________________
[ ૨૨]
શ્રી દશવૈકાલિક સત્ર
સુગંધી વસ્તુઓ નવાર આભૂષણ, ઘરેણાં રૂત્થીઓ = સ્ત્રીઓ સંપાણિ = શય્યા ય = અન્ય આસનાદિ તેને જ મુગતિ ભોગવતો નથી તે તે વારિક ત્યાગી છે એમા = કહેવાતો નથી. ભાવાર્થ - જે પુરુષ વસ્ત્રો, ગંધ, આભૂષણો, સ્ત્રીઓ તથા શય્યાઓ આદિને પરવશતા કે પરાધીનતાને કારણે ભોગવી શકતો નથી તે ત્યાગી કહેવાતો નથી.
जे य कंते पिए भोए, लद्धे वि पिट्टि कुव्वइ ।
साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चइ ॥ છાયાનુવાદઃ ચશ્વ વનતાન ઝિયાન પોન્ , તથાપિ પૃથ્વી જોતિ !
स्वाधीनः त्यजति भोगान् , स एव त्यागीत्युच्यते ॥ શબ્દાર્થ -ને = જે પુરુષf= પ્રિય વતિ = મનને આકર્ષણ કરનાર ભોપ = ભોગો ન = પ્રાપ્ત ૨ = અને સાહીને = સ્વાધીન હોવા છતાં પણ જિદ્દીબ૬ - પીઠ કરે છે, ભોગમાં લાગેલી મનોવૃત્તિને પાછી વાળીને વય = ત્યાગે છે દુ= વાસ્તવમાં તે = તે જ પુરુષવા ઉત્ત- ત્યાગી છે એમ qq= કહેવાય છે.
ભાવાર્થ:- જે પુરુષ મનોહર અને પ્રિય પ્રાપ્ત ભોગો તરફ પીઠ કરી દે છે તથા સ્વાધીન ભોગોથી વેગળા થઈ જાય છે અર્થાત્ તે ભોગોને છોડી દે છે તે જ પુરુષ ત્યાગી કહેવાય છે.
વિવેચન :
આ બે ગાથામાં અત્યાગી અને આદર્શ ત્યાગીનું અંતર સ્પષ્ટરૂપે સમજાવવામાં આવ્યું છે.
- જે પુરુષ બાહ્ય પદાર્થોના ભોગનો પરવશપણે ત્યાગ કરે અર્થાત્ જેને ભોગ્ય પદાર્થોની ઉપલબ્ધિ જ થઈ નથી અથવા રોગાદિના કારણે તે ઉપલબ્ધ છતાં ભોગોને ભોગવી શકતો નથી; તે ત્યાગી કહેવાતો નથી. કારણ કે પરવશપણે થતા ત્યાગમાં મૂચ્છ(આસક્તિ)નો ત્યાગ થતો નથી અને ત્યાગના પરિણામ પણ હોતા નથી. તેથી પદાર્થોનું સેવન ન કરવાથી તે બાહ્ય ત્યાગી હોવા છતાં વાસ્તવમાં ત્યાગી નથી. સાદી - જે પુરુષ પ્રાપ્ત થયેલા ભોગને ભોગવવામાં સમર્થ હોવા છતાં સ્વેચ્છાથી તેનો ત્યાગ કરે છે, તે જ વાસ્તવમાં ત્યાગી છે. તેના દરેક ત્યાગમાં આસક્તિના ત્યાગની મુખ્યતા રહે છે.
આ રીતે સૂત્રમાં અચ્છા ને જ મુગંતિ અને સાદીને વય મો; આ બે વાક્યો દ્વારા બાહ્ય ત્યાગ અને આદર્શ ત્યાગની ભેદ રેખા સ્પષ્ટ થઈ જાય છે.
આ વિષયને સ્પષ્ટ કરતા વ્યાખ્યાકારે બે દાંત આપ્યા છે, યથા