________________
| વિભાગ-૨: ઉપપાત
૧૫૫]
સ્પર્શને સ્પર્શરૂપે કંઈપણ જાણતા નથી અને દેખતા નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય છે અને સમગ્ર લોકનો સ્પર્શ કરી રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેવળી સમુદ્યાત વિષયક પ્રશ્નોનું નિરૂપણ છે.
મૂળ શરીરને છોડ્યા વિના આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેલાવવા, તેને સમુદ્દાત કહે છે. નિમિત્તની અપેક્ષાએ તેના સાત પ્રકાર છે– (૧) વેદના સમુદ્રઘાત, (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુદ્યાત (૪) વૈક્રિય સમુદ્યાત (૫) તૈજસ સમુદ્યાત (૬) આહારક સમુદ્યાત (૭) કેવળી સમુદ્યાત. આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કોઈક કેવળી ભગવાન આઠ સમયની વિશિષ્ટ પ્રક્રિયાથી આત્મપ્રદેશોને સમગ્ર લોકવ્યાપી બનાવે છે. તે પ્રક્રિયાને કેવળી સમુદ્દઘાત કહે છે.
કેવળી સમુઘાત સમયે કેવળી ભગવાન અનંત કર્મોની નિર્જરા કરે છે. તે નિર્જરાના પુલો પણ સમગ્ર લોકવ્યાપી બને છે, તે પુગલો રૂપી હોવા છતાં અત્યંત સૂક્ષ્મ હોવાથી વિશિષ્ટ જ્ઞાન રહિત છદ્મસ્થ મનુષ્યો તેને જાણી કે જોઈ શકતા નથી. કેવળી સમુદ્યાત:६३ कम्हा णं भंते ! केवली समोहणंति ? कम्हा णं केवली समुग्घायं गच्छंति ?
गोयमा ! केवली णं चत्तारि कम्मंसा अपलिक्खीणा भवंति, तं जहा- वेयणिज्जं, आउयं, णाम, गोत्तं । सव्वबहुए से वेयणिज्जे कम्मे भवइ । सव्वोत्थोए से आउए कम्मे भवइ । विसमं समं करेइ बंधणेहिं ठिईहि य, विसमसमकरणयाए बंधणेहिं ठिईहि य । एवं खलु केवली समोहणति, एवं खलु केवली समुग्घायं गच्छति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કેવળી ભગવાન આત્મપ્રદેશોને શા માટે ફેલાવે છે? કેવળી ભગવાન સમુદ્યાત શા માટે કરે છે?
ઉત્તરહે ગૌતમ ! કેવળી ભગવાનને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર આ ચાર કર્મો ક્ષીણ થયા નથી. તેમાં (કેટલાક કેવળીને) વેદનીય કર્મની સ્થિતિ સર્વથી અધિક હોય અને આયુષ્ય કર્મની સ્થિતિ સર્વથી ઓછી હોય છે. કર્મોની સ્થિતિ અને બંધની વિષમતાને સમ કરે છે.(ચારે ય) કર્મોના સ્થિતિ અને બંધને સમાન કરવા માટે કેવળી ભગવાન આત્મપ્રદેશોને વિસ્તીર્ણ કરે છે અને સમુદ્યાત કરે છે. |६४ सव्वे विणं भंते ! केवली समुग्घायं गच्छंति? णो इणढे समढे;
अकित्ता णं समुग्घायं, अणंता केवली जिणा ।
जरामरणविप्पमुक्का, सिद्धिं वरगई गया ॥ ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!શું બધા કેવળી ભગવાન સમુદ્યાત કરે છે? ઉત્તર-હે ગૌતમ!તેમ હોતું નથી.
ગાથાર્થ- સમદુઘાત કર્યા વિના પણ અનંત કેવળી જિનેશ્વરો જન્મ, જરા મરણથી સર્વથા મુક્ત થઈને શ્રેષ્ઠ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયા છે.