________________
[ ૧૮
]
વધારવા માટે છે. અચૌર્ય મહાવત :– તેને અદત્તાદાન વિરમણ વ્રત પણ કહે છે. કોઈના દ્વારા દત્ત-દીધેલું હોય તેને આદાન-ગ્રહણ કરવું તે દત્તાદાન અને કોઈના દ્વારા ન દીધેલું હોય તેને ગ્રહણ કરવું તેને અદત્તાદાન–ચોરી કહેવાય છે. તેનો ત્યાગ તે અચૌર્ય મહાવ્રત છે. તેમાં જીવનપર્યત તૃણ જેવી તુચ્છ વસ્તુ પણ અદત્ત ગ્રહણ થતી નથી. અચૌર્ય વ્રતનો પ્રભાવ - તૃષ્ણા પ્રાપ્ત વસ્તુનો વ્યય ન થાય તેવી ઈચ્છા અને લાલસાઅપ્રાપ્ય વસ્તુની ઈચ્છા|યુક્ત દુષ્ટ મનનો નિગ્રહ થાય છે. મન સંયમશીલ બની જાય છે. આ લોક અને પરલોકમાં ઉપકારનું કારણ બને છે. સુરંગમિય-મન-હ~-પાય નિ :- આ વિશેષણ દ્વારા શાસ્ત્રકારે એમ સૂચિત કર્યું છે કે મન સમ્યક પ્રકારે નિયંત્રિત થઈ જાય તો હાથ અને પગની પ્રવૃત્તિ સ્વતઃ રોકાઈ જાય છે. જે તરફ મન જતું નથી તે તરફ હાથ પગની પણ ગતિ થતી નથી. આ સૂચના સાધકોને માટે ઘણી મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે. સાધકોએ સર્વપ્રથમ પોતાના મનને સંયત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મન સંયત થઈ ગયા પછી વચન અને કાયા અનાયાસે જ સંયત થઈ જાય છે. શેષ પદોનો અર્થ સુગમ છે. દત્ત અનુજ્ઞાન મહાવતની આરાધનાની વિધિ :| ૨ ન– ૨ પાના-પર-fમ---મકુંવ-રોળમુદ-સંવાદपट्टणा-समगयंच किंचि दव्वंमणि-मुत्त-सिलप्पवाल-कंस-दूस-रयय- वरकणगरयणमाइं पडियं पम्हुटुं विपणटुं, ण कप्पइ कस्सइ कहेउं वा गिहिउं वा अहिरण्णसुवण्णियेण समलेठ्ठकंचणेणं अपरिग्गहसंवुडेणं लोगम्मि विहरियव्वं । ભાવાર્થ :- આ અદત્તાદાન વિરમણ વ્રતમાં ગ્રામ, આકર,નગર, નિગમ, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, સંબાહ, પટ્ટન, આશ્રમ આદિમાં ઉત્તમ મણિ, મોતી, શિલા, પ્રવાલ, કાંસુ, વસ્ત્ર, ચાંદી, સોનું, રત્ન આદિ કોઈપણ વસ્તુ પડી હોય, કોઈ તેને ભૂલી ગયું હોય તો તે લઈ લેવા કોઈ વ્યક્તિને કહેવું અથવા સ્વયં લઈ લેવું કલ્પતું નથી. સાધુએ ચાંદી–સુવર્ણના ત્યાગી થઈ, પાષાણ અને સુવર્ણમાં સમભાવ રાખી, પરિગ્રહથી સર્વથા રહિત અને સર્વ ઈન્દ્રિયોથી સંવૃત્ત-સંયત થઈને જ લોકમાં વિચરવું જોઈએ. | ३ जं वि य हुज्जाहि दव्वजायं खलगयं खेत्तगयं रणमंतरगयं वा किंचि पुप्फ-फल-तयप्पवाल-कंद-मूल-तण-कट्ठ-सक्कराइ अप्पं च बहुं च अणुं च थूलगंवा ण कप्पइ उग्गहम्मि अदिण्णम्मि गिहिउंजे, हणि हणि उग्गहं अणुण्णविय गिहियव्वं, वज्जेयव्वो सव्वकालं अचियत्त घरप्पवेसो अचियत्तभत्तपाणं આવિયત્તપીઢપના-સિક્કા-સંથારા-વત્થ-પત્ત-વ-વંગ-હરણ