SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાભૂત-૧: પ્રતિપ્રાભૃત–૩ ૩૧ | કરે છે? અર્થાત્ તે કેવી રીતે પુનઃ ચાલે છે? ઉત્તર- સર્વ દ્વીપ-સમુદ્રોની મધ્યમાં પરિધિથી યુક્ત જંબુદ્વીપ નામનો દ્વીપ છે. જંબુદ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાના છેદથી ૧૨૪ વિભાગ- વાળા મંડળના ચાર વિભાગ થાય છે, તેમાંથી અગ્નિકોણીય ચતુર્થ વિભાગગત પોતાના ચાલેલા ૯૨ મંડળ ઉપર અને વાયવ્યકોણીય ચતુર્થ વિભાગગત પોતાના ચાલેલા ૯૧ મંડળ ઉપર ભારતીય સૂર્ય પુનઃ ચાલે છે અર્થાત્ પૂર્વે બહાર નીકળતા સૂર્ય (દક્ષિણાયનમાં) પોતાના ચાલેલા અગ્નિકોણના ૯૨ મંડળ અને વાયવ્યકોણના ૯૧ મંડળ ઉપર અંદર પ્રવેશતા (ઉત્તરાયણમાં) પુનઃ ચાલે છે. આ જ રીતે જંબૂઢીપની પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાના છેદથી ૧૨૪ વિભાગવાળા મંડળના ચાર વિભાગ થાય છે, તેમાંથી ઈશાનકોણીય ચતુર્થ વિભાગગત બીજાના અર્થાત્ ઐરવતીય સૂર્યના ચાલેલા ૯૨ મંડળ અને નૈઋત્યકોણીય ચતુર્થ વિભાગગત બીજા સૂર્યના એટલે ઐરવતીય સૂર્યના ચાલેલા ૯૧ મંડળ ઉપર ભારતીય સૂર્ય પુનઃ ચાલે છે. | ३ तत्थ णं अयं एरवए चेव सूरिए जंबूद्दीवस्स दीवस्स पाईणपडीणाययाए उदीणदाहिणाययाए जीवाए मंडलं चउवीसएणं सएणं छत्ता उत्तरपच्चत्थिमिल्लसि चउभागमंडलंसि बाणउइयं सूरियमयाइं जाइं सूरिए अप्पणा चेव चिण्णाई पडिचरइ, दाहिणपुरथिमिल्लसि चउभागमंडलंसि एक्काणउइयं सूरियमयाइं जाइं सूरिए अप्पणा चेव चिण्णाई पडिचरइ । तत्थ णं अयं एरवए सूरिए भारहस्स सूरियस्स जंबुद्दीवस्स दीवस्स पाईण पडीणाययाए उदीणदाहिणाययाए जीवाए मंडलं चउवीसएणं सएणं छत्ता दाहिणपच्चथिमिल्लसि चउभाग मंडलंसि बाणउइयं सूरियमयाई जाई सूरिए परस्स चेव चिण्णाई पडिचरइ, उत्तरपुरस्थिमिल्लसि चउभागमंडलंसि एक्काणउइयं सूरियमयाई जाई सूरिए परस्स चेव चिण्णाई पडिचरइ । ता णिक्खममाणा खलु एए दुवे सूरिया णो अण्णमण्णस्स चिण्णं पडिचरंति। पविसमाणा खलु एए दुवे सुरिया अण्णमण्णस्स चिण्णं पडिचरंति । सयमेगं વોયાd I (શાહ) ભાવાર્થ :- જંબદ્વીપની પર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાના છેદથી ૧ર૪ વિભાગવાળા મંડળના ચાર વિભાગ થાય છે, તેમાંથી વાયવ્યકોણીય ચોથા વિભાગ ગત પૂર્વે પોતાના ચાલેલા ૯૨ મંડળ ઉપર અને અગ્નિકોણીય ચતુર્થ વિભાગગત પોતાના ચાલેલા ૯૧ મંડળ ઉપર ઐરવતીય સૂર્ય પુનઃ ચાલે છે. આ જ રીતે જંબૂઢીપની પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાના છેદથી ૧૨૪ વિભાગવાળા મંડળના ચાર વિભાગ થાય છે, તેમાંથી નૈઋત્યકોણીય ચતુર્થ વિભાગગત બીજા સૂર્ય એટલે ભારતીય સૂર્યે ચાલેલા ૯૨ મંડળ ઉપર અને ઈશાનકોણીય બીજાના એટલે ભારતીય સૂર્યે ચાલેલા ૯૧ મંડળ ઉપર ઐરવતીય સૂર્ય પુનઃ ચાલે છે. આ રીતે બહાર નીકળતા દક્ષિણાયનના બંને સૂર્ય એક બીજાના ચાલેલા માર્ગ ઉપર ચાલતા
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy