SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ | પાંચમું પદ વિશેષ (પર્યાય પદ) [ ૪૦૧] अणंता पज्जवा पण्णत्ता । सेकेणटेणं भंते !एवं वुच्चइ जहण्णोगाहणगाणं असुरकुमाराणं अणंता पज्जवा पण्णत्ता? गोयमा ! जहण्णोगाहणाए असुरकुमारे जहण्णोगाहणगस्स असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादीहिं छट्ठाण- वडिए, आभिणिबोहियाणाण-सुयणाण-ओहिणाणपज्जवेहिं तिहिं अण्णाणेहिं, तिहिं दंसणेहिं य छट्ठाणवडिए । एवं उक्कोसोगाहणाए वि अजहण्णमणुक्कोसोगाहणाए वि जहा णेरइयाणं; णवरं उक्कोसोगाहणाए असुरकुमारे ठिईए चउट्ठाणवडिए । एवं णागकुमारणं जाव थणिय कुमाराणं जहा असुरकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર દેવોના કેટલા પર્યાયો છે ? ઉત્તર- હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોના અનંત પર્યાયો છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા એક અસુરકુમાર દેવ, જઘન્ય અવગાહનાવાળા બીજા અસુરકુમાર દેવથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણાદિ ૨૦ બોલથી છઠ્ઠાણવડિયા; આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, ત્રણ અજ્ઞાન તથા ત્રણ દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ અને મધ્યમ અવગાહનાવાળા અસુરકુમાર દેવોના પર્યાયોના વિષયમાં નારીની જેમ જાણવું જોઈએ પરંતુ તેમાં વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા અસુરકુમાર દેવો પણ સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. શેષ સ્વનિતકુમાર દેવો સુધીનું સર્વ કથન નૈરયિકોની સમાન છે અર્થાતુ જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ સ્થિતિ, વર્ણાદિ અને જ્ઞાનાદિનું વર્ણન નારકીની સમાન છે. નાગકુમારથી સ્વનિતકુમાર સુધીના નવનિકાયના દેવોનું સંપૂર્ણ કથન અસુરકુમારની સમાન જાણવું. વિવેચન : પ્રસ્તુત સુત્રોમાં અસુરકમારાદિ દશ ભવનપતિ દેવોના અનંત પર્યાયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે સર્વ કથન અને વિશ્લેષણ નૈરયિકોની સમાન સમજવું. પ્રવરં ૩વરોહપ અસુમારે દિવડાવલિઃ-નૈરયિકોથી અસુરકુમારની વિશેષતાને અહીં વરં શબ્દપ્રયોગ દ્વારા પ્રગટ કરી છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકો સ્થિતિની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા છે. કારણ કે નૈરયિકોમાં ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકમાં જ હોય છે અને ત્યાં સ્થિતિ જઘન્ય ર૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. તે સ્થિતિમાં અસંખ્યાતમો ભાગ અને સંખ્યાતમો ભાગ, આ બે સ્થાનની જ ન્યુનાધિકતા થાય છે. પરંતુ ભવનપતિ દેવોમાં ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની છે, તે અવગાહનાવાળા ભવનપતિ દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,000 વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની એટલે અસંખ્યાત કાલની હોય છે. તેથી તેમાં અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ આ ચાર સ્થાનોની ન્યૂનાધિકતા હોય છે. ૨ સ્વનિતકુમાર દેવ છીનવાળા અસુરકુમાર દેવો ન્ય, ઉત્કૃષ્ટ અને મધ્ય
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy