________________
શ્રી ઉવવાઈ સૂત્ર
નીચે રાખીને વિશેષ આસનમાં અવસ્થિત બનીને ધ્યાનરૂપી કોઠામાં પ્રવેશ કરતા હતા. અર્થાત્ તે નિરંતર ધ્યાન રત રહેતા હતા. આ રીતે તે અણગારો સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. સંસાર અને સંયમનું સ્વરૂપ ઃ
७८ संसारभउव्विग्गा, भीया, जम्मण-जर-मरण-करण- गम्भीर- दुक्ख- पक्खुब्भिय- पउरसलिलं, संजोग-विओग-वीचिचिंतापसंगपसरिय-वह- बंध-महल्लविउल- कल्लोल-कलुणविलविय-लोभकलकलंतम्बोलबहुलं अवमाणण फेण-तिव्व- खिंसणपुलंपुलप्पभूय रोग-वेयणपरिभव-विणिवाय- फरुसधरिसणा-समावडिय - कढिणकम्म-पत्थर-तरंग- रंगत- णिच्च-मच्चु भयतोयपटुं । कसाय-पायालसंकुलं, भवसयसहस्सकलुसं-जल-संचयं, पइभयं, अपरिमिय महिच्छ कलुसमझ- वाउवेग- उद्धम्ममाण-दगरय-रयंधयार- वरफेण- पउर-आसापिवास-धवलं, मोहमहावत्त- भोग-भममाण गुप्पमाणुच्छलंत पच्चोणिवयंत्त- पाणिय- पमाय चंडबहुदुट्ठ-सावय समाहयुद्धायमाणपब्भार- घोरकंदिय महारवरवंत भेरवरवं ।
95
अण्णाण-भमंतमच्छपरिहत्थ- अणिहुतिंदिय-महामगर- तुरिय-चरिय- खोखुब्भमाणणच्चंत-चवल-चंचल-चलंत-धुम्मंत-जलसमूहं, अरइ-भय-विसाय- सोग-मिच्छत्त सेल- संकडं, अणाइसंताणकम्मबंधण- किलेस चिक्खिल्ल- सुदुत्तारं, अमर-णर- तिरिय- णरय- गइगमणकुडिलपरियत्तविउलवेलं, चउरंत, महंतमणवयग्गं, रुद्द संसारसागरं भीमं दरिसणिज्जं तरंति ।
धिइ धणिय णिप्पकंपेण तुरियचवलं संवर-वेरग्ग-तुंगकूवय सुसंपउत्तेणं, णाण-सिय विमलमूसिएणं सम्मत्तविसुद्ध लद्धणिज्जामरणं धीरा संजम पोएण सीलकलिया पसत्थज्झाणतववाय-पणोल्लिय-पहाविएणं उज्जम ववसाय-ग्गहिय- णिज्जरण-जयण-उवओग-णाणदंसण[चरित्त] विसुद्धवय [वर] भंडभरियसारा, जिणवर वयणोवदिट्ठ मग्गेण अकुडिलेण सिद्धिमहापट्टणाभिमुहा समणवर सत्थवाहा सुसुइ-सुसंभास सुपण्ह- सासा गामे गामे एगरायं,
गरे गरे पंचरायं दूइज्जता, जिइंदिया, णिब्भया, गयभया सचिताचित्त मीसिएस दव्वेसु विरागयं गया, संचयाओ विरया, मुत्ता, लहुया, णिरवकंखा साहू । णिहुया चरंति धम्मं । ભાવાર્થ :- તે અણગારો સંસારના ભયથી ઉદ્વિગ્ન અને સંસારભીરુ હતા.
સંસાર એક સમુદ્ર છે. તે સંસાર સમુદ્ર જન્મ, જરા અને મરણના ઘોર દુઃખરૂપી જળથી ભરપૂર ભરેલો છે. તેમાં સંયોગ અને વિયોગની લહેરો ઉત્પન્ન થાય છે, ચિંતિત પ્રસંગોની લહેરો દૂર સુદૂર સુધી ફેલાતી રહે છે, વધ બંધનના મોટા મોજાઓ ઊછળી રહ્યા છે, કરુણ વિલાપથી અને લોભથી ઉત્પન્ન થયેલા આક્રોશ વચનોના ઘૂઘવાટા સંભળાય છે, અપમાન રૂપ ફીણનો પુંજ છે; તીવ્ર નિંદા, નિરંતર થતી રોગની વેદના, અનાદર, વિનિપાત-વિનાશ, નિષ્ઠુર વચનોથી થતી નિર્ભત્સના અને ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીય આદિ કઠોર કર્મોરૂપી ખડકો છે; તેની સાથે જલતરંગો અથડાવાથી આધિ-વ્યાધિ રૂપ મોજાઓ ઉત્પન્ન થતા રહે છે. અવથંભાવી એવા મૃત્યુનો ભય જલની ઉપરી સપાટી છે.
તે સંસાર સમુદ્રમાં કષાયરૂપ પાતાળ કળશો છે, તેમાં લાખો ભવોની પરંપરારૂપી કલુષિત-મલિન