________________
[ ૧૩૪ ]
શ્રી વિવાઈસૂત્ર
પ્રમાણ જળ કલ્પનીય છે અને તે પણ વહેતું, સ્વચ્છ, અત્યંત નિર્મળ અને ગાળેલું, હોય તો જ કહ્યું છે. બંધિયાર, મલિન, અલ્પ નિર્મળ અને ગાળ્યા વિનાનું હોય તો તે જલ કલ્પતું નથી. તે પણ સાવધ-પાપસહિત સમજીને ગ્રહણ કરાય છે. પાપરહિત સમજીને ગ્રહણ કરાતું નથી. તેને પણ જીવ સહિત સમજીને ગ્રહણ કરાય છે પરંતુ નિર્જીવ માનીને ગ્રહણ કરાતું નથી. તે જલ પણ બીજા દ્વારા અપાયેલું હોય, તો કહ્યું છે. બીજા દ્વારા અપાયેલું ન હોય તો કલ્પતું નથી. તે પણ હાથ-પગ, ભોજનના પાત્ર, લાકડાંની કડછી વગેરે ધોવા માટે અને પીવા માટે કહ્યું છે. પરંતુ સ્નાન માટે કલ્પતું નથી..
અંબડ પરિવ્રાજકને આઢક પ્રમાણ જલ ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ વહેતું હોય યાવતું બીજા દ્વારા અપાયેલું હોય તો કહ્યું છે. તે પણ સ્નાન માટે જ કહ્યું છે. હાથ, પગ, ભોજનના પાત્રો કે લાકડાંની કડછી વગેરે ધોવા માટે કે પીવા માટે કલ્પતું નથી. |३३ अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ अण्णउत्थिया वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थिय परिग्गहियाणि वा चेइयाई वंदित्तए वा णमंसित्तए वा जावपज्जुवासित्तए वा णण्णत्थ अरिहंते वा अरिहंतचेइयाइं वा । ભાવાર્થ:- અંબડ પરિવ્રાજકને અન્ય મતાવલંબીઓને, તેઓના ધર્મદેવને અને ધર્મ ગુરુઓને વંદન નમસ્કાર કરવા યાવતુ પર્યાપાસના કરવી કલ્પતી નથી પરંતુ અરિહંત ભગવાનને અને તેમના શ્રમણોને વંદન નમસ્કાર કરવા કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંબડ સંન્યાસીની વ્રત-મર્યાદાનું નિરૂપણ છે. અંબડ સંન્યાસીએ પરિવ્રાજકપણામાં રહીને જ શ્રાવકવ્રતનો સ્વીકાર કર્યો હતો. તેમ છતાં પૂર્વોક્ત પરિવ્રાજકોની અને અંબડ પરિવ્રાજકની જલમર્યાદાના પાઠમાં ભિન્નતા જણાય છે. તે પાઠ અનુસાર પરિવાજકોને એક પ્રસ્થ = લગભગ બે લીટર જેટલું પાણી પીવા માટે અને એક આઢક = લગભગ આઠ લીટર જેટલું પાણી વાપરવા માટે કલ્પત હતું અને અંબઇ સંન્યાસીને અદ્ધ આઢક = લગભગ ચાર લીટર પાણી પીવા કે વાપરવા માટે તથા એક આઢક = લગભગ આઠ લીટર પાણી સ્નાન માટે વાપરવું કલ્પતું હતું. આ પ્રકારની ભિન્નતાનું કારણ એ છે કે શ્રાવકના વ્રત ધારણ કરનાર પોતાની ઇચ્છા અને અનુકૂળતા અનુસાર મર્યાદાઓ રાખી શકે છે. તેથી અંબડ સંન્યાસીએ શ્રાવકના વ્રત ધારણ કરતી સમયે પોતાની ઇચ્છાથી પરિવ્રાજક પર્યાયની જલ મર્યાદાથી ભિન્ન રીતે મર્યાદા કરી હોય. અરિહંત રેફાડું:- ચૈત્ય શબ્દ અનેક અર્થોમાં પ્રયુક્ત થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં ચૈત્ય શબ્દ શ્રમણ અર્થમાં પ્રયુક્ત છે. તેથી સમકિત શુદ્ધિ સંબંધી આ પાઠમાં વેડ્ય શબ્દનો અન્ય તીર્થિકના સન્યાસી કે જૈનશ્રમણ અર્થ છે. તે વાતની પુષ્ટી ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકના સમકિત શુદ્ધિના પાઠથી પણ થાય છે. ત્યાં અન્યતીર્થિક ચેત્ય(પરિવ્રાજક) સાથે આલાપ-સંતાપનો નિષેધ છે. અંબડ પરિવ્રાજકની દેવ ગતિઃ|३४ अम्मडे णं भंते ! परिव्वायए कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ?