________________
વિભાગ-૧: સમવસરણ
૨૯
आगासाइवाईणो ।
अप्पेगइया रयणावलिं तवोकम्मं पडिवण्णा, अप्पेगइया कणगावलि तवोकम्मं पडिवण्णा, अप्पेगइया एगावलिं तवोकम्मं पडिवण्णा; अप्पेगइया खुड्डागसीहणिक्कीलियं तवोकम्मं पडिवण्णा, अप्पेगइया महालयं सीहणिक्कीलियं तवोकम्मं पडिवण्णा, एवं भद्दपडिमं, महाभद्दपडिमं सव्वओभद्दपडिमं, आयंबिलवद्धमाणं तवोकम्मं पडिवण्णा, अप्पेगइया मासियं भिक्खुपडिमं पडिवण्णा एवं जाव अप्पेगइया सत्तमासियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया पढमं सत्तराइंदियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया बीयं सत्तराइंदियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया तच्च सत्तराईदियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया अहोराइयं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया एक्कराइयं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया सत्तसत्तमियं भिक्खुपडिमं, अट्ठअट्ठमियं भिक्खुपडिमं णवणवमियं भिक्खुपडिमं, दसदसमियं भिक्खुपडिमं पडिवण्णा, अप्पेगइया खुड्डियं मोयपडिमं, महल्लियं मोयपडिमं, जवमज्झं चंदपडिमं, वइरमज्झं चंदपडिमं पडिवण्णा; अप्पेगइया विवेगपडिमं, विओसग्ग पडिमं, उवहाणपडिमं, पडिसंलीण पडिमं पडिवण्णा; संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति ।
ભાવાર્થ [:− તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી ઘણા નિગ્રંથ ભગવંતો હતા. તેમાં કેટલાક મતિજ્ઞાની, કેટલાક શ્રુતજ્ઞાની, કેટલાક અવધિજ્ઞાની, કેટલાક મનઃપર્યવજ્ઞાની અને કેટલાક કેવલજ્ઞાની હતા અર્થાત્ કેટલાક બે, ત્રણ કે ચાર જ્ઞાનના ધારક હતા અને કેટલાક કેવલજ્ઞાનના ધારક હતા. કેટલાક અનુકૂળ, પ્રતિકૂળ પરીષહો સહન કરવાની શક્તિસંપન્ન મનોબલી, કેટલાક કરેલી પ્રતિજ્ઞાના પાલન માટેની ક્ષમતાથી યુક્ત વચનબલી, કેટલાક ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે પ્રતિકૂલ શારીરિક સ્થિતિને અગ્લાનભાવે સહન કરવાની શક્તિ સંપન્ન ક્રાયબલી હતા. કેટલાક નિરતિચાર જ્ઞાનની આરાધના કરનાર જ્ઞાનરૂપ બલ સંપન્ન હતા, કેટલાક સમ્યકત્વથી કદાપિ ચલિત ન થાય તેવા દઢ શ્રદ્ધારૂપ બલ સંપન્ન હતા અને કેટલાક નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર ચારિત્રરૂપ બલસંપન્ન હતા. કેટલાક મનથી જ શાપ અને કૃપા વર્ષાવવામાં સમર્થ હતા. તેવી જ રીતે કેટલાક વચનથી અને કાયાથી અપકાર અને ઉપકાર કરવાનું સામર્થ્ય ધરાવતા હતા.
કેટલાકનો શ્લેષ્મ—નાકનો મેલ ઔષધિરૂપ બને તેવા ખેલૌષધિલબ્ધિના ધારક, કેટલાકના મળ, મૂત્ર, શરીરનો મેલ આદિ ઔષધિરૂપ બને તેવા જલૌષધિલબ્ધિના ધારક, કેટલાકનું થૂંક ઔષધિરૂપ બને તેવા વિપ્રુડૌષધિલબ્ધિના ધારક, કેટલાકના હસ્તાદિનો સ્પર્શ ઔષધિરૂપ બને તેવા આમખૈષધિલબ્ધિના ધારક, કેટલાકના મળ, મૂત્ર, મેલ, સ્પર્શ, નખ, કેશ આદિ સર્વ ઔષધિરૂપ બને તેવા સર્વોષધિલબ્ધિના ધારક હતા.
કેટલાક શ્રમણો કોષ્ટક બુદ્ઘિના ધારક હતા, કોષ્ટક એટલે કોઠાર, જેમ કોઠારમાં ધાન્ય સુરક્ષિત રહે છે, તેમ તે શ્રમણ શ્રુત જ્ઞાનને જીવન પર્યંત સુરક્ષિત રાખી શકે તેવી કોષ્ટક બુદ્ઘિના ધારક હતા. કેટલાક શ્રમણો બીજબુદ્ઘિના ધારક હતા, જેમ નાનકડું બીજ વિશાળ વૃક્ષને તૈયાર કરે છે, તેમ અલ્પ શબ્દોથી વિસ્તૃત જ્ઞાન થાય તેવી બીજ બુદ્ઘિના ધારક હતા. કેટલાક શ્રમણો પટબુદ્ધિના ધારક હતા, જેમ પટ–વસ્ત્ર