SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ ભરેલા કુંડમાં કોઈ પુરુષને બેસાડે અને તેમાંથી એક દ્રોણ પ્રમાણ પાણી બહાર નીકળે તો તે પુરુષ માનપ્રમાણ કહેવાય. સન્માન-સભાનતા I ત્રાજવાથી તોળવાથી જેનું વજન અદ્ધ ભાર પ્રમાણ થાય, તે પુરુષ ઉન્માન પ્રમાણ કહેવાય. પ્રમાણ નુ સ્વાદુનાષ્ટોત્તરશાતોછૂતયા | શરીરની ઊંચાઈ પોતાના અંગુલથી એકસો આઠ અંગુલ પ્રમાણ હોય તો તે પ્રમાણોપેત ઊંચાઈ કહેવાય છે. આ રીતે શરીરનું વજન, ઊંચાઈ આદિની સપ્રમાણતા સૂચિત કરવા માન, ઉન્માન અને પ્રમાણ તે ત્રણ શબ્દોનો પ્રયોગ થાય છે. ભગવાનના સમાચાર માટે કોશિકરાજાની વ્યવસ્થા - | १२ तस्सणं कोणियस्सरण्णो एक्के पुरिसे विउलकयवित्तिए भगवओ पवित्तिवाउए भगवओ तद्देवसियं पवित्तिं णिवेदेइ । तस्सणं पुरिसस्स बहवे अण्णे पुरिसा दिण्णभङ्भत्तवेयणा भगवओ पवित्तिवाउया भगवओ तद्देवसियं पवित्ति णिवेदेति । ભાવાર્થઃ- કોણિક રાજાએ ભગવાનના વિહાર આદિના સમાચાર મેળવવા માટે એક પુરુષની નિમણૂક કરી હતી. તે પુરુષને આજીવિકા માટે વિપુલ પ્રમાણમાં વેતન આપવામાં આવતું હતું. તે પુરુષ પ્રતિદિન ભગવાનના વિહાર, સમવસરણ આદિનું કોણિક રાજાને નિવેદન કરતો હતો. તે મુખ્ય પુરુષની નીચે અન્ય અનેક પગારદાર માણસોની નિમણૂક કરવામાં આવી હતી. તેમને માટે વેતનરૂપે સુવર્ણમુદ્રા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પુરુષો પ્રતિદિન ભગવાનના વિહારાદિના સમાચાર મેળવીને નિવેદન કરતા હતા. १३ तेणंकालेणं तेणं समएणं कोणिएराया भंभसारपुत्ते बाहिरियाए उवट्ठाणसालाए अणेग गणणायग-दंडणायग-राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-मंति-महामंतिगणग-दोवारियअमच्च चेड-पीढमणगर-णिगम-सेटि-सेणावइ-सत्थवाह-दूय-संधिवाल-सद्धि-संपरिवुडे વિદરા ભાવાર્થ - તે કાલે, તે સમયે ભંભસાર–શ્રેણિક રાજાના પુત્ર કોશિકરાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં ગણનું સંચાલન કરનારા ગણના મુખ્ય ગણનાયકો, દંડનું વિધાન કરનારા દંડનાયકો, માંડલિક રાજાઓ, ઐશ્વર્ય સંપન ઈશ્વરો, યુવરાજો, રાજા દ્વારા સુવર્ણપટથી સન્માનિત કરાયેલા તલવરો, પાંચસો ગામના સ્વામી એવા માડંબિકો, ઘણા કુટુંબોનું પાલન કરનારા કૌટુંબિકો, રાજાના સલાહકાર મંત્રીઓ, મંત્રી મંડળના અગ્રણી એવા મહામંત્રીઓ, જ્યોતિષ શાસ્ત્રના જાણકાર ગણકો, દ્વાર પર રક્ષા માટે ઊભા રહેતા દ્વારપાળો, અઢાર જ્ઞાતિઓના મુખી અને રાજ્યના અધિષ્ઠાયક રાજપુરુષ એવા અમાત્યો, સેવકો, સમવયસ્ક મિત્રો અથવા રાજાના હજૂરીયાસેવક એવા પીઠમર્થકો, નગરના રહેવાસી નાગરિકો, રાજ્યના વેપારી નિગમો, નગરના મુખ્ય વ્યાપારીઓ અને લક્ષ્મીકૃપા સૂચક પટથી અલંકૃત શ્રેષ્ઠીઓ, સેનાના નાયક સેનાપતિઓ, દેશાંતરમાં જઈ વ્યાપાર કરનાર સાર્થવાહો, સંદેશવાહક દૂતો, શત્રુરાજાઓ સાથે સંધિ કરવા નિમણુંક કરાયેલા સંધિપાલો વગેરે અનેક પુરુષોથી પરિવૃત્ત થઈને બેઠા હતા. ભગવાન મહાવીરનો દેહવૈભવ અને ગુણવૈભવ:१४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे, तित्थयरे, सयंसंबुद्धे,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy