________________
શ્વત સેવાનો સત્કાર
મૃતાધાર (મુખ્યદાતા) માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી
શ્રીમતી હીનાબેન રાજેશભાઈ ભીમાણી ગૃહસ્થ ધર્મના મુખ્ય ચાર પાયા છે – દાન, શીલ, તપ અને ભાવ. તેમાં દાન એ ગૃહસ્થ ધર્મની આધારશીલા છે. દાનથી સ્વાર્થવૃત્તિ વિલીન થાય છે અને પરમાર્થવૃત્તિ પ્રગટ થાય છે. દાન ધર્મની આરાધના દ્વારા સુજ્ઞ શ્રાવકો અધ્યાત્મ જગતના એક - એક સોપાન પાર કરતા જાય છે.
માતુશ્રી મધુકાંતાબેન અને પિતાશ્રી નંદલાલ નાગરદાસભાઈના સુસંસ્કાર રાજેશભાઈદાન વગેરે ગૃહસ્થ ધર્મથી સંપન્ન બન્યા...પૂ.ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. તથા પૂ. વીરમતીબાઈ મ. ના કલકત્તાના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવ દ્વારા જીવનના નૂતન તથ્ય - રહસ્યોને પામી જીવનમાં નવો જ વળાંક આવ્યો. સુપુત્ર સિદ્ધાર્થ - પુત્રવધુ સૌ. દર્શિતા અને સુપુત્રી રિદ્ધિ પણ ગુરુદેવના સતત સાંનિધ્ય અને સત્સંગે ધર્મક્ષેત્રે સક્રિય બની, અહ યુવા ગ્રુપના માધ્યમે સેવારત બન્યા છે.
- પૂ. ગુરુદેવે આગમ મહોત્સવ, આગમ શિબિર દ્વારા આગમ જ્ઞાનનું મહત્ત્વ, આગમ જ્ઞાનની ઉપયોગિતા આગમ જ્ઞાન દ્વારા પરમાત્મ પદની પ્રાપ્તિનું જ્ઞાન આપી સહુના હૃદયમાં આગમ પ્રત્યેનો અહોભાવ, પૂજ્યભાવ જાગૃત કર્યો છે. શ્રી રાજેશભાઈ અને હીનાબેનના હૈયામાં પણ આગમ પ્રત્યે ભક્તિભાવ છલકવા લાગ્યો.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૮ મા જન્મદિને આગમ સેવાની તકને વધાવી લેતા શ્રી રાજેશભાઈ આગમગ્રંથોના પ્રકાશન કાર્ય માટે શ્રુતાધાર બની શ્રુત આરાધક બન્યા છે. ભવોભવ જિનશાસન, જિનાગમ અને જિનભક્તિ પ્રાપ્ત થાય તેવા ભદ્રકર્મને પ્રાપ્ત કર્યું છે. તમારી શ્રુતભક્તિ તમને શ્રુતકેવળી બનાવે તેવા ભાવ સાથે અનેકશઃ ધન્યવાદ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM