિક વ્રતની ઉપાસના કરવી તે જ આ પ્રતિમાનો મૂળ હેતુ છે. આ આરાધનાની અવધિ(કાળ) ત્રણ મહિનાની છે. (૪) પૌષધ પ્રતિમા :- પહેલી, બીજી અને ત્રીજી પ્રતિમાથી આગળ વધતાં આરાધક પૌષધ પ્રતિમા સ્વીકારીને આઠમ, ચૌદસ વગેરે છ પર્વતિથિઓના દિવસે પૌષધવ્રતનું પૂર્ણરૂપે પાલન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય ચાર મહિનાનો છે. (૫) કાયોત્સર્ગ પ્રતિમા :- કાયોત્સર્ગનો અર્થ કાય અથવા શરીરનો ત્યાગ છે. શરીર તો જીવનપર્યત સાથે જ રહે છે. તેના ત્યાગનો અભિપ્રાય તેની આસક્તિ અથવા મમતા છોડવાનો છે. કાયોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર, વસ્ત્ર વગેરેનાં મમત્વને છોડીને પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ અને ચૌદસે એક અહોરાત્રિ કાઉસ્સગ્ન અથવા ધ્યાનની આરાધના કરે છે. આ પડિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે. () બ્રહ્મચર્ય પ્રતિમા - આ પ્રતિમામાં પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. આ પ્રતિમાધારી શ્રાવક માટે સ્ત્રીઓને અનાવશ્યક મળવું, વાતચીત કરવી, તેના શણગારને જોવા વગેરે ક્રિયાઓ વર્જિત છે. ઉપાસક સ્વયં પણ શણગાર, વેશભૂષા વગેરે ઉપક્રમથી દૂર રહે છે, સ્નાન કરતા નથી. ધોતીની પાટલી બાંધતા નથી, રાત્રિભોજન કરતા નથી. પરંતુ તેઓ સચિત્ત આહારનો ત્યાગ કરતા નથી, કારણવશ સચિત્તનું સેવન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ છ મહિનાનો છે. (૭) સચિરાહારવર્જન પ્રતિમા :- પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા, પરિપૂર્ણ બ્રહ્મચર્યનું અનુસરણ કરતા, ઉપાસક આ પ્રતિમામાં સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરે છે, પરંતુ તેઓ આરંભનો ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ સાત મહિનાનો છે. (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા – પૂર્વોક્ત સર્વ નિયમોનું પાલન કરતા આ પ્રતિમામાં ઉપાસક સ્વયં આરંભ અથવા હિંસા કરતા નથી. આરંભ કરવાનો પૂર્ણ ત્યાગ કરે છે, પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ આઠ મહિના છે. (૯) પ્રખ્યત્યાગ પ્રતિમા – પૂર્વવર્તી પ્રતિમાઓના સર્વ નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં આરંભનો ત્યાગ કરે છે. તેઓ સ્વયં આરંભ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી પરંતુ પોતાના ઉદ્દેશથી બનાવેલા ભોજનનો તે ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિના છે.
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy