SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર ચોથું પ્રકરણ પ્રથમ અનુયોગદ્વાર - ઉપક્રમનો નિક્ષેપ અનુયોગના ચાર દ્વાર :| १ तत्थ पढमज्झयणं सामाइयं । तस्स णं इमे चत्तारि अणुओगद्दारा भवंति, तं जहा- उवक्कमे, णिक्खेवे, अणुगमे, णए । ભાવાર્થ :- આ છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક અધ્યયન છે, તેના આ ચાર અનુયોગદ્વાર છે– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય. વિવેચન : આ સૂત્રમાં સામાયિકના ચાર અનુયોગદ્વાર બતાવ્યા છે. આ આગમનો વણ્ય વિષય આવશ્યકનો અનુયોગ છે' કાવત્સલ્સ અyયોનો (પ્રકરણ–૧, સૂત્ર-૫) તે આવશ્યકના અનુયોગનો પ્રારંભ તેના પ્રથમ અધ્યયન સામાયિકથી પ્રારંભ કરે છે. પર્વવવવ પુખ અક્ષય વિસ્તાર આ સૂત્ર રરના નિર્દેશાનુસાર સૂત્રકાર ચાર અનુયોગથી આવશ્યકના પ્રથમ અધ્યયનની વિચારણાનો પ્રારંભ કરે છે. તાત્પર્ય એ છે કે સૂત્ર ૭ની પ્રતિજ્ઞાનુસાર ક્રમ પ્રાપ્ત અધ્યયનના નિક્ષેપ માટે જ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિકનું વિસ્તૃત વ્યાખ્યાન ચાર અનુયોગદ્વારોથી પ્રારંભ કરાય છે. તલ્થ પદનું અાયમાં સામાä :- સામાયિક સમસ્ત ચારિત્રગુણોનો આધાર છે. સામાયિક શારીરિક, માનસિક દુઃખોનો નાશ કરનાર અને મુક્તિનું પ્રધાન કારણ છે. તેથી તેનો પ્રથમ અધ્યયન રૂપે ઉપન્યાસ કરેલ છે. સામાયિકનો નિરુતાર્થ :- સમગ્ર આયઃ સમાચઃ પ્રયોગનનતિ સામાયિહમ | સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દષ્ટિ સંપન્ન, રાગ-દ્વેષ રહિત આત્માના પરિણામને સમ કહે છે. તે સમની 'આર્ય' એટલે પ્રાપ્તિ તે સમાય કહેવાય અથવા જ્ઞાનાદિ ગુણોત્કર્ષનો લાભ તે સમાય. તે જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. - આ સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વાર છે. અધ્યયનના અર્થનું કથન કરવાની વિધિનું નામ છે અનુયોગ અથવા સૂત્ર સાથે તેના અનુકૂળ અર્થને સ્થાપિત કરવા–જોડવા તે છે અનુયોગ. તેના
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy