SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર ભાવાર્થ:પ્રશ્ન- સર્વાત્યંતર મંડળના બહારના ચરમાંતથી સર્વ બાહ્ય મંડળના બહારના ચરમાંત સુધી તથા સર્વબાહ્ય મંડળના અંદરના ચરમાંતથી સર્વાયંતર મંડળના અંદરના ચરમાંત સુધીના માર્ગનું ક્ષેત્ર કેટલું છે ? ઉત્તર– તે માર્ગનું ક્ષેત્ર(આવ્યંતર કે બાહ્ય, બે મંડળમાંથી એક મંડળની જાડાઈની ગણનાની અપેક્ષાએ) ૫૧૦ યોજન છે. ૪ १२ अब्भितराए मंडलवयाए बाहिरा मंडलवया, बाहिराए वा मंडलवयाए अंभितरा मंडलवया, एस णं अद्धा केवइयं आहिएति वएज्जा ? ता पंचदसुत्तरे जोयणसए अडयालिसं च एगट्टिभागे जोयणस्स अहिया । ભાવાર્થ :- પ્રશ્ન- સર્વાયંતર મંડળના અંદરના ચરમાંતથી સર્વ બાહ્ય મંડળના બહારના ચરમાંત સુધી તથા સર્વબાહ્ય મંડળના બહારના ચરમાંતથી સર્વાત્મ્યતર મંડળના અંદરના ચરમાંત સુધીના માર્ગનું(ક્ષેત્ર) કેટલું છે ? ઉત્તર− તે માર્ગનું ક્ષેત્ર (સર્વાયંતર તથા સર્વબાહ્ય આ બંને મંડળની જાડાઈની ગણનાની અપેક્ષાએ) ૫૧૦ યોજન છે. १३ ता अब्भितराओ मंडलवयाओ बाहिरा मंडलवया, बाहिराओवा मंडलवयाओ अभितर मंडलवया, एस णं अद्धा केवइयं आहिएति वएज्जा ? ता पंचणवुत्तरे जोयणसए तेरस एगट्टिभागे जोयणस्स आहिएति वएज्जा । ભાવાર્થ:પ્રશ્ન- સર્વાયંતર મંડળના બહારના ચરમાંતથી સર્વબા મંડળના અંદરના ચરમાંત સુધી તથા સર્વબાહ્ય મંડળના અંદરના ચરમાંતથી સર્વાયંતર મંડળના અંદરના ચરમાંત સુધીનો માર્ગ ક્ષેત્ર કેટલું છે ? ઉત્તર– તે માર્ગનું ક્ષેત્ર(સર્વાશ્ચંતર તથા સર્વ બાહ્ય બંને મંડળની જાડાઈની ગણના ન કરવાથી) ૫૦૯ ૧ યોજન છે. १४ ता अभितराए मंडलवयाए बाहिरा मंडलवया, बाहिराए वा मंडलवयाए अब्भितरा मंडलवया, एस णं अद्धा केवइयं आहिएति वएज्जा ? ता पंचदसुत्तरे जोयणसए आहिएति वएज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- સર્વાયંતર મંડળથી સર્વબાહ્ય મંડળ તથા સર્વબાહ્ય મંડળથી સર્વાયંતર મંડળ સુધીના માર્ગનું ક્ષેત્ર કેટલું છે ? ઉત્તર- ૫૧૦ યોજન છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સૂર્યના વિચરણ ક્ષેત્ર એટલે ચાર ક્ષેત્રના માપનું વર્ણન છે. સામાન્ય રીતે સૂર્યના પરિભ્રમણનું ક્ષેત્ર જંબુદ્રીપમાં ૧૮૦ યોજન અને લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન છે. તેથી કુલ ૧૮૦ + ૩૩૦ = ૫૧૦ યોજન થાય છે., તે ૫૧૦ યોજનમાં પ્રથમ કે અંતિમ કોઈ પણ એક મંડલના TM યોજનના વિસ્તારની ગણના થાય છે. (૧) સર્વાશ્ચંતર મંડલના બાહ્ય ચરમાંતથી સર્વ બાહ્ય મંડલના બહારના ચરમાંતની અથવા સર્વ બાહ્ય મંડલના અંદરના ચરમાંતથી સર્વાત્યંતર મંડલના અંદરના ચરમાંત સુધીની ગણનામાં સર્વાયંતર કે સર્વ બાહ્ય મંડળમાંથી કોઈ પણ એક મંડલની પહોળાઈની ગણના થતી હોવાથી તે ક્ષેત્ર ૫૧૦ યોજન થાય છે.
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy