________________
[ ૧૬ ]
શ્રી વિવાઈસૂત્ર
८६ ईसीपब्भाराए णं पुढवीए दुवालस णामधेज्जा पण्णत्ता, तं जहा- ईसी इ वा, ईसीपब्भारा इ वा, तणू इ वा, तणुतणू इ वा, सिद्धी इ वा, सिद्धालए इ वा, मुत्ती इवा, मुत्तालए इ वा, लोयग्गे इ वा, लोयग्गथूभिया इ वा, लोयग्गपडिबुज्झणा इ वा, सव्वापाण- भूयजीवसत्तसुहावहा इ वा । ભાવાર્થ – ઈષ~ાશ્મારા પૃથ્વીના બાર નામ છે. જેમ કે– (૧) ઈષત્ (૨) ઈષ~ાભારા, (૩) તનુ, (૪) તનુતનુ, (૫) સિદ્ધિ, (૬) સિદ્ધાલય, (૭) મુક્તિ, (૮) મુક્તાલય, (૯) લોકાગ્ર, (૧૦) લોકાગ્ર સુપિકા, (૧૧) લોકાગ્ર પ્રતિબોધના, (૧૨) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સર્વ સુખાવહા. | ८७ ईसीपब्भारा णं पुढवी सेया आयंसतलविमलसोल्लिय मुणालदगरय- तुसार गोक्खीर- हारवण्णा, उत्ताणयछत्तसंठाणसंठिया, सव्वज्जुण-सुवण्णमई, अच्छा, सण्हा, लण्हा, घट्ठा, मट्ठा, णीरया,णिम्मला,णिप्पंका,णिक्कंकडच्छाया, समरीचिया, सप्पभा, पासादीया, दरिसणिज्जा, अभिरूवा, पडिरूवा । ભાવાર્થ :- ઈષ~ાભારા પૃથ્વી અરીસા જેવી નિર્મળ તથા શ્વેત પુષ્પ, કમળનાલ, જલકણ, બરફ, ગાયનું દૂધ અને મોતીના હારની સમાન શ્વેત વર્ણયુક્ત છે તે ઉંધી છત્રીના આકારમાં અવસ્થિત છે. તે શ્વેત સુવર્ણથી અત્યંત અધિક કાંતિમાન છે, સ્ફટિક જેવી સ્વચ્છ, ફ્લક્ષણ-કોમળ પરમાણુ સ્કંધોથી બનેલી હોવાથી મુલાયમ, સુંદર લાલિત્યયુક્ત, વૃષ્ટ–સરાણ ઉપર ઘસેલા પથ્થરની જેમ સજાવેલી, મૃષ્ટ– ઘસીને લીસી સુંદર બનાવેલી, રજરહિત, મલરહિત કીચડરહિત, આવરણરહિત-શોભાયુક્ત, સુંદર કિરણો અને પ્રભાયુક્ત, ચિત્તને પ્રસન્ન કરનારી, જોવા યોગ્ય, મનોજ્ઞ તથા મનમાં વસી જાય તેવી મનોહર છે.
८८ ईसीपब्भाराए णं पुढवीए सेयाए जोयणमि लोगंते । तस्स जोयणस्स जे से उवरिल्ले गाउए, तस्स णं गाउयस्स जे से उवरिल्ले छब्भागे, तत्थ णं सिद्धा भगवंतो सादीया, अपज्जवसिया अणेगजाइजरामरणजणियवेयणं संसारकलंकलीभावपुणब्भवगब्भवा-सवसहीपवंचमइक्कंता सासयमणागयद्धं चिट्ठति ।
ભાવાર્થ :- ઈષતુ પ્રાસ્મારા પૃથ્વીના તલથી સિત-યોજન- લઘુ એક યોજન એટલે ઉત્સધાંગુલના માપથી એક યોજન ઉપર લોકાત્ત છે. તે એક યોજનના ઉપરના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં અર્થાતુ ૩૩૩ ધનુષ, ૩ર અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. તે સાદિ અનંત કાલપર્યત સ્થિત રહે છે. જન્મ, જરા, મૃત્યુ જનિત વેદના, સંસારના ભીષણ દુઃખ, વારંવાર ગર્ભમાં આવવારૂપ પ્રપંચનું અતિક્રમણ કરી ગયા છે અર્થાત્ તે દુઃખોથી દૂર થઈ ગયા છે, તે શાશ્વત ભવિષ્યના અનંતકાલ પર્યત સિદ્ધ સ્વરૂપમાં સ્થિત રહે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું તેમજ સિદ્ધોની અવગાહનાનું કથન છે.