SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૪ : અસંસ્કૃત પ્રતિબુદ્ધ કહેવાય છે. ધોરા મુદ્દુત્તા :- અહીં મુહૂર્ત શબ્દનો અર્થ 'કાળ' કરવામાં આવે છે. પ્રાણીનું આયુષ્ય પળે પળે ક્ષીણ થતું રહે છે. આ દષ્ટિએ નિર્દય કાળ પ્રતિક્ષણ જીવનને હણે છે. પ્રાણીનું આયુષ્ય અપ હોય છે અને મૃત્યુનો કાળ અનિશ્ચિત હોય છે. તે કયારે આવે તેની ખબર નથી, તેથી તે ઘોર અર્થાત્ રૌદ્ર કહેવાય છે. માનંદ પવવી:–અપ્રમાદ અવસ્થાને સૂચિત કરવા શાસ્ત્રોમાં કે ગ્રંથોમાં ભારેંડપક્ષીની ઉપમા આપવામાં આવે છે, આ પક્ષી કાગડાથી વધારે અતિ સાવધાન અને અપ્રમત્ત હોય છે. चरे पयाई परिसंकमाणो :- (૧) દોષોની શંકાને લીધે સાવધાનીપૂર્વક ચાલે (૨) સંયમ ધર્મનાં આચરણોમાં કે ગુણોમાં કયાંય પણ ક્ષતિ ન રહી જાય કે ન થઈ જાય એવી શંકા કરતો સંયમમાર્ગમાં સાવધાનીપૂર્વક વિચરણ કરે. ન *હ અં વિધિ પાસું – થોડોક પ્રમાદ પણ બંધન કર્તા છે અર્થાત્ ખરાબ ચિંતન, ખરાબ ભાષા અને દુષ્કાર્ય, એ સર્વ પ્રમાદ છે, બંધનકારક છે અથવા જે કાંઈ પણ સુખ, સંયોગો કે અનુકૂળતા છે, તે કર્મબંધન કરાવનાર છે એમ જાણે, સમજે. પા પતિળાવ મનાવલિ :- શરીરથી વિપુલ સંયમનો લાભ પ્રાપ્ત કર્યા પછી જયારે શરીર જીર્ણ કે અશક્ત થઈ જાય, ત્યારે શ પરિજ્ઞાથી જાણે કે હવે આ શરીરથી સમ્યગ્દર્શનાદિ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ કે નિર્જરા થઈ શકશે નહિ, શરીરમાં થોડી શક્તિ છે, એમ જાણી કષાય અને આહારની સંલેખના કરી કર્મમળનો નાશ કરનાર આજીવન અનશન રૂપ કોઈ પણ પ્રકારના પંડિતમરણનો સ્વીકાર કરી, આ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ. છવું બોહે :- ત્રણ પ્રકારે વ્યાખ્યા થાય છેઃ- (૧) સ્વર્ણવતા નિશ્લેષ પોતાના આગ્રહથી રહિત બનીને ગુરુની આજ્ઞામાં રહેનાર કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. (૨) જીવસ ગુરુના અભિપ્રાય મુજબ આહારાદિના ત્યાગરૂપ નિરોધ કરવાથી મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. (૩) જીંવ – છંદનો અર્થ વેદ કે આગમ છે, તે દૃષ્ટિએ જૈવસા– આગમ વિહિત આજ્ઞાનુસાર, ઇન્દ્રિયાદિ નિગ્રહ કે ઈચ્છાનો નિરોધ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. - અંતિમ વયે ધર્મ કરવાની ભ્રમણા ઃ ९ स पुव्वमेवं ण लभेज्ज पच्छा, एसोवमा सासयवाइयाणं । विसीयइ सिढिले आउयम्मि, कालोवणीए सरीरस्स भेए ॥ ९ ॥ શબ્દાર્થ:- સ - તે વ્યક્તિ, પુવ્વમેવ – પહેલાંની જેમ, પા - પછી પણ, ન તમેા - ધર્મ પ્રાપ્ત કરી શકતી નથી, સમયવાવાળ - શાશ્વતવાદી અર્થાત્ ભવિષ્ય પર ભરોસો રાખનારા સોવના – ધર્મ પછી કરવાની વિચારણા, બનયમ્મિ = આયુષ્ય, સિદિત્તે - શિથિલ થતાં, ક્ષય થતાં, વાલોવીર્ - મરવાના સમયે, સરીયલ્સ ભેર્ - શરીરનું આત્માથી જુદાપણું થતાં, વિનાશ થતાં, =
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy