________________
[ ૧૮ ]
શ્રી અંતગડ સૂત્ર
પ્રથમ વર્ગ અધ્યયન-ર થી ૧૦ : સમુદ્રાદિકુમારો)
પ્રથમવર્ગના શેષ અધ્યયનો :| १ एवं जहा गोयमे तहा सेसा । अंधग वण्ही पिया, धारिणी माया, समुद्दे, सागरे, गंभीरे, थिमिए, अयले, कंपिल्ले, अक्खोभे, पसेणई, विण्हुए, एए एगगमा । ભાવાર્થ:- આર્ય સુધર્મા સ્વામીએ પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહ્યું– જંબૂ! મોક્ષ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડ સૂત્રના પ્રથમ વર્ગમાં ગૌતમકુમારનો જે અર્થ (વર્ણન)કહ્યો છે, એવી જ રીતે શેષ નવ અધ્યયનનો અર્થ પણ સમજી લેવો. સર્વના માતા ધારિણી અને પિતા અંધકવૃષ્ણિરાજા હતા. તેઓનો જીવનકાળ, સંયમ પર્યાય, તપસાધના, અંતિમસાધના, સિદ્ધિગમન બધું જ પૂર્વવત્ સમજવું. અંતર માત્ર નામનું છે, તે નવ નામ આ પ્રમાણે(૧) સમુદ્ર (૨) સાગર (૩) ગંભીર (૪) સ્તિમિત (૫) અચલ (૬) કાંડિલ્ય (૭) અક્ષોભ (૮) પ્રસેનજિત (૯) વિષ્ણુ.
II વર્ગ-૧ : અધ્ય.-ર થી ૧૦ સંપૂર્ણ II